________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[નિયમસાર પ્રવચન વળી
[શ્લોકાર્ચ- ] ગુણના ધરનાર ગણધરોથી રચાયેલા અને શ્રુતધરોની પરંપરાથી સારી રીતે વ્યક્ત કરાયેલા આ પરમાગમના અર્થસમૂહનું કથન કરવાને અમે મંદબુદ્ધિ તે કોણ? ૫. अपि च
(નુડ્ડમ ) अस्माकं मानसान्युच्चैः प्रेरितानि पुनः पुनः।
परमागमसारस्य रुच्या मांसलयाऽधुना।।६।। તથાપિ
[શ્લોકાર્ચ- ] હમણાં અમારું મન પરમાગમના સારની પુષ્ટ રુચિથી ફરી ફરીને અત્યંત પ્રેરિત થાય છે. [એ રુચિથી પ્રેરિત થવાને લીધે તાત્પર્યવૃત્તિ' નામની આ ટીકા રચાય છે.) ૬.
(અનુણુ ) पंचास्तिकाय षड्द्रव्यसप्ततत्त्वनवार्थकाः।
प्रोक्ताः सूत्रकृता पूर्वं प्रत्याख्यानादिसत्क्रियाः।।७।। अलमलमतिविस्तरेण। स्वस्ति साक्षादस्मै विवरणाय।
[શ્લોકાર્ચ- ] સૂત્રકારે પૂર્વે પાંચ અસ્તિકાય, છ દ્રવ્ય, સાત તત્ત્વ અને નવ પદાર્થ તેમ જ પ્રત્યાખ્યાનાદિ સલ્કિયા કહેલ છે (અર્થાત્ ભગવાન કુંદકુંદાચાર્યદેવે આ શાસ્ત્રમાં પ્રથમ પાંચ અસ્તિકાય વગેરે અને પછી પ્રત્યાખ્યાનાદિ સન્ક્રિયા કહેલ છે). ૭.
અતિ વિસ્તારથી બસ થાઓ, બસ થાઓ. સાક્ષાત્ આ વિવરણ જયવંત વર્તો.
*
* *
*
*
*
હવે ગ્રંથની આદિમાં નમસ્કાર કરે છે:
परमात्मने नमः અહીં ભાવ ૐકાર આત્મા છે, ને દ્રવ્ય કાર વાણી છે. તેને નમસ્કાર. તથા પરમસ્વરૂપ પરમાત્મા એવા ભગવાન આત્માને નમસ્કાર. આ રીતે માંગલિકપૂર્વક ગ્રંથ પ્રારંભ કરે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com