________________
આ ગાથા - ૫૮ છે ?
गामे वा णयरे वाऽरण्णे वा पेच्छिऊण परमत्थं । નો મુથતિ જમાવં તિવિયવર્દ હરિ તણેવ બટા ग्रामे वा नगरे वाऽरण्ये वा प्रेक्षयित्वा परमर्थम् ।
यो मुंचति ग्रहणभावं तृतीयव्रतं भवति तस्यैव ॥५८॥ નગરે, અરયે, ગ્રામમાં કો વસ્તુ પરની દેખીને છોડે ગ્રહણપરિણામ છે, તે પુરુષને વ્રત તૃતીય છે. પ૮.
અન્વયાર્થ:- (Dામે વ) ગ્રામમાં, (નારે વ) નગરમાં (ખરખે વ) કે વનમાં (પરમ્ અર્થમ્) પારકી વસ્તુને (ક્ષયિત્વ) દેખીને (૫) જે (સાધુ) (પ્રફળમવ) તેને ગ્રહવાના ભાવને (મુતિ) છોડે છે. (તસ્ય જીવ) તેને જ (તૃતીયવ્રતં) ત્રીજું વ્રત (મતિ) છે.
ટીકા:- આ, ત્રીજા વ્રતના સ્વરૂપનું કથન છે.
જેના ફરતી વાડ હોય તે ગ્રામ (ગામડું) છે; જે ચાર દરવાજાથી સુશોભિત હોય તે નગર છે; જે મનુષ્યના સંચાર વિનાનું, વનસ્પતિસમૂહ, વેલીઓ અને ઝાડનાં ઝુંડ વગેરેથી ગીચોગીચ ભરેલું હોય તે અરણ્ય છે. આવાં ગ્રામ, નગર કે અરણ્યમાં બીજાથી તજાયેલી, મુકાયેલી, પડી ગયેલી અથવા ભુલાઈ ગયેલી પરવસ્તુને દેખીને તેના
સ્વીકારપરિણામને (અર્થાતુ તેને પોતાની કરવાના-ગ્રહવાના પરિણામને) જે પરિત્યજે છે, તેને ખરેખર ત્રીજું વ્રત હોય છે.