________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૯ ]
૧૨૯ જુઓ, અહીં જે “સહજજ્ઞાનાદિ પરમસ્વભાવગુણો' કહ્યા તે ગુણો જ છે, પર્યાય નહિ, અને તેનો આધાર હોવાને લીધે કારણશુદ્ધ જીવ છે. અહા! ભગવાન આત્મા જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિ જે ત્રિકાળી ગુણો છે તે ગુણોનો આધાર છે. આમાં દ્રવ્ય આધાર ને ગુણો આધેય છે એમ કહે છે. અહા ! સહુજજ્ઞાનાદિ પરમસ્વભાવગુણોનો આધાર દ્રવ્ય છે તેથી તેને કારણશુદ્ધ જીવ કહે છે.
પ્રશ્નઃ એકેન્દ્રિય જીવ, બે-ઇન્દ્રિય જીવ, ત્રિ-ઇન્દ્રિય જીવ ઇત્યાદિ જીવ તો સાંભળ્યા હતા, પણ આ કારણશુદ્ધ જીવ ને કાર્યશુદ્ધ જીવ ક્યાંથી કાઢયા?
ઉત્તરઃ હવે સાંભળને, બાપા! તે કદી સાચું સાંભળ્યું જ નથી. આ એકેન્દ્રિય ને બે-ઇન્દ્રિય આદિ જીવ જ નથી, કેમકે અંદર જ્ઞાનાનંદમૂર્તિસ્વરૂપ જે છે તે જીવ છે. અહાહા..! અહીં તો ત્રિકાળી જ્ઞાન, આનંદ આદિ ગુણોનો આધાર એવો આત્મા જે પોતે ધ્રુવ-ધ્રુવ શાશ્વત ચીજ છે તેને કારણશુદ્ધ જીવ કહે છે, અને તેનો આશ્રય લઈને તેમાં જ લીનતા કરતાં જે પૂર્ણ વીતરાગ દશા ને કેવળજ્ઞાનાદિ પ્રગટ થાય છે તેને કાર્યશુદ્ધ જીવ કહે છે. આમ જીવમાં (કારણશુદ્ધ જીવ ને કાર્યશુદ્ધ જીવ એવા) બે ભેદ પડે છે. અહો! મુનિરાજે આવી રીતે જીવની વ્યાખ્યા કરીને બહુ સ્પષ્ટીકરણ કર્યું છે. તો, એણે વસ્તુ જેમ છે તેમ યથાર્થ જાણવી જોઈએ.
જુઓ, અહીં કારણ જીવ ને કાર્યજીવની વ્યાખ્યા કરી છે. સાતમી ગાથામાં કારણપરમાત્મા ને કાર્યપરમાત્માની વ્યાખ્યા હતી. ત્યાં, કેવળજ્ઞાનને પ્રાપ્ત એવા અરિહંત પરમાત્માને કાર્યપરમાત્મા કહ્યા હતા, અને તેના કારણરૂપ ત્રિકાળી શુદ્ધ જીવને કારણપરમાત્મા કહ્યો હતો. અહાહા..! દોષરહિત ને કેવળજ્ઞાનાદિસહિત એવા દેવને પરમાત્મા કીધા; પણ એનાથી વિપરીત કોઈ પરમાત્મા ન હોય. અહાહા...! પરમાત્મા કોને કહીએ? અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ આદિ જેને પ્રગટ થયાં છે, એવી પૂર્ણ દશાને જે પ્રાપ્ત છે તે અહંત ભગવાનને પરમાત્મા કહે છે, અને તેમને કાર્યપરમાત્મા કહેવાય છે. કેમ ? કેમકે ત્રિકાળી જે કારણ પરમાત્મા છે તેમાંથી તે કાર્ય પ્રાપ્ત થયું છે. સમજાય છે કાંઈ....?
પ્રશ્ન: પણ આમાં બીજા જીવની દયા પાળવી-એવું તો કાંઈ આવ્યું નહિ?
ઉત્તર: ભાઈ, અહીં તો પોતાના જીવની દયાની વાત છે. પોતે જીવ છે કે નહિ? અહાહા...! હું એક ત્રિકાળી જ્ઞાયક, આનંદકંદ છું એમ સ્વીકારીને તેમાં જ લીન રહેવું તે જીવની દયા છે, ને તે પરમ ધર્મ છે. બાકી પરની તો કોણ દયા પાળી શકે છે? તો, અહીં કહે છે
અહાહા..! અરિહંત ભગવાન પૂર્ણ દશાને પ્રાપ્ત થયા છે, અર્થાત્ જ્ઞાનાદિ ગુણો જે શક્તિરૂપે ત્રિકાળ છે તે વર્તમાન દશામાં-અવસ્થામાં તેમને પૂર્ણતાએ પ્રાસ છે; અને તેમને કાર્યપરમાત્મા કહે છે.
અહા! પણ તે કાર્યપરમાત્મા થયા ક્યાંથી ? ત્રિકાળ કારણરૂપ વસ્તુ વિદ્યમાન છે તેમાંથી. અહાહા...! વસ્તુપણે તો ભગવાન આત્મા અંદર સહજજ્ઞાન-દર્શન-ચારિત્રાદિ અનંત શક્તિનો આધાર એવો કારણપરમાત્મા જ છે. પરંતુ જ્યારે તે કારણપરમાત્માને અંતર્દષ્ટિમાં સ્વીકારે છે, ને તેમાં જ લીન થાય છે ત્યારે તેનું કેવળજ્ઞાનાદિ કાર્ય પ્રગટ થાય છે, અને ત્યારે તે કાર્યપરમાત્મા થાય છે. આમ સાતમી ગાથામાં કારણ પરમાત્મા ને કાર્યપરમાત્માની વ્યાખ્યા આવી, ને અહીં કારણ શુદ્ધ જીવ ને કાર્યશુદ્ધ જીવની વ્યાખ્યા છે. અહા! વસ્તુ તો એની એ જ છે; અહીં જીવમાં (કારણ,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com