________________
ગાથા – ૬૯]
[૨૦૭
એમ આવ્યું હતું કે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફશાંતિની ભૂમિકામાં અશુભભાવથી હઠીને શુભભાવમાં આવવું તે વ્યવહાર મનોગુમિ છે. જ્યારે અહીં કહે છે કે શુભ અને અશુભ બન્ને વિકલ્પથી હઠીને અંદરમાં જવું તે નિશ્ચય મનોગુમિ છે. જુઓ, શબ્દ છે ને? કે ‘સકળ મોહરાગદ્વેષના અભાવને લીધે’.... અર્થાત્ વ્યવહાર મનોસુમિમાં મુનિને શુભરાગ હતો, પણ આ નિશ્ચય મનોગુમિમાં તો સકળ મોહરાગદ્વેષનો અભાવ છે. જેણે મોહ એટલે મિથ્યાત્વભાવ છોડ્યો છે અને રાગ-દ્વેષના વિકલ્પને પણ છોડ્યા છે તથા જે અખંડ અદ્વૈત ભગવાન આત્મામાં સ્થિર રહે છે તેને નિશ્ચય મનોગુમિ હોય છે. લ્યો, કહે છે કે, આત્મા અખંડ અદ્વૈત છે અર્થાત્ તેમાં બેપણું – ભેદ જ નથી. બધા થઈને એક આત્મા છે એમ નહીં, પણ જેમાં ગુણ-ગુણીનો ભેદ પણ નથી, જેમાં કૈતપણું નથી અને જે એકરૂપ છે એવો આત્મા અખંડ અદ્વૈત છે. તથા તે પરમચિટૂપ–પરમ જ્ઞાનસ્વભાવરૂપ પ્રભુ છે. આવા અંદરના અખંડ અદ્વૈત ચિટૂપ આત્મામાં યથાર્થપણે સ્થિર રહેવું તે જ નિશ્ચય મનોગુમિ છે. લ્યો, આનું નામ સાચી મનોગુતિ અને ધર્મ છે.
કોઈ કહે કે આ તો બધી કેવળી થયેલાની વાતો છે? પણ ભાઈ આ ક્યાં કેવળી થયેલાની વાતો છે? આ તો મુનિદશાની વાતો છે. કેવળી થવાના ઉપાયરૂપ મુનિમાર્ગ છે તેની દશા આવી હોય એમ મુનિદશાની વાત છે. તેણે પહેલાં શ્રદ્ધામાં તો લેવું પડશે ને? કે સાચું સાધુપણું કેવું હોય? સાચું-સત્ય મુનિપણું કેવું હોય? અરે! અજ્ઞાનીને તો કાંઈ ભાન ન હોય અને થઈ જાય સાધુ. ભાઈ! વસ્તુસ્વરૂપના ભાન વિના એવા સાધુપણામાં તો નુકશાન છે. જ્યારે આ તો તારા અહિતના નાશની વાતો છે.
અહીં કહે છે કે ભગવાન આત્માનો પોતાનો સ્વભાવ શુદ્ધ આનંદમય અખંડ અત અને પરમજ્ઞાનરૂપ છે. આત્મા તો પરમજ્ઞાનરૂપ જ છે, તેનું સ્વરૂપ જાણવાના સ્વભાવમય જ છે. તેમાં સમ્યફ પ્રકારે સ્થિર રહેવું તે નિશ્ચય મનોગુપ્તિ છે.
હવે કહે છે કે “હે શિષ્ય! તું તેને ખરેખર અચલિત મનોગુપ્તિ જાણ.” મૂળ ગાથાના બીજા પદમાં ‘કાળાદિ શબ્દ છે ને? એટલે તેમાંથી ટીકાકારે એમ કહ્યું કે હે શિષ્યા ... શ્રી કુંદકુંદાચાર્ય પોતે કહે છે કે “નાળાદિ તે મળોનુત્તી ' - આમ તું જાણ કે આને મનોગુપ્તિ કહેવાય. એટલે કે જેને મનસંબંધી વિકલ્પ નથી અને જેને અંદરમાં અખંડ, અભેદ, ચિટૂપમાં લીનતા છે તેને સાચી મનોગુપ્તિ છે એમ કહેવામાં