SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૨૯ तं णिच्छये ण जुज्जदि ण सरीरगुणा हि होंति केवलिणो। केवलिगुणे थुणदि जो सो तचं केवलिं थुणदि।। २९ ।। तन्निश्चये न युज्यते न शरीरगुणा हि भवन्ति केवलिनः। केवलिगुणान् स्तौति यः स तत्त्वं केलिनं स्तौति।।२९ ।। ઉપરની વાતને ગાથાથી કહે છે પણ નિશ્ચયે નથી યોગ્ય એ, નહિ દેહગુણ કેવળીતણા; જે કેવળીગુણને સ્તવે પરમાર્થ કેવળી તે સ્તવે. ૨૯. ગાથાર્થ- [ તત્] તે સ્તવન [ નિશ્ચયે] નિશ્ચયમાં [ન યુજ્યતે] યોગ્ય નથી [રિ] કારણ કે [ શરીરTMT: ] શરીરના ગુણો [વતિન:] કેવળીના [ન ભવન્તિ ] નથી; [:] જે [ વતિ ગુન] કેવળીના ગુણોની [સ્તોતિ ] સ્તુતિ કરે છે [સ:] તે [તત્ત્વ ] પરમાર્થથી [ વતિન] કેવળીની [સ્તોતિ] સ્તુતિ કરે છે. ટીકાઃ- જેમ ચાંદીનો ગુણ જે સફેદપણું, તેનો સુવર્ણમાં અભાવ છે માટે નિશ્ચયથી સફેદપણાના નામથી સોનાનું નામ નથી બનતું, સુવર્ણના ગુણ જે પીળા- પણું આદિ છે તેમના નામથી જ સુવર્ણનું નામ થાય છે તેવી રીતે શરીરના ગુણો જે શુકલરકતપણું વગેરે, તેમનો તીર્થંકર-કેવળીપુરુષમાં અભાવ છે માટે નિશ્ચયથી શરીરના શુકલ-રકતપણું વગેરે ગુણોનું સ્તવન કરવાથી તીર્થંકર-કેવળીપુરુષનું સ્તવન નથી થતું, તીર્થંકર-કેવળીપુરુષના ગુણોનું સ્તવન કરવાથી જ તીર્થંકર-કેવળીપુરુષનું સ્તવન થાય છે. હવે ઉપરની વાતને સિદ્ધ કરે છે - * ગાથા ૨૯ : ટીકા ઉપરનું પ્રવચન * જેમ ચાંદીનો ગુણ જે સફેદપણું, તેનો સુવર્ણમાં અભાવ છે માટે નિશ્ચયથી સફેદપણાના નામથી સોનાનું નામ નથી બનતું, સુવર્ણના ગુણ જે પીળાપણું આદિ છે તેમના નામથી જ સુવર્ણનું નામ થાય છે જુઓ, ધોળું સોનું એમ કહેવાય છે પણ સોનું સફેદ નથી. સોનામાં તો સફેદપણાનો અભાવ છે. તેથી સુવર્ણના ગુણ જે પીળાશ આદિ છે તે વડ જ સુવર્ણનું નામ થાય છે. આમ અસ્તિ-નાસ્તિ કર્યું. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008283
Book TitlePravachana Ratnakar 02
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy