________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[નિયમસાર પ્રવચન
૩૫૪
અજ્ઞાની (કુગુરુ) તો કહે છે કે-અમારી ભક્તિ કરો તો તમારું કલ્યાણ થઈ જશે, અમને માનો તો કલ્યાણ થશે. પણ અહીંયાં વીતરાગ પ્રભુ તેની ના પાડે છે. વીતરાગ પ્રભુ તો એમ કહે છે કે–અમને માનો તોય તમને રાગ છે. તમે તમારા ચૈતન્યસ્વભાવની સામું જોઈને બસ તેમાં જ એકાગ્ર થાઓ તે ધર્મ છે, ને તે મુક્તિનો ઉપાય છે. ગજબ વાત છે ભાઈ !
–એ ૨૭મી ગાથા પુરી થઈ. આ તો આત્માને ભાવવાની વાત આવી એટલે થોડું વધારે સ્પષ્ટ કર્યું. જો કે આમાં છે તો પુદ્દગલની વ્યાખ્યા, છતાં તેમાં આત્માની વાત તો નાખે જ ને? હવે ગાથા ૨૮.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com