________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૧૦] .
૧૫૩ કહે છે. સમજાણું કાંઈ....?
ભાઈ, તારે આત્મા સમજવો છે ને? જો આત્મા સમજવો ને સ્વીકારવો હોય તો તેની આ સીમા છે. શું? કે-તે,
૧. દ્રવ્યરૂપે ત્રિકાળી છે. અહા ! અનંતગુણનો પિંડ દ્રવ્યરૂપ ત્રિકાળી છે. ૨. તેના ગુણરૂપે ત્રિકાળી છે. ૩. તેના કાર્યરૂપે વર્તતા વર્તમાન-વર્તમાન પરિણામ તરીકે તેને વર્તનારી પર્યાય છે.
–બસ આટલામાં જ આત્માની સીમા છે; બાકી બધી સીમા જડમાં ને પરમાં જાય છે. તો, અહીં કહે છે-કેવળજ્ઞાન પર્યાય છે, અને તે આત્માના ચૈતન્યને અનુસરીને થતા પરિણામ છે. તે ગુણનું-જ્ઞાનનું વર્તમાન કાર્ય હોઈ તેને અહીં કાર્યસ્વભાવજ્ઞાન કહેવામાં આવેલ છે. આવી વાત છે. સમજાય છે કાંઈ...?
હવે કહે છે અને તેનું કારણ પરમ પારિણામિકભાવે રહેલું ત્રિકાળનિરુપાધિરૂપ સહુજજ્ઞાન છે.'
જુઓ, આમ સ્વભાવજ્ઞાનના બે ભેદ પાડ્યાઃ એક સ્વભાવજ્ઞાન કાર્યરૂપે-પર્યાયરૂપે પૂર્ણ છે, ને બીજું સ્વભાવજ્ઞાન અંદર શક્તિરૂપે-ગુણરૂપે પૂર્ણ છે. સ્વભાવજ્ઞાન જે પર્યાયરૂપે પૂર્ણ છે તેને કેવળજ્ઞાન અર્થાત્ કાર્યસ્વભાવજ્ઞાન કહ્યું; ને બીજું સ્વભાવજ્ઞાન કે જે અંદર શક્તિરૂપે પૂર્ણ છે, ધ્રુવ છે ને જેમાંથી જ્ઞાનપર્યાય આવે છે તેને કારણસ્વભાવજ્ઞાન કહ્યું. ઝીણું છે તો ધીમે ધીમે સમજવું બાપું!
તો, અહીં કહે છે-તેનું કારણ...' કોનું કારણ? કે કેવળજ્ઞાનનું કારણ. અહા! કેવળજ્ઞાન થવાનું કારણ તો મોક્ષમાર્ગ છે. પણ એ વાત અત્યારે અહીં લેવી નથી. એમ તો, કેવળજ્ઞાન મોક્ષ છે, ને તેનું કારણ મોક્ષમાર્ગ છે. પણ તે વાત અહીં નથી. અહીં તો, કેવળજ્ઞાનરૂપી કાર્ય ત્રિકાળી કારણ જ્ઞાનમાંથી આવે છે માટે તેને કારણે કહ્યું છે. જેમ કૂવામાં હોય એ (-પાણી) અવેડામાં આવે, કૂવામાં જ ન હોય તો અવેડામાં શું આવે? તેમ, અહાહા...! અંદર પૂર્ણ ચિદાનંદમય ભગવાન આત્મા જ્ઞાનશક્તિના ઉપયોગરૂપ છે, અને તેમાંથી કેવળજ્ઞાન આવે છે. જુઓ. ત્રિકાળી જ્ઞાનસ્વભાવને પણ અહીં ઉપયોગ કહ્યો છે હોં.
અહાહા...! ભગવાન આત્મા એકલો ચૈતન્યનો ગોળો છે. શું કીધું? કે જાણવા-દેખવાના સામર્થ્યનો આત્મા ગોળો છે. તો, કહે છે-કેવળજ્ઞાનનું “કારણ પરમ પારિણામિકભાવે રહેલું...' જોયું? કેવળજ્ઞાનનું કારણ ભગવાન આત્મામાં સહજ સ્વભાવે રહેલું છે, સહજાનંદ પ્રભુ આત્મામાં ત્રિકાળભાવે રહેલું છે; અને ‘ત્રિકાળનિરપાધિરૂપ”...અહાહા..! ત્રણે કાળ જેમાં કાંઈ ઉપાધિ નથી એવું એ છે. અહા! આવું જે ત્રિકાળ કારણજ્ઞાન તે સહજજ્ઞાન” છે, અને તેને કારણસ્વભાવજ્ઞાન કહેવામાં આવ્યું છે. લ્યો, આમ-આ રીતે વસ્તુનું અસ્તિત્વ છે તે સિદ્ધ કરે છે.
પ્રશ્ન:- પણ ઉપયોગ તો પર્યાય છે, ને પર્યાયનું અમારે શું કામ છે?
ઉત્તર- શું જાણવા માટે પર્યાય નથી ? બાપુ! આ કેવળજ્ઞાન છે તેય પર્યાય છે. અહા ! આ પરમાત્મદશા થવાના કાળમાં આત્માને જે કેવળજ્ઞાન-ત્રણ કાળ-ત્રણલોકને જે એક સમયમાં પ્રત્યક્ષ જાણે એવી જ્ઞાનની પર્યાય થાય છે તે “છે” કે નહિ? છે ને? તો એ તેના (-જીવના) અસ્તિત્વનો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com