________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬O
[નિયમસાર પ્રવચન કીધું? આ દેવ-ગુરુ-શાસ્ત્રની ભેદરૂપ શ્રદ્ધા અને વ્રતાદિનો જે વિકલ્પ છે તે અનાત્મા છે, તે કાંઈ આત્મા નથી, જ્યારે આ શુદ્ધ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર આત્મા છે એમ અહીં કહે છે. સમજાય છે કાંઈ...?
“અને શીલ (ચારિત્ર) પણ બીજું નથી.”
જોયું ચારિત્રને અહીં શીલ કહ્યું છે અહાહા...! ભગવાન આત્મા શીલસ્વરૂપ જ છે, અર્થાત્ ચારિત્ર તેનો સ્વભાવ જ છે; અહીં કહે છે-તેમાં (આત્મામાં) રમણતાથી પરિણતિમાં જે ચારિત્ર પ્રગટ થયું તે પણ આત્મા જ છે; તે ચારિત્ર કાંઈ આત્માથી જુદી ચીજ નથી. અહા ! જ્ઞાનાનંદનો સાગર પ્રભુ આત્મા છે, ને તેમાં જે રમણતા થાય તે ચારિત્ર છે; આ ચારિત્ર કાંઈ બીજું નથી, આત્મા જ છે. જ્યારે વ્યવહારનો વિકલ્પ તો આત્માથી જુદી ચીજ છે, અનાત્મા છે. વ્યવહાર રત્નત્રયનો-પાંચ મહાવ્રતાદિનો જે વિકલ્પ છે એ આત્માથી જુદી ચીજ છે; પણ આ ચારિત્ર કાંઈ આત્માથી જુદી ચીજ નથી એમ સિદ્ધ કરે છે.
અહા ! લોકોને ક્રિયાકાંડીઓને આવું સમજવું આકરું પડે છે. એટલે એમ માની લીધું છે કે ભગવાનની સેવા-ભક્તિ કરવી, દાન આપવાં, શાસ્ત્ર ભણવાં ને શરીરથી શીયળ પાળવું એ કરવાનું કામ છે. પણ અહીં કહે છે–આત્મા પોતે અખંડાનંદ પ્રભુ ધ્રુવ ચૈતન્યસ્વરૂપ છે, ને તેમાં એકાગ્ર-લીન થવું તે કરવાયોગ્ય કામ છે. તે ચારિત્ર છે. અને તે આત્માથી જદી ચીજ નથી. આત્મા જ છે.
વળી કોઈ તો અજ્ઞાનીઓ રળવા-કમાવામાં વેપાર-ધંધામાં ગળાડૂબ મશગુલ થઈ ગયા છે. પણ ભાઈ, બહારનું બધું તો એના કારણે આવે છે ને જાય છે, તથા એના કારણે બદલે છે. હવે વ્યવહાર રત્નત્રયનો વિકલ્પ પણ આત્મા નથી તો પછી બહારની ચીજનું તો શું કહેવું? એ તો ક્ય સંય દૂર રહી ગઈ. તારાં તો ભગવાન! તારું દર્શન, તારું જ્ઞાન, ને તારું ચારિત્ર છે,-એ તું છો, કેમકે તારાથી એ કોઈ જુદી ચીજ નથી. એ (શુદ્ધરત્નત્રય) સિવાય બીજું બધુંય અનાત્મા છે, તારાથી જુદું છે.
આમ કોણે કહ્યું છે? તો કહે છે
આ, મોક્ષને પામનારાઓએ (અહંતભગવંતોએ) કહ્યું છે. અહા ! જેને અહંતપદે પરમાનંદસ્વરૂપ મોક્ષ મળ્યો છે તેમણે આ કહ્યું છે. “મોક્ષને પામનારાઓએ' નો અર્થ “અહંતભગવંતોએ” કેમ કર્યો? કેમકે “આ કહ્યું છે”-એમ કહેવું છે ને? તો જેને વાણી હોય તે કહે ને? (માટે “મોક્ષને પામનારાઓએ” નો અર્થ સિદ્ધ ભગવંતોએ એમ ન કરતાં, “અહંતભગવંતોએ”—એમ કર્યો છે) ભગવાન અહંત ભાવમોક્ષને પામેલા છે. ભલે ચાર અઘાતિકર્મ બાકી હો, તોપણ પરમાનંદને પામેલા છે ને એવા અહંતભગવંતોએ આ કહ્યું છે.
હવે કહે છે-“આ જાણીને જે જીવ માતાના ઉદરમાં ફરીને આવતો નથી, તે ભવ્ય છે.”
અહા! આઠ-આઠ વર્ષના રાજકુમારો દીક્ષા લેવા માટે માતા પાસે રજા માગે છે ત્યારે કહે છે-હે માતા! આ જગતમાં રહેલી જગતની કોઈ ચીજ અપ્રાપ્ત રહી નથી, અનંતવાર બધીય ચીજો મળી છે. માટે માતા! આજે જ અમે અપૂર્વ એવા આત્માના ચારિત્રને અંગીકાર કરીશું, જેને અંગીકાર કરીને અમે ફરીને બીજી માતા નહિ કરીએ. માટે માતા ! હે જનેતા ! રજા દે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com