________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૮૨
[ નિયમસાર પ્રવચન ગાથા ૩૩: ટીકા ઉપરનું પ્રવચન: આ, કાળાદિ શુદ્ધ અમૂર્ત અચેતન દ્રવ્યોના સ્વભાવગુણપર્યાયોનું કથન છે.” જુઓ, કાળાદિ અમૂર્ત અચેતન દ્રવ્યોને સ્વભાવગુણો ને સ્વભાવપર્યાયો જ હોય છે. તેમાં,
“મુખ્યકાળદ્રવ્ય જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ અને આકાશની (-પાંચ અસ્તિકાયોની) પર્યાયપરિણતિનો હેતુ હોવાથી...”
શું કીધું? કાળદ્રવ્ય પાંચે અસ્તિકાયોની પર્યાયપરિણતિનો હેતુ છે. તેથી, “તેનું લિંગ પરિવર્તન છે (અર્થાત્ કાળદ્રવ્યનું લક્ષણ વર્તનાહેતુત્વ છે) એમ અહીં કહ્યું છે.'
“પર્યાયપરિણતિનો હેતુ”-એમ ભાષા છે ને? તો તેનો અર્થ એ છે કે જે વર્લે (પરિણમે) છે તેને નિમિત્ત કાળદ્રવ્ય છે, અને તેથી તેનું લક્ષણ વર્તનાહેતુત્વ છે. અહા ! પર્યાયપરિણતિનો હેતુ છે એટલે કે જીવની, પુદ્ગલની, ધર્મની, અધર્મની અને આકાશની અવસ્થા-પર્યાય પરિણમે છે. તેનો હેતુ કાળદ્રવ્ય છે; અને તેથી તેનું લિંગ પરિવર્તન છે. અર્થાત્ કાળનું લક્ષણ વર્તનાહેતુત્વ છે-એમ તેનો અર્થ છે.
હવે (બીજી વાત એ કે, ધર્મ, અધર્મ, આકાશ અને કાળને સ્વજાતીય કે વિજાતીય બંધનો સંબંધ નહિ હોવાથી.'
લ્યો, ધર્મ, અધર્મ, આકાશ અને કાળને સ્વજાતીય સાથે સંબંધ નથી અને (વિજાતિય) પરની સાથે પણ કાંઈ સંબંધ નથી. અરે, પરમાણુની સાથે પણ સંબંધ નથી-એમ કહે છે.
માટે, “તેમને વિભાવગુણપર્યાયો હોતા નથી. પરંતુ સ્વભાવગુણપર્યાયો હોય છે-એમ અર્થ છે.'
જુઓ, સજાતીય સાથે કે વિજાતીય પર સાથે સંબંધ નહિ હોવાથી ધર્મ, અધર્મ, આકાશ ને કાળને વિભાવગુણપર્યાયો હોતા નથી. પણ તેમના બધા જ ગુણ ને પર્યાયો અનાદિથી શુદ્ધ સ્વભાવિક હોય છે. લ્યો, એમ અર્થ છે.
તે સ્વભાવગુણપર્યાયોનું પૂર્વે પ્રતિપાદન કરવામાં આવ્યું છે તેથી જ અહીં સંક્ષેપથી સૂચન કરવામાં આવ્યું છે.'
શ્લોક ૫૦: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન: એ રીતે ભવ્યોનાં કર્ણોને અમૃત એવું..”
અહા! ભવ્ય જીવોને આવાં છ દ્રવ્યો છે એ વાત કાન દ્વારા શ્રવણમાં આવે તે અમૃત છે એમ કહે છે. અર્થાત્ લાયક પ્રાણીને આ છ દ્રવ્યોની પ્રતીતિ થાય છે એમ કહે છે. તો,
એવું જે છ દ્રવ્યોનું અતિ રમ્ય દેદીપ્યમાન (સ્પષ્ટ) વિવરણ વિસ્તારથી કરવામાં આવ્યું, તે જિનમુનિઓના ચિત્તને પ્રમોદ દેનારું...'
લ્યો, આ છ દ્રવ્યોનું વિવરણ વીતરાગી દષ્ટિવંત ને વીતરાગી ચારિત્રવંત એવા મુનિઓના ચિત્તને પ્રમોદ દેનારું છે. એટલે કે તેમને એ જાતનો વિકલ્પ હોય છે કે અહો! ભગવાને આવી છે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com