________________
ગાથા – ૬૧]
[૬૧
સમિતિ છે; અથવા, નિજ પરમતત્ત્વમાં લીન સહજ પરમજ્ઞાનાદિક પરમધર્મોની સંપતિ (-મિલન, સંગઠન) તે સમિતિ છે.
આ પ્રમાણે નિશ્ચય અને વ્યવહારરૂપ સમિતિભેદો જાણીને તેમાં (-તે બેમાંથી) પરમનિશ્ચય સમિતિને ભવ્ય જીવ પ્રાપ્ત કરો. (હવે ૬૧મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ ચાર શ્લોક કહે છે.)
(મન્તાક્રાંતા) इत्थं बुद्ध्वा परमसमितिं मुक्तिकान्तासखीं यो मुक्त्वा संगं भवभयकर हेमरामात्मकं च । स्थित्वाऽपूर्वे सहजविलसच्चिच्चमत्कारमात्रे
भेदाभावे समयति च यः सर्वदा मुक्त एव ॥८१॥ (શ્લોકાર્થ:-) આ રીતે મુક્તિકાન્તાની (મુક્તિસુંદરીની) સખી પરમસમિતિને જાણીને જે જીવ ભવભયના કરનારા કંચનકામિનીના સંગને છોડીને, અપૂર્વ, સહજ-વિલસતા (સ્વભાવથી પ્રકાશતા), અભેદ ચૈતન્યચમત્કારમાત્રમાં સ્થિત રહી (તેમાં) સમ્યફ ઈતિ’ (-ગતિ) કરે છે અર્થાત્ સમ્યપણે પરિણમે છે, તે સર્વદા મુક્ત જ છે. ૮૧.
(માનિની)
जयति समितिरेषा शीलमूलं मुनीनां त्रसहतिपरिदूरा स्थावराणां हतेर्वा । भवदवपरितापकले शजीमूतमाला सकलसुकृतसीत्यानीक सन्तोषदायी ॥८२॥
(શ્લોકાર્થ:-) જે (સમિતિ) મુનિઓને શીલનું (-ચારિત્રનું) મૂળ છે, જે ત્રણ જીવોના ઘાતથી તેમ જ સ્થાવર જીવોના ઘાતથી સમસ્ત પ્રકારે દૂર છે, જે ભવદાવાનળના પરિતાપરૂપી કલેશને શાંત કરનારી તથા સમસ્ત સુકૃતરૂપી ધાન્યના રાશિને (પોષણ આપીને) સંતોષ દેનારી મેઘમાળા છે, તે આ સમિતિ જયવંત છે. ૮ર.