________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૪
[ સમયસાર પ્રવચન (વસંતતિ71) आत्मानुभूतिरिति शुद्धनयात्मिका या ज्ञानानुभूतिरियमेव किलेति बुद्ध्वा। आत्मानमात्मनि निवेश्य सुनिष्पकम्पमेकोऽस्ति नित्यमवबोधघनः समन्तात्।।१३।।
ભાવાર્થ- શુદ્ધનયની દષ્ટિથી જોવામાં આવે તો સર્વ કર્મોથી રહિત ચૈતન્યમાત્ર દેવ અવિનાશી આત્મા અંતરંગમાં પોતે વિરાજી રહ્યો છે. આ પ્રાણી-પર્યાયબુદ્ધિ બહિરાત્મા–તેને બહાર ટૂંઢે છે તે મોટું અજ્ઞાન છે. ૧૨.
હવે, શુદ્ધનયના વિષયભૂત આત્માની અનુભૂતિ છે તે જ જ્ઞાનની અનુભૂતિ છે એમ આગળની ગાથાની સૂચનાના અર્થરૂપ કાવ્ય કહે છે:
શ્લોકાર્થ:- [ તિ] એ રીતે [યા શુદ્ધત્તયાત્મિા ગાત્મ–અનુભૂતિઃ] જે પૂર્વકથિત શુદ્ધનયસ્વરૂપ આત્માની અનુભૂતિ છે [ફ ઇવ વિના જ્ઞાન–અનુભૂતિઃ] તે જ ખરેખર જ્ઞાનની અનુભૂતિ છે [તિ વૃધ્ધા ] એમ જાણીને તથા [ માત્માને માત્માનમ્ સુનિઝમ્પમ્ નિવેશ્ય] આત્મામાં આત્માને નિશ્ચળ સ્થાપીને, [ નિત્યમ્ સમન્વીત : નવવધ–ઘન: મસ્તિ] “સદા સર્વ તરફ એક જ્ઞાનઘન આત્મા છે' એમ દેખવું.
ભાવાર્થ- પહેલાં સમ્યગ્દર્શનને પ્રધાન કરી કહ્યું હતું હવે જ્ઞાનને મુખ્ય કરી કહે છે કે આ શુદ્ધનયના વિષયસ્વરૂપ આત્માની અનુભૂતિ છે તે જ સમ્યજ્ઞાન છે. ૧૩.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com