________________
૧૯૪]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
વચનગુતિ છે. ધર્માત્માને (-મુનિને) આવા અશુભભાવનો ત્યાગ હોય છે અને તેઓ શુભભાવમાં વર્તતા હોય છે તેને વ્યવહાર વચનગુમિ કહેવામાં આવે છે. નિર્વિકલ્પદષ્ટિ, અનુભવ અને ચારિત્રદશા જેને છે અર્થાત્ નિશ્ચયગુમિ જેને છે તેના વિકથાનાઅશુભભાવના-ત્યાગરૂપ શુભભાવને વ્યવહાર વચનગુપ્તિ કહેવામાં આવે છે. તે સિવાય અજ્ઞાનીને વ્યવહાર વચનગુપ્તિ પણ હોતી નથી.
છે. આધારના શ્લોક ઉપરનું પ્રવચન “એ રીતે બહિર્વચનોને ત્યાગીને અંતર્વચનોને અશેષતઃ (સંપૂર્ણપણે) ત્યાગવાં'. આ નિશ્ચય વચનગુમિની વાત છે. અંતર્જલ્પ-વિકલ્પને પણ સર્વથા—બધી રીતે પૂર્ણ રીતે—છોડીને ભગવાન આત્મા આનંદસ્વરૂપ છે તેમાં પરિણતિને જોડી દે ને? મર્તનો આ બહારમાં ક્યાં જોડાયો? – એમ કહે છે.
-આ, સંક્ષેપથી યોગ (અર્થાત સમાધિ) છે' - આ સંક્ષેપથી સમાધિ છે. ‘લોગસ્સ સૂત્ર” માં આવતું નથી કે સમદિવરમુત્તમ વિંતુ | આધિ – મનના સંકલ્પથી રહિત, વ્યાધિ—શરીરની વ્યાધિ(રોગ)થી રહિત અને ઉપાધિ – બહારના સંયોગથી રહિત આત્માની અંતરંગ શાંતિ તે સમાધિ છે.
“-કે જે યોગ પરમાત્માનો પ્રદીપ છે (અર્થાત પરમાત્માને પ્રકાશનાર દીવો છે).' - મનનો સંગ છોડવો, વાણીનો સંગ છોડવો અને સ્વભાવનો સંગ કરવો અર્થાત્ શુદ્ધ આનંદનું ધામ ભગવાન આત્માનો સંગ કરવો તે પરમાત્માનો પ્રદીપ છે. બીજી રીતે કહીએ તો આનંદસ્વરૂપ આત્મામાં જોડાણ કરવું એટલે કે અસંગનો સંગ કરવારૂપ યોગ - સ્વરૂપની એકાગ્રતા - તે પરમાત્માનો પ્રદીપ છે અર્થાત્ અંદરમાં પરમાત્માને પ્રકાશનાર દીવો છે. અહા! સમ્યજ્ઞાનના નેત્ર દ્વારા અને સમાધિ દ્વારા આત્માને જેવો તે પરમાત્માને પ્રકાશનાર દીવો છે. તે સિવાય પુણ્ય-પાપના વિકલ્પ કાંઈ પરમાત્માને પ્રકાશનાર નથી. વાણીનો યોગ તે વિકલ્પ છે અને તે પણ કાંઈ આત્માને પ્રકાશવામાં કારણ નથી એમ કહે છે. જુઓ, વચનગુમિમાં આ વાત કરી કે ગમે તેવો સ્વાધ્યાય કે ઉપદેશ આપે તો પણ તે વિકલ્પ છે. જ્યારે આત્મામાં જોડાણ કરવું તે પરમાત્માને પ્રકાશના યોગ છે, કે જેને અહીં શાંતિ અને સમાધિ કહે છે.