________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૬૭. ૨
| [નિયમસાર પ્રવચન - હવે વિસ્તારના ભયને લીધે સંક્ષેપથી કહેતાં, તિર્યંચોના ચૌદ ભેદ છે: (૧-૨) સૂક્ષ્મ એકેંદ્રિય પર્યાપ્ત અને અપર્યાપ્ત, (૩-૪) બાદર એકેંદ્રિય પર્યાપ્ત અને અપર્યાપ્ત, (૫-૬) હીંદ્રિય પર્યાપ્ત અને અપર્યાપ્ત, (૭-૮) ત્રીદ્રિય પર્યાપ્ત અને અપર્યાપ્ત, (૯-૧૦) ચતુરિંદ્રિય પર્યાપ્ત અને અપર્યાપ્ત, (૧૧૧૨) અસંજ્ઞી પંચંદ્રિય પર્યાપ્ત અને અપર્યાપ્ત, (૧૩-૧૪) સંજ્ઞી પંચંદ્રિય પર્યાપ્ત અને અપર્યાપ્ત.
દેવોના ચાર નિકાય (સમૂહ) છે: (૧) ભવનવાસી, (૨) વ્યંતર, (૩) જ્યોતિષ્ક અને (૪) કલ્પવાસી.
આ ચાર ગતિના જીવોના ભેદોના ભેદ લોકવિભાગ નામના પરમાગમમાં જોઈ લેવા. અહીં (આ પરમાગમમાં) આત્મસ્વરૂપના નિરૂપણમાં અંતરાયનો હેતુ થાય તેથી સૂત્રકર્તા પૂર્વાચાર્યમહારાજે (તે વિશેષ ભેદો ) કહ્યા નથી. [ હવે આ બે ગાથાઓની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ બે શ્લોકો કહે છે: ]
(Hવા તા) स्वर्गे वास्मिन्मनुजभुवने खेचरेन्द्रस्य दैवाजयोतिर्लोके फणपतिपुरे नारकाणां निवासे। अन्यस्मिन् वा जिनपतिभवने कर्मणां नोऽस्तु सूतिः
भूयो भूयो भवतु भवतः पादपङ्केजभक्तिः।। २८ ।। [ શ્લોકાર્ચ- ] (હે જિનંદ્ર!) દૈવયોગે હું સ્વર્ગમાં હોઉં, આ મનુષ્યલોકમાં હોઉં, વિદ્યાધરના સ્થાનમાં હોઉં, જ્યોતિષ્ક દેવોના લોકમાં હોઉં, નાગૅદ્રના નગરમાં હોઉં, નારકોના નિવાસમાં હોઉં, જિનપતિના ભવનમાં હોઉં કે અન્ય ગમે તે સ્થળે હોઉં, (પરંતુ ) મને કર્મનો ઉદ્દભવ ન હો, ફરી ફરીને આપના પાદપંકજની ભક્તિ હો. ૨૮.
(શાર્દૂનવિ હિત) नानानूननराधिनाथविभवानाकर्ण्य चालोक्य च त्वं क्लिश्नासि मुधात्र किं जडमते पुण्यार्जितास्ते ननु। तच्छक्तिर्जिननाथपाद कमलद्वन्दार्चनायामियं भक्तिस्ते यदि विद्यते बहुविधा भोगाः स्युरेते त्वयि।।२९।।
[શ્લોકાર્ચ- ] નરાધિપતિઓના અનેકવિધ મહા વૈભવોને સાંભળીને તથા દેખીને, હે જડમતિ, તું અહીં ફોગટ કલેશ કેમ પામે છે! તે વૈભવો ખરેખર પુણ્યથી પ્રાપ્ત થાય છે. તે (પુણ્યોપાર્જનની) શક્તિ જિનનાથના પાદપદ્મયુગલની પૂજામાં છે, જો તને એ જિનપાદપદ્મની ભક્તિ હોય, તો તે બહુવિધ ભોગો તન (આપોઆપ ) હુશે. ૨૯.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com