________________
ગાથા – ૬૦]
[૫૯
તેમાં સ્થિરતા થાય નહીં. લ્યો, આ પદાર્થ (-આત્મા)ની સ્થિતિ, તેનું વાસ્તવિક સ્વરૂપ તથા તેની ચારિત્રપર્યાયની દશા કેવી હોય તેનું વર્ણન છે.
અહા! ગાથામાં પાંચમા મહાવ્રતની—નિગ્રંથદશાની વાત હતી ને? એટલે કહે છે કે મુનિને નગ્નદશાનો વિકલ્પ હોય છે. સાચા જૈનના મુનિઓ તો અંતરમાં ત્રણ કષાયના અભાવવાળા હોય છે અને બાહ્યમાં તેમની તદ્દન નગ્નદશા હોય છે. જુઓ, તેમને જૈનના મુનિઓ કહેવામાં આવે છે. એટલે કે એકલા નગ્ન પણ નહીં અને ત્રણ કષાયનો અભાવ થયો હોય ને શરીરમાં વસ્ત્રાદિ રહે એમ પણ નહીં. આવી મુનિની દશા છે ભાઈ! વીતરાગ પરમેશ્વરની આ આજ્ઞા છે એમ તેણે પહેલાં ઓળખાણ કરીને માનવું જોઈએ.
ગાથા - ૬૦ શ્લોક – ૮૦
}
પ્રવચન નં.
NST / ૫૩
NSS / ૫૫
૫૬
NST / ૫૪
તારીખ
૨૩-૬-૦૨
૩૦-૬-૦૧
૨-૭-૭૧
૨૪-૬-૭૨