________________
iv]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
વક્તા અને શ્રોતા હયાત છે ત્યાંસુધીમાં જેટલું ઝડપથી થઈ શકે તેટલું કામ કરી લેવા જેવું
છે.
આ પુસ્તક પ્રકાશનમાં અનેક મુમુક્ષુઓ તરફ્થી ટ્રસ્ટને અત્યંત નિસ્પૃહભાવે સહયોગ મળેલો છે તેની સાભાર નોંધ લેવામાં આવે છે. જે જે મુમુક્ષુઓએ પ્રવચનો ઉતાર્યા છે તેમ જ ઉતારેલા પ્રવચનો તપાસી આપેલ છે, તેઓના અમો આભારી છીએ. આ કાર્યમાં સક્રિય રીતે ભાઈશ્રી હીરાલાલ ભીખાલાલ શાહે મહત્ત્વપૂર્ણ ફાળો આપેલ છે, તેમનો આભાર માનીએ છીએ. ભાઈશ્રી હેમંતભાઈ ગાંધીએ અતિ ચીવટથી ખુબ મહેનત લઈને શત્રુથી અંત સુધી પ્રેસ મેટર તથા પ્રૂફ-સંશોધન કરી આપેલ છે. તે બદલ તેમનો આભાર માનીએ છીએ.
આ સિવાય ઘણા મુમુક્ષુઓએ ઉદારતાથી આર્થિક સહયોગ આપેલ છે, જેની પ્રસ્તુત પુસ્તકમાં નામાવલી આપી છે. આ બધા દાતાઓનો પણ આભાર માનીએ છીએ.
આ પુસ્તકનું શબ્દગૂંથણીનું (ટાઈપસેટીંગ) કાર્ય કાળજીપૂર્વક કરી આપવા બદલ ક્રિએટીવ પેજ સેટર્સના શ્રી સમીર પારેખના ખુબ જ આભારી છીએ.
અંતમાં, પરમપૂજ્ય ગુરુદેવશ્રીનો આપણા ઉપર અતિ ઉપકાર છે. જેનું વર્ણન શબ્દો દ્વારા અશક્ય છે. જેણે શાશ્વત સુખનો માર્ગ આપ્યો તેનું ઋણ ચૂકવવાનો કોઈ માર્ગ જ નથી. એથી વિનમ્રપણે ગુરુવાણીના પાવન પરમામૃત દ્વારા વીતરાગ સર્વજ્ઞપ્રણીત અને શ્રી ગણધરાદિ મહાન આચાર્યો રચિત પરમાગમોનો ઉકેલ કરી નિજ સાધનાની પરિપૂર્ણતાને આપણે પામીએ અને સર્વ જીવો પણ પામો એ જ અભ્યર્થના.
જયવંત વો તે કુંદકુંદ આચાર્ય કે જેમણે મહાતત્ત્વથી ભરેલો પ્રાકૃતરૂપી પર્વત બુદ્ધિરૂપી શિરપર ઉપાડીને ભવ્ય જીવોને સમર્પિત કર્યો છે.
વીર સંવત ૨૫૭૧
વૈશાખ સુદ ૨, વિક્રમ સંવત ૨૦૬૧,
તા. ૧૦-૫-૨૦૦૫
લિ.
શ્રી કુંદકુંદ-કહાન પરમાગમ પ્રવચન ટ્રસ્ટ, ટ્રસ્ટી મંડળ