________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૮ - પ્રવચન નવનીત: ભાગ-૨
વાતો છે. આહા... હા ! આકરું પડે, શું થાય?
પ્રશ્ન: અમે નીચે દરજ્જે રહેનારા એને કાંઈ સાધન તો બતાવો. છે કાંઈ ? એ નિશ્ચયની વાત બરાબર છે પણ એનું સાધન? એમ કે આ ભક્તિ કરવી, પૂજા કરવી, ગુરુની સેવા (આદિ સાધન )?
સમાધાનઃ અરે, બાપુ! સાધન ‘એને ’ કહીએ. ભાઈ ! સાધન જ ‘ આ’ છે. દર્શન, જ્ઞાન, ચારિત્ર (ત્રણેની એકતા ) એ સાધન છે. અને એ જે ત્રણના ભેદ છે તેને વ્યવહારનય કહ્યો, મેચક કહ્યો, મલિન કહ્યો. મલિન કહેવાનો વ્યવહાર છે એવો અર્થ છે, આહા... હા! આ ત્રણ નિર્મળ... હોં! (તો પછી ભક્તિ, પૂજા, ગુરુસેવા આદિ સાધનની વાત તો ક્યાંય રહી ગઈ ).
66
આહા...હા ! છે... ! ૧૬મી ગાથા પછી કળશ-૧૭મોઃ ‘दर्शनज्ञानचारित्रैस्त्रीभिः પરિણત્વત:। yøોડપિ ત્રિસ્વભાવત્વાર્ વ્યવહારેળ મેષ:।।” -શું કહ્યું? આત્મા એક છે તોપણ વ્યવહારષ્ટિથી જોઈએ તો ત્રણ સ્વભાવપણાને લીધે-ત્રણ સ્વભાવ થઈ ગયા ને... દર્શન, જ્ઞાન, ચારિત્ર... નિશ્ચય હોં! –અનેકાકારરૂપ ‘મેચક’ છે. ભાવાર્થ:- “ શુદ્ધદ્રવ્યાર્થિકનયે આત્મા એક છે; આ નયને પ્રધાન કરી કહેવામાં આવે ત્યારે પર્યાયાર્થિકનય ગૌણ થયો તેથી એકને ત્રણરૂપ પરિણમતો કહેવો તે વ્યવહાર થયો, અસત્યાર્થ પણ થયો. પણ વ્યવહારી લોકોને સમજાવવા માટે ભેદથી-પર્યાયથી સમજાવે. એ વિષે (કળશ-૧૯ના) ભાવાર્થમાં જયચંદજી પંડિતજીએ અર્થ કર્યો છે કેઃ “વ્યવહારી લોકો પર્યાયમાં-ભેદમાં સમજે છે તેથી અહીં જ્ઞાન, દર્શન, ચારિત્રના ભેદથી સમજાવ્યું છે.
',
અહીંયાં પાઠ છે ને...! “સ્થિતિત્રેવ ચારિત્રમિતિ યોગ: શિવાક્ષય: ”-એ ( દર્શન, જ્ઞાન, ચારિત્ર) ત્રણેની એકતા શિવપદનું કારણ છે, આહા... હા! આત્મામાં એવી એકતા અંદર થઈ; ભેદ નહીં, અંદર અભેદ થઈ ગયો; એ શિવનો આશ્રય છે; મોક્ષનું કારણ છે, આશ્રય છે.
વળી (આ શુદ્ધભાવ અધિકા૨ની છેલ્લી પાંચ ગાથાઓની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ શ્લોક કહે છે ) :
तथा च
(માલિની) जयति सहजबोधस्तादृशी दृष्टिरेषा चरणमपि विशुद्धं तद्विधं चैव नित्यम् । अघकुलमलपंकानी कनिर्मुक्तमूर्तिः सहजपरमतत्त्वे संस्थिता चेतना च ।। ७५ ।।
[ શ્લોકાર્થ:- ] સહજ જ્ઞાન સદા જયવંત છે, તેવી (-સહજ ) આ દષ્ટિ સદા જયવંત છે, તેવું જ (-સહજ ) વિશુદ્ધ ચારિત્ર પણ સદા જયવંત છે; પાપસમૂહરૂપી મળની અથવા કાદવની પંક્તિથી રહિત જેનું સ્વરૂપ છે એવી સહજ૫૨મતત્ત્વમાં સંસ્થિત ચેતના પણ સદા જયવંત છે. ૭૫
આહા... હા! શુદ્ધભાવ અધિકાર છે ને...! કહ્યું: “ સહજ જ્ઞાન સદા જયવંત છે.” -એ કોણ ? પર્યાય નહીં; ધ્રુવ, સહજ જ્ઞાન-ધ્રુવ સદા જયવંત વર્તે, સદા જયવંત રહો. આહા... Please inform us of any errors on rajesh@AtmaDharma.com