________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૩૩]
દ્રવ્યો કહ્યાં છે. તો, કહે છે
૩૮૩
આવું ‘ ષટદ્રવ્યવિવરણ ભવ્ય જીવને સર્વદા ભવવિમુક્તિનું કારણ હો.'
અહા ! છ દ્રવ્યનું વાસ્તવિક જ્ઞાન કરીને જે સ્વભાવ તરફ ઢળે છે તેને તે જ્ઞાન ભવમુક્તિનું કારણ થાય છે.
અહા! છ દ્રવ્ય છે ને? તો તેમાંથી એક પણ દ્રવ્યને જો કોઈ ઓછું માને તો તેણે પર્યાયના સામર્થ્યને માન્યું નથી, પર્યાયને જ માની નથી. અને જો પર્યાયને માની નથી તો દ્રવ્યને પણ ક્યાંથી માને ? એ તો ભાઈ ! પર્યાયમાં આવું સામર્થ્ય છે એમ જાણીને દ્રવ્યનો આશ્રય કરે તો તેને ધર્મ થાય. બહુ ઝીણી વાત ભાઈ! કોઈને એમ થાય કે આના કરતાં તો એકેન્દ્રિય ને બે-ઈન્દ્રિય આદિની દયા પાળવી કે બીજું કરવું એ સહેલું સટ છે. આવે છે ને કે
‘દયા તે સુખની વેલડી, દયા તે સુખની ખાણ;
અનંત જીવ મુક્તિ ગયા, દયા તણા પરિણામ.’
હવે આવું કહો તો બધાને સમજાય પણ ખરું. લ્યો, અજ્ઞાની આમ કહે છે.
પણ ભાઈ! અનંત જીવ શાનાથી મુક્તિ ગયા ? સ્વદયાથી કે પદયાથી ? સ્વદયાથી હોં. બીજાને બચાવવાનો ભાવ એ પદયા છે, અને એ તો રાગ છે, ધર્મ નહિ. અરે! સંપ્રદાયમાં તો પરદયાની જ વાત છે! વાંધા જ આ છે ને? જ્યાં જ્યાં શાસ્ત્રમાં દયાની વાત આવે ત્યાં દયા એટલે પરદયા, અને પદયા એટલે જ ધર્મ, બસ. લ્યો, અજ્ઞાની આમ કહે છે. પણ ભાઈ ! દયાના બે પ્રકાર છે.
પ્રશ્ન: પણ બે પ્રકાર કરો છો શું કરવા ?
સમાધાનઃ શાસ્ત્રમાં આવે છે એટલે. નિશ્ચયનયથી દયા ( સ્વદયા ) અને વ્યવહારનયથી દયા (પરદયા )–એવાબે પ્રકાર છે.
પ્રશ્નઃ નિશ્ચય-વ્યવહાર એવા ભેદ શા માટે કરો છો?
સમાધાનઃ બે નય છે માટે કરીએ છીએ. નિશ્ચયદયા એટલે ભગવાન આત્મા કે જે અંદર રાગ ને વિકલ્પ વિનાનો નિર્વિકલ્પ પ્રભુ તેનાં શ્રદ્ધા, જ્ઞાન ને રમણતાં. અને એ જ સાચી દયા છે; કે જેનાથી સંસારથી મુક્તિ થઈને સિદ્ધ થવાય છે. અહા! સ્વદયા એ જ સાચી દયા છે. બાકી પરની દયાનો ભાવ તો વિકલ્પ, રાગ છે; અને તેમાં ખરેખર તો પોતાની હિંસા છે.
-એ ગાથા ૩૩ પૂરી થઈ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com