________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-ર૭]
૩૫૧ “આમ નિજ હૃદયમાં માનીને પરમ સુખપદનો અર્થી...' અહા! જેને આત્માનો અનાકુળ આનંદ જોઈએ છે તે “ભવ્યસમૂહું શુદ્ધ આત્માને એકને ભાવે.' આમાં હજી ઘણો મર્મ ભર્યો છે હોં. આનો અર્થ (ભાવ) ઘણો લાંબો (ઊંડો) છે.
એ શું કીધું?
અહા! અહીં એમ કહે છે કે જે આ એક-એક રજકણ-પરમાણુ-માટી છે તે તેના શક્તિ-ગુણમાં રહેલા છે, પરંતુ તે આત્મામાં રહેલા નથી. તેથી, અમે તો; જડ એના ગુણમાં રહેલા છે તેમ જાણીને અમારા ગુણમાં રહેશું. અહા ! અમે તો ભગવાન આત્મા છીએ કે જેમાં જ્ઞાન, આનંદ ને શાંતિ ભર્યા છે. અહા ! એ રજકણો તેની શક્તિમાં ને તેની દશામાં રહ્યા છે, પણ તેથી અમારી કાંઈ કાર્યસિદ્ધિ નથી. અમે અમારા ગુણમાં રહીએ તે અમારી કાર્યસિદ્ધિ છે. ઝીણી વાત છે ભાઈ ! અરે! એણે તત્ત્વની વાત કોઈ દિ' સાંભળી નથી !
જુઓ, “સુખપદનો અર્થી' એમ કહ્યું છે. એટલે શું? કે આત્મા કે જે સચ્ચિદાનંદસ્વરૂપ છે તેના આનંદનો અર્થી. સચ્ચિદાનંદ = સત્ + ચિદ્ + = શાશ્વત જ્ઞાન ને આનંદ. અહાહા....! શાશ્વત જ્ઞાન ને આનંદમય તેનું રૂપ છે. તો એવા આનંદનો જે અર્થી છે એવો ભવ્યસમૂહ, અહીં કહે છે, શુદ્ધ આત્માને એકને ભાવે. ભાષા જુઓ! અહા ! દેવ-ગુરુ કે શાસ્ત્રને તે ભાવે એમ પણ નહિ એમ કહે છે. કારણ કે દેવ-ગુરુ-શાસ્ત્રની ભાવના કરે ને તેમની ભક્તિ આદિ કરે એ તો બધો શુભરાગ છે, પુણ્ય છે. પરંતુ એ ધર્મ નથી; તેમ જ એ પુણ્ય કરતાં કરતાં ધર્મ થાય એમ પણ નથી. ભારે વાતુ ભાઈ !
ભગવાન આત્મા આનંદ ગુણવાળો છે. જેમ પરમાણુ સ્પર્શ, રસ, ગંધ આદિ ગુણવાળો છે તેમ હું (આત્મા) પણ આનંદ ગુણવાળો છું. અને પરમાણુ જેમ એના જડ ગુણમાં રહ્યા છે.
| મારા આનંદ ગુણમાં રહું, ને તેમાં મારી કાર્યસિદ્ધિ છે. આમ પરમ સુખપદનો અર્થી નિજ શદ્ધાત્માને એકને ભાવે છે.
અહા! ભગવાન આત્મા અતીન્દ્રિય આનંદની મૂર્તિ છે. આત્માનું સ્વરૂપ જ એ છે. અહાહા....! સ્વરૂપથી જ અતીન્દ્રિય આનંદમય આત્મા છે. તો એવા “સુખપદનો અર્થી ભવ્યસમૂહ.' જોયું? સમૂહ કહીને ભવ્ય જીવ ઘણા છે, ભવ્ય જીવોનું ટોળું છે એમ કહે છે. અહા ! તે ભવ્યોનું ટોળું અર્થાત્ બધા ભવ્ય જીવો શુદ્ધાત્માને એકને ભાવે એમ કહે છે.
અહાહા..! ભવ્યસમૂહ-જે લાયક જીવો છે તે, શુદ્ધાત્માને એટલે કે હું પરમાનંદમય પ્રભુ ધ્રુવ ચૈતન્ય આનંદસ્વરૂપ છું એમ આત્માને એકને ભજે. જુઓ, તે એકની જ સેવા કરે, પણ પરની નહિ-એમ અહીં કહે છે. કેમકે દેવ-ગુરુ-શાસ્ત્રની ભક્તિથી કાંઈ કલ્યાણ નથી. તથા આ દયા, દાન, વ્રત આદિનો રાગ થાય છે તેનાથી પણ કલ્યાણ નથી. તેમ જ આ એક સમયની વર્તમાન દશાને ભજવાથી પણ કલ્યાણ નથી.
ભાઈ ! અહીંયાં તો આત્માની વાત છે. આ આત્મા અંદર પ્રભુ છે, સચ્ચિદાનંદની મૂર્તિ છે. તેનામાં અનંત-અનંત શક્તિઓ છે. અહા ! તે અનંત અતીન્દ્રિય આનંદથી લબાલબ (ભરપૂર) ભરેલો છે. તો એવા શુદ્ધાત્માને એકને જ ભવ્યસમૂહું ભજે. જુઓ, પાછું “શુદ્ધાત્માને એકને ભાવે '—એમ કહે છે. (અર્થાત્ અન્યને નહિ). લ્યો, આ વાત છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com