________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૨૭
नैवं, नयविभागानभिज्ञोऽसि
ववहारणओ भासदि जीवो देहो य हवदि खलु एक्को। ण दु णिच्छयस्स जीवो देहो य कदा वि एक्कट्ठो।। २७ ।।
व्यवहारनयो भाषते जीवो देहश्च भवति खल्वेकः। न तु निश्चयस्य जीवो देहश्च कदाप्येकार्थः।। २७ ।।
ત્યાં આચાર્ય કહે છે કે એમ નથી; તું નવિભાગને જાણતો નથી. તે નવિભાગ આ પ્રમાણે છે એમ ગાથામાં કહે છે
જીવ-દેહ બન્ને એક છે-વ્યવહારનયનું વચન આ; પણ નિશ્ચયે તો જીવ-દેહ કદાપિ એક પદાર્થના. ૨૭.
ગાથાર્થ:- [ વ્યવહારનય:] વ્યવહારનય તો [ ભાષ7] એમ કહે છે કે [ નીવ: વેદ: ] જીવ અને દેહ [ : વ7] એક જ [ ભવતિ] છે; [1] પણ [નિશ્ચયચ ] નિશ્ચયનયનું કહેવું છે કે [નીવ: વે: ૨] જીવ અને દેહ [વા ] કદી પણ [પાર્થ] એક પદાર્થ [૧] નથી.
ટીકાઃ- જેમ આ લોકમાં સુવર્ણ અને ચાંદીને ગાળી એક કરવાથી એકપિંડનો વ્યવહાર થાય છે તેમ આત્માને અને શરીરને પરસ્પર એક ક્ષેત્રે રહેવાની અવસ્થા હોવાથી એકપણાનો વ્યવહાર છે. આમ વ્યવહારમાત્રથી જ આત્મા અને શરીરનું એકપણું છે, પરંતુ નિશ્ચયથી એકપણું નથી; કારણ કે નિશ્ચયથી વિચારવામાં આવે તો, જેમ પીળાપણું આદિ અને સફેદપણું આદિ જેમનો સ્વભાવ છે એવાં સુવર્ણ અને ચાંદીને અત્યંત ભિન્નપણું હોવાથી એકપદાર્થપણાની અસિદ્ધિ છે તેથી અનેકપણું જ છે, તેવી રીતે ઉપયોગ અને અનુપયોગ જેમનો સ્વભાવ છે એવાં આત્મા અને શરીરને અત્યંત ભિન્નપણું હોવાથી એક પદાર્થપણાની પ્રાપ્તિ નથી તેથી અનેકપણું જ છે. આવો આ પ્રગટ નયવિભાગ છે.
માટે વ્યવહારનયે જ શરીરના સ્તવનથી આત્માનું સ્તવન બને છે.
ભાવાર્થ:- વ્યવહારનય તો આત્મા અને શરીરને એક કહે અને નિશ્ચયનય ભિન્ન કહે છે. તેથી વ્યવહારનયે શરીરનું સ્તવન કરવાથી આત્માનું સ્તવન માનવામાં આવે છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com