________________
ગાથા – ૭૧]
[૨૪૧
પછી ત્રીજામાં (શ્લોક ૯૮માં) નિતરતિપતિવઃ સર્વવિદ્યાપ્રવી:– એમ બધામાં T: હતાં.
અને હવે ચોથામાં (શ્લોક ૯૯માં) નયતિ વિદ્વિતમોક્ષ: પાપત્રીયતાક્ષ:– એમ બધામાં ક્ષઃ છે.
પ્રસિદ્ધ જેમનો મોક્ષ છે.' સિદ્ધ પ્રસિદ્ધ છે એમ નથી આવતું? ‘પ્રસિદ્ધ વિશુદ્ધ સુસિદ્ધ સમૂહ' – એમ (પૂજાની જયમાલામાં) આવે છે ને? અર્થાત્ સિદ્ધોનો સમૂહ તો પ્રસિદ્ધ છે, અનંત સિદ્ધો પ્રસિદ્ધ છે. એવી રીતે અરિહંતોનો મોક્ષ પણ પ્રસિદ્ધ છે અને એવી રીતે આત્માનો મોક્ષ પણ પ્રસિદ્ધ છે. આત્માને સંસાર રહે નહિ અને તેનો મોક્ષ થાય એ તો, કહે છે કે, પ્રસિદ્ધ છે. અને તેને જ આત્મા કહીએ એમ કહે છે. અહા! સંસારવાળો આત્મા માનવો એ તો મિથ્યાત્વ છે. કેમ કે સંસાર એટલે વિકલ્પ ને આસવ. તેથી સંસારવાળો આત્મા માનતા આસ્રવ સહિત આત્મા માન્યો અને એ તો તત્ત્વની દષ્ટિથી વિપરીત છે.
અહીં કહે છે કે પ્રસિદ્ધ જેમનો મોક્ષ છે.” અર્થાત્ આત્મામાં પ્રસિદ્ધપણે મોક્ષ -મુક્તસ્વરૂપ પડ્યું જ છે અને તેથી પર્યાયમાં પ્રસિદ્ધ મોક્ષ થાય એ કોઈ વિશેષતા કે નવીનતા નથી. કેમ કે વસ્તુનું સ્વરૂપ જ એવું છે. લ્યો, કારણ કે કાર્ય-બન્ને એકરૂપ જ છે, શુદ્ધ જ છે. આ જ નિયમસારમાં શ્રી પદ્મપ્રભમલધારિદેવે કહ્યું છે ને? કે કારણ ને કાર્ય - બન્ને શુદ્ધ જ છે. (શ્લોક – ૭૨). “શુદ્ધ છે' નો અર્થ શું છે? કે ત્રિકાળી સ્વરૂપ (કારણ) તો શુદ્ધ છે જ, પરંતુ તે ત્રિકાળી સ્વરૂપ છે તેનો આશ્રય જેણે લીધો તેને પૂર્ણ શુદ્ધતા (કાર્ય) પ્રગટશે જ, અશુદ્ધતા રહેશે નહીં. માટે કાર્ય પણ શુદ્ધ જ છે. આવું ઝીણું છે! અહા! આ બહારમાં યાત્રા આદિ કરી આવ્યા એટલે થઈ ગયું (-ધર્મ થઈ ગયો) એમ નથી. અહીંયા કહે છે કે આત્મા સમયે સમયે યાત્રા કરનારો (-શુદ્ધરૂપે પરિણમનારો) છે.
અહા! પ્રસિદ્ધ જેમનો મોક્ષ છે મતલબ કે શુદ્ધસ્વરૂપ, પરમાનંદમય આત્માની વિદ્યમાનતા જ્યાં દષ્ટિમાં આવી ત્યાં - પોતે પ્રસિદ્ધ મોક્ષસ્વરૂપ છે એમ પ્રતીતિમાં આવ્યું ત્યાં – પર્યાયમાં પ્રસિદ્ધ મોક્ષ થશે...થશે...ને થશે. એવા આત્માને સંસારની ગંધ પણ નહિ રહે એમ કહે છે. અહા! જેણે આત્મા પકડ્યો -જાણ્યો અથવા “આત્મા છે' એમ માન્યું તેને પ્રસિદ્ધ મોક્ષ થયા વિના રહેશે નહીં. પણ આત્મા છે' એમ માન્યું