SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા – ૬૩] [૧૨૫ છે. હું આધારની ગાથા ઉપરનું પ્રવચન છે. નોકર્મ-આહાર, કર્મ-આહાર, લેપ-આહાર, કવલ-આહાર, ઓજ-આહાર અને મન-આહાર–એમ આહાર ક્રમશઃ છ પ્રકારનો જાણવો.” (૧) નોકર્મ-આહાર એટલે સાધારણ રજકણ આવે તે. (૨) કર્મ-આહાર એટલે આઠ કર્મના રજકણ આવે તે. (૩) લેપ-આહાર એટલે શરીરની ઉપર ચોપડે તે. (૪) કવલ-આહાર એટલે કોળીયારૂપ આહાર, (૫) ઓજ-આહાર એટલે પંખી પોતાના બચ્ચાને પોષે તે. (૬) મન-આહાર એટલે દેવને આહારની ઈચ્છા થાય છે. દેવને મન-આહાર હોય ‘- અશુદ્ધ જીવોના વિભાવધર્મ વિષે વ્યવહારનયનું આ (અવતરણ કરેલી ગાથામાં) ઉદાહરણ છે.” - આ, વ્યવહારે અશુદ્ધ જીવની વ્યાખ્યા કરી. છે. આધારની ગાથા ઉપરનું પ્રવચન કર્યું હવે (શ્રી પ્રવચનસારની ૨૨૭ મી ગાથા દ્વારા) નિશ્ચયનું ઉદાહરણ કહેવામાં આવે છે. તે આ પ્રમાણે’ : લ્યો, હવે નિશ્ચય સમિતિની વાત કરે છે. જેનો આત્મા એષણારહિત છે (અર્થાત જે અનશનસ્વભાવી આત્માને જાણતો હોવાને લીધે સ્વભાવથી આહારની ઈચ્છા રહિત છે) તેને તે પણ તપ છે.” આહાર તો પુદ્ગલ-જડ છે. તેથી આહાર લેવો કે છોડવો એ જડની ક્રિયા છે. તે ક્રિયા આત્મામાં નથી. ભગવાન આત્મા આહારની ઈચ્છા અને આહાર વિનાનો છે. અર્થાત્ આત્મા અશનસ્વભાવી નથી, પણ અનશનસ્વભાવી છે અને આવું અશન
SR No.008281
Book TitlePravachana Ratna Chintamani 3
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year2005
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy