________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-ર૭]
૩૪૯ પ્રશ્નઃ તો પછી આ શાસ્ત્ર સાંભળો, ને બીજું ન સાંભળો, કુશાસ્ત્ર ન સાંભળવાં, ને સુશાસ્ત્ર સાંભળવા-એમ જે આવે છે તેનો અર્થ શું છે?
સમાધાનઃ એ વાત વ્યવહારે છે. સુશાસ્ત્ર સાંભળવામાં શુભરાગ-વિકલ્પ હોય છે તે અપેક્ષાએ એ વાત છે. બાકી સુશાસ્ત્ર સાંભળે ને વાંચે તોપણ તે શુભરાગ છે, પુણ્યભાવ છે, પણ ધર્મ નથી. અહા ! તેનો અર્થ એમ છે કે સુશાસ્ત્ર સાંભળવામાં જે વિકલ્પ આવે છે તે પ્રશસ્ત રાગ છે, ને તે હોય છે, પણ તે ધર્મ નથી. આમ વાત છે.
પ્રશ્ન: સુશાસ્ત્ર પોતાની મેળે થોડાં બન્યાં છે?
સમાધાન: ભાઈ ! શાસ્ત્ર તો જડ છે, અને તેથી જડથી–પોતાથી જ થયાં છે. શાસ્ત્ર, શાસ્ત્રથીજડથી થયાં છે, પણ આત્માથી નહીં.
પ્રશ્નઃ વાણી શું નિમિત્ત નથી?
સમાધાન: ભાઈ ! વાણી જડ છે, અને આ શાસ્ત્ર પણ જડ-પુદ્ગલ છે. આ ક્યાં આત્મા છે? આ જે વાણી-અવાજ ઊઠે છે તે જડ છે. એટલે કે અવાજ તો પુદ્ગલ છે, પણ આત્મા નહીં; કેમકે આત્મા તો એનાથી ભિન્ન છે. અહા! ભગવાન શું કહે છે, અને વસ્તુની સ્થિતિ શું છે એની કાંઈ ખબર ન મળે એટલે અજ્ઞાની તો, આપણે ભક્તિ કરો ને દાન આપો જેથી ભગવાન કાંઈક આપી દેશે, ને ગુરુ કાંઈક આપી દેશે, ને આપણું કલ્યાણ થઈ જશે એમ માને છે. પણ ભાઈ ! એમાં તો ધૂળેય કલ્યાણ નહિ થાય, તારો એકેય ભવ નહિ ઘટે. લાખ-કરોડ રૂપિયા દાનમાં આપે, અને સેંકડો વર્ષ સુધી ભક્તિ કરીને મરી જાય તોપણ એકેય ભવ નહિ ઘટે, પણ અનંતા ભવ ઊભા રહેશે એમ અહીં કહે છે. કારણ કે પરની ભક્તિથી ને પરથી મને લાભ થાય છે એ માન્યતા જ મિથ્યાભાવ છે.
રાત્રે પ્રશ્ન થયો હતો ને કે અહીં પરમાણુને શુદ્ધ કહ્યો છે તો તે એકલું દ્રવ્ય છે માટે તેને શુદ્ધ કહ્યો છે ને?
ભાઈ ! અહીંયાં મૂળ તો ગુણ-પર્યાયવાળું પરમાણુ દ્રવ્ય લીધું છે, અને તેને શુદ્ધ પરમાણુ કહ્યો છે. કેમકે પરમાણુને સ્વતંત્ર દ્રવ્ય સિદ્ધ કરવું છે ને? પંચાસ્તિકાયમાં પણ કહ્યું છે ને કે-“આ, પરમાણુદ્રવ્યમાં ગુણ-પર્યાય વર્તવાનું કથન છે.” (ગાથા ૮૧). એટલે કે આ એકલા દ્રવ્યની (ધ્રુવની) વાત નથી. પણ ભાઈ ! દ્રવ્ય-ગુણ-પર્યાયની–ત્રણેયની વાત છે. જુઓ, અંદર જ છે કે-ગુણ-પર્યાય વર્તવાનું કથન છે.” “અને સ્નિગ્ધ-રુક્ષત્વના કારણે બંધ થવાને લીધે અનેક પરમાણુઓની એત્વપરિણતિરૂપ સ્કંધની અંદર રહ્યો હોય તોપણ સ્વભાવને નહિ છોડતો થકો, સંખ્યાને પ્રાપ્ત હોવાથી (અર્થાત્ પરિપૂર્ણ એક તરીકે જુદો ગણતરીમાં આવતો હોવાથી) એકલો દ્રવ્ય છે.' (ગા. ૮૧).
“વળી માર્ગપ્રકાશમાં (શ્લોક દ્વારા) કહ્યું છે કે:-' “પરમાણુને...' અહહા! પરમાણુ એટલે એક રજકણ-પોઈન્ટ, અને તે પણ એક સ્વતંત્ર વસ્તુ છે. તેને...
આઠ પ્રકારના સ્પર્શીમાંથી છેલ્લા ચાર સ્પર્શોમાંના બે સ્પર્શ, એક વર્ણ, એક ગંધ અને એક રસ સમજવાં, અન્ય નહિ.”
Please inform us of any errors on rajesh@AtmaDharma.com