________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૩]
૪૫ કે કારણનિયમમાં નહીં, પણ તેની ઉપર પર્યાયમાં પર્યાયનું કરવું). વળી કાર્યનિયમ “પ્રયોજનસ્વરૂપ છે. આમ બે અર્થ કીધા છે. જુઓ, અંદર પાઠમાં છે કે “નિશ્ચયેન યત્ વાર્ય પ્રયોગ સ્વરુપ' અર્થાત્ કાર્યનિયમ એટલે નિયમથી જે કરવાયોગ્ય છે તે અર્થાત્ પ્રયોજનસ્વરૂપ. અહાહા..! પ્રયોજન તો દ્રવ્યનો આશ્રય લેવો તે છે. અહા ! એમ કરતાં જે પર્યાય પ્રગટ થઈ તે પ્રયોજનસ્વરૂપ છે એમ અહીં સિદ્ધ કરવું છે. કાર્યનિયમ પ્રયોજન સ્વરૂપ છે.
અહા! ભગવાન આત્મા વસ્તુ છે તે ત્રિકાળ અસ્તિ-સત્તાવાળો-ભાવવાળો પદાર્થ છે. અને એવા ત્રિકાળી ભાવમાં-ધ્રુવભાવમાં સ્થિત શુદ્ધજ્ઞાનચેતના પણ ત્રિકાળ ધ્રુવભાવમય છે. અહા! આવા ત્રિકાળી શુદ્ધ એક જ્ઞાયકભાવની-જ્ઞાનમાત્રભાવની સન્મુખ થઈને તેનો જેણે સ્વીકાર કર્યો તેને, કહે છે, નિશ્ચયથી કરવાયોગ્ય કાર્ય થયું એટલે કે તે પ્રયોજનસ્વરૂપ થયું. આવી ઝીણી વાત!
અહાહા....! કહે છે-નિયમ (-કાર્યનિયમ ) એટલે નિશ્ચયથી જે કરવાયોગ્ય-પ્રયોજનસ્વરૂપ-હોય તે અર્થાત્ જ્ઞાનદર્શનચારિત્ર' . લ્યો, અહીં પહેલાં જ્ઞાનથી ઉપાડ્યું છે; કેમકે આ ચીજમાંથી (આત્મામાંથી) તેનો વેપાર થઈને જ્ઞાન ન આવે ત્યાંસુધી શ્રદ્ધાન કેવું? અહા ! જ્ઞાનમાં “આ ચીજ હું છું’ એમ ભાન ન થાય ત્યાંસુધી “આ આત્મશ્રદ્ધાન”—એમ કહેવું કોને ?
અહાહા...! અહીં કહે છે-આ જ્ઞાનદર્શનચારિત્ર તે નિશ્ચયથી કરવાયોગ્ય કાર્ય છે અર્થાત્ તે આત્માને પ્રયોજનસ્વરૂપ છે. ભાઈ, આ બધાં જગતનાં કાર્ય થાય તેને હું કરું છું એવી માન્યતા અપ્રયોજનસ્વરૂપ છે, કેમકે તે અજ્ઞાનમય છે, આત્માને દુ:ખદાયી છે, પાખંડ છે તે પ્રયોજનસ્વરૂપમાં બાધક છે. વળી પુણ્ય-પાપના ભાવ જે થાય તેય અપ્રયોજનસ્વરૂપ કાર્ય છે, કેમકે તે દુ:ખદાયક છે.
જીવને આનંદ જોઈએ છે ને? તો આ કાર્યનિયમ આનંદદાયક-સુખદાયક છે એમ કહે છે. અહા ! આનંદનું પ્રગટવું એ પ્રયોજનભૂત છે અને એ એનું નિયમરૂપ કાર્ય છે. અહાહા....! અતીન્દ્રિય આનંદનો આસ્વાદ દેનારી આલ્હાદરૂપ પર્યાય જીવને પ્રયોજન સ્વરૂપ છે. કેમકે જીવનું પ્રયોજન સુખ છે, અને તેથી અતીન્દ્રિય સુખમય પરિણમન થાય તે તેને પ્રયોજન સ્વરૂપ છે. આવું સુખમય પરિણમન એ સમ્યજ્ઞાનદર્શનચારિત્રરૂપ છે. માટે અનાકુળ આનંદને દેનારી સમ્યજ્ઞાનદર્શનચારિત્રની પર્યાય પ્રયોજનસ્વરૂપ છે ને નિશ્ચયથી કરવાયોગ્ય છે. સમજાણું કાંઈ....?
અહા! આ તો વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વરનો માર્ગ છે બાપા! આવે છે ને કેહરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનાં કામ જો ને!'
અહા ! પાવૈયા-હીજડા આ માર્ગમાં ઊભા ન રહે, એ તો પાછા ફરી જાય. તેથી હું વીરપુરુષ! તારી વીરતા આ છે કે કરવાયોગ્ય પ્રયોજન સ્વરૂપ પરિણતિના કાર્યને કર-એમ કહે છે. પહેલે ધડાકે જ આ વાત ઉપાડી છે. કહે છે-ભગવાન! તું પૂર્ણ છો ને પ્રભુ! અહાહા..! અમે આ જે કાર્યનિમય કહીએ છીએ તેના ઉત્પાદનું અક્ષય સ્થાન–ક્ષેત્ર-ધામ તું છો ને! અહાહા...! જેમાંથી પ્રયોજન સ્વરૂપ કાર્ય કરવું છે તે કારણપણે અંદર પૂર્ણ સ્વરૂપે પડ્યો છો. (તેમાં એકાગ્રતા કરી લીન થા, તો પ્રયોજન સ્વરૂપ જ્ઞાનદર્શનચારિત્રરૂપ કાર્ય પ્રગટ થશે.) અહા ! આવી અલૌકિક વાત છે ધર્મની !
Please inform us of any errors on rajesh@AtmaDharma.com