________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૨૫]
૩૩૧ છૂટો પરમાણુ એ કાર્યપરમાણુ છે. એ છૂટો રહેવાને લાયક થઈ ગયો ને? તો સ્કંધમાંથી છૂટો પડયો એ કાર્યપરમાણુ છે; અને સ્કંધનું કારણ થાય તે કારણપરમાણુ છે. જુઓ, આ પુદ્ગલની વિવિધતાનું વર્ણન! અહા ! આવું વર્ણન સર્વજ્ઞ સિવાય બીજે ક્યાંય હોઈ શકે જ નહિ.
‘(આમ) અણુઓના (-પરમાણુઓના) ચાર ભેદ છેઃ કાર્ય, કારણ, જઘન્ય ને ઉત્કૃષ્ટ. તે પરમાણુદ્રવ્ય સ્વરૂપમાં સ્થિત હોવાથી તેને વિભાવનો અભાવ છે.”
કહે છે તેને વિભાવનો અભાવ છે. કોને? કે પરમાણુને. કેમકે પરમાણુ તો પોતાના સ્વરૂપમાં છે. અને તેને વિભાવ નથી, અર્થાત્ બે પરમાણમાં જોડાણ નથી. તેથી વિભાવનો તેમાં અભાવ છે.
માટે (તેને) પરમ સ્વભાવ છે.'-પરમાણુને પરમ સ્વભાવ છે. તો, અહીં-સ્કંધનું જે કારણ થાય તેને કારણપરમાણુ કહ્યો. -સ્કંધમાંથી છૂટાં પડતાં પડતાં જે (અંતિમ ભાગ રહે તેને કાર્યપરમાણુ કહ્યો. -સ્કંધમાં જોડાવાનું કામ કરે તેને ઉત્કૃષ્ટ પરમાણુ કહ્યો. અર્થાત્ સ્કંધ થવાને લાયક ચિકાશાદિ જેને
છે તે ઉત્કૃષ્ટ પરમાણુ છે –જે સ્કંધ થવાને લાયક નથી તેને જઘન્ય પરમાણુ કહ્યો.
અહા! આ વાત શ્વેતાંબરમાંય ક્યાંય છે નહિ. પુદ્ગલની આ પ્રકારની વાત બીજે ક્યાંય છે જ નહિ. આમાં તો સનાતન આખી વાત જ જુદી છે.
અહા ! પરમાણુ સ્કંધનું કારણ છે તેથી એ કારણપરમાણુ છે તથા એ જ પરમાણુને બે વાત લાગુ પડે છે. ટીકામાં પણ એમ જ છે ને કે-“તે જ (પરમાણુ ) .અર્થાત્ જે આ એક પરમાણુ-રજકણ-પોઈન્ટ છે તેને જ જઘન્ય ને ઉત્કૃષ્ટ-એ બે વાત લાગુ પડે છે. જુઓ, આ વસ્તુસ્વભાવ! અહા ! ક્ષેત્ર ભલે નાનું છે, તોપણ તે પરમાણુ દ્રવ્ય છે, અને તેથી તેને કોઈ ક્ષેત્રના મોટપની શી જરૂર છે? તો,
(૧) એક પરમાણુનો એવો સ્વભાવ છે કે તે સ્કંધનું કારણ થાય છે. તેથી તે કારણપરમાણુ છે. (૨) જો તે જ પરમાણુમાં એક ગુણ ચીકાશાદિ હોય તો તે બંધ થવાને અયોગ્ય છે. તેથી તેને
જઘન્ય પરમાણુ કહે છે. (૩) એ જ પરમાણુમાં જ બે, ત્રણ, ચાર, પાંચ વગેરે ગુણ ચીકાશાદિ હોય તો તેને, તે બંધને
યોગ્ય હોવાથી, ઉત્કૃષ્ટ પરમાણુ કહે છે. એ જ પરમાણુનું હોં. જુઓ, આ વસ્તુનો-જડનો
સ્વતઃસ્વભાવ! જો કે એને (પરમાણુને) તો કાંઈ જ ખબર નથી, પણ બધી ખબર
જ્ઞાનસ્વરૂપી આત્માને છે કે પરમાણુમાં આમ થાય છે. (૪) અને સ્કંધના છેલ્લા (અવિભાગી) ટુકડાને, અહા! સ્કંધના ટૂકડાં કરતાં કરતાં જે છેલ્લો
અવિભાગી અંશ-ભાગ રહી જાય તેને કાર્યપરમાણુ કર્યું છે. આમ ચાર પ્રકાર થયા. પ્રશ્ન: તો, આવી વાત બીજે ક્યાંય કેમ નથી?
સમાધાન: કેમકે બીજે (અન્ય મતમાં) સર્વજ્ઞ નથી. તેથી બીજામાં કલ્પનામાત્ર ખોટી જ વાત હોય છે. ખોટામાં તે સાચું ક્યાંથી હોય ?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com