________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮૨
[ નિયમસાર પ્રવચન તદ્દન નિકટવર્તી છે, કેમકે કર્મ તો એક સમય માટે પણ કદી છૂટયાં નથી. જ્યારે દેહાદિ છૂટી જાય છે, ને નવાં આવે છે, તો પણ એ એકક્ષેત્રે નજીક છે. જ્યારે આ બધી ચીજો દૂર ક્ષેત્રે છે તેથી “ઉપચરિત' છે. તો, કહે છે-અજ્ઞાની ઉપચરિત અસદ્દભૂત વ્યવહારથી ઘટ-પટ-શકટાદિનો કર્તા છે. આ મકાન, પુસ્તક, એરોપ્લેન, રોકેટ ઇત્યાદિનો કર્તા અજ્ઞાનીને ઉપચારથી-જૂઠી નિમિત્તદષ્ટિથી-કહેવામાં આવે છે. અર્થાત્ અજ્ઞાનીને ઘડાદિનો કર્તા જૂઠા વ્યવહારથી કહેવામાં આવે છે.
ભાઈ, ખરેખર જીવ ઘટ-પટાદિનો કર્તા છે નહિ. આ વસ્ત્ર મેં બનાવ્યું, ને પુસ્તક મેં બનાવ્યું ને મકાન મેં બનાવ્યું-એમ છે નહિ; પણ એમ અજ્ઞાની જૂઠું માને છે. તો એ ચીજો થવા કાળે અજ્ઞાનીના વિકલ્પને નિમિત્ત જાણીને તેણે એ ચીજો કરી એમ ઉપચારથી કહેવામાં આવે છે, અને તે ઉપચરિત અસદ્દભૂત વ્યવહારનય છે. આવી ભારે વાતુ!
હવે કહે છે-“આમ અશુદ્ધ જીવનું સ્વરૂપ કહ્યું.”
જુઓ, આમાં અશુદ્ધ જીવની જ વ્યાખ્યા છે એમ કહે છે. અશુદ્ધ જીવ નામ સંસારી અજ્ઞાની મિથ્યાદષ્ટિ જીવની આમાં વ્યાખ્યા છે. સમજાણું કાંઈ....?
શ્લોક ૩૦: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન સકળ મોહરાગદ્વૈષવાળો જે કોઈ પુરુષ પરમ ગુરુના ચરણકમળયુગલની સેવાના પ્રસાદથી....'
અાહા...કહે છે-ભલે એ મિથ્યાત્વ ને રાગદ્વેષ હો, તોપણ એવો પુરુષ પરમ ગુરુના ચરણકમળની સેવાના પ્રસાદથી આત્માનું જ્ઞાન પામી જાય છે, સમ્યજ્ઞાન પામી જાય છે. અહા ! એમ કહીને શું કીધું? કે સંતો-ગુરુવરો એને નિર્વિકલ્પ ચિત્માત્ર સ્વરૂપ આત્માના અનુભવ વડ સઘળું કર્તાપણું ને ભોક્તાપણું છોડી દેવાની રીત બતાવે છે, ને તેને એ અનુસરે છે. સમજાણું કાંઈ....?
પરમ ગુરુના ચરણકમળયુગલની સેવા”—એ તો બહારની વાત થઈ. પણ અંદરમાં એનો અર્થ એવો છે કે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની જે વ્યાખ્યા કરે છે એવા મોક્ષમાર્ગ બતાવનાર ગુરુની એ અંતરમાં પ્રમોદ લાવીને દેશના પ્રાપ્ત કરે છે. શું? કે પ્રભુ! તારો ભગવાન આત્મા ચૈતન્યમૂર્તિ પ્રભુ અંદર નિત્ય પૂર્ણાનંદસ્વરૂપે બિરાજે છે. તો, તું ત્યાં દષ્ટિ કર, તેનું જ્ઞાન કર ને તેમાં સ્થિર થા, તને પરમ આનંદ થશે. જુઓ, આવો પરમ ગુરુનો ઉપદેશ હોય છે હોં, અને તેને તે અંગીકાર કરે છે.
પ્રશ્ન: તો, ગુરુને માનવા તો ખરા ને?
સમાધાન: એ તો એવો વિકલ્પ આવે છે ને હોય છે એટલું જ. પણ અહીં એ નથી કહેવું. અહીં તો વિશેષ એ કહેવું છે કે ગુરુઓનો ઉપદેશ આવો હોય છે. અહા! ગુરુનો ઉપદેશ તો એને કહીએ કે જે આત્મા પ્રતિ નિર્વિકલ્પ શ્રદ્ધા-જ્ઞાન ને સ્થિરતામાં ઢાળે. બાકી વ્રત-તપ-ભક્તિ આદિ પુણ્યના પરિણામ કરો, ને એનાથી પરંપરા લાભ થશે-એમ પુણ્યથી ધર્મ થવાનું બતાવે તે ગુય નહિને એ સાચો ઉપદેશ પણ નહિ એમ કહે છે.
અહાહા...! કહે છે-“પરમ ગુરુના ચરણકમળયુગલની સેવાના પ્રસાદથી..' આ નિમિત્તથી કથન છે હો. એ તો સમયસારમાં (પાંચમી ગાથામાં) પણ કહ્યું છે ને કે-અમારા ગુરુએ મહેરબાની
Please inform us of any errors on rajesh@AtmaDharma.com