________________
ગાથા – ૬૩]
[૧૨૫
છે. હું આધારની ગાથા ઉપરનું પ્રવચન છે. નોકર્મ-આહાર, કર્મ-આહાર, લેપ-આહાર, કવલ-આહાર, ઓજ-આહાર અને મન-આહાર–એમ આહાર ક્રમશઃ છ પ્રકારનો જાણવો.”
(૧) નોકર્મ-આહાર એટલે સાધારણ રજકણ આવે તે. (૨) કર્મ-આહાર એટલે આઠ કર્મના રજકણ આવે તે. (૩) લેપ-આહાર એટલે શરીરની ઉપર ચોપડે તે. (૪) કવલ-આહાર એટલે કોળીયારૂપ આહાર, (૫) ઓજ-આહાર એટલે પંખી પોતાના બચ્ચાને પોષે તે. (૬) મન-આહાર એટલે દેવને આહારની ઈચ્છા થાય છે. દેવને મન-આહાર હોય
‘- અશુદ્ધ જીવોના વિભાવધર્મ વિષે વ્યવહારનયનું આ (અવતરણ કરેલી ગાથામાં) ઉદાહરણ છે.”
- આ, વ્યવહારે અશુદ્ધ જીવની વ્યાખ્યા કરી.
છે. આધારની ગાથા ઉપરનું પ્રવચન કર્યું હવે (શ્રી પ્રવચનસારની ૨૨૭ મી ગાથા દ્વારા) નિશ્ચયનું ઉદાહરણ કહેવામાં આવે છે. તે આ પ્રમાણે’ :
લ્યો, હવે નિશ્ચય સમિતિની વાત કરે છે.
જેનો આત્મા એષણારહિત છે (અર્થાત જે અનશનસ્વભાવી આત્માને જાણતો હોવાને લીધે સ્વભાવથી આહારની ઈચ્છા રહિત છે) તેને તે પણ તપ છે.”
આહાર તો પુદ્ગલ-જડ છે. તેથી આહાર લેવો કે છોડવો એ જડની ક્રિયા છે. તે ક્રિયા આત્મામાં નથી. ભગવાન આત્મા આહારની ઈચ્છા અને આહાર વિનાનો છે. અર્થાત્ આત્મા અશનસ્વભાવી નથી, પણ અનશનસ્વભાવી છે અને આવું અશન