SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી નિયમસાર ગાથા પ૦-પપ – ૧૧૭ પ્રશ્ન: છ દ્રવ્ય ક્યાં ગયાં ? સમાધાનઃ એ તો કહે છે, પ્રભુ ! એકવાર સાંભળ તો ખરો! આત્માની એક સમયની જે જ્ઞાનની પર્યાય છે તેમાં, છ દ્રવ્યને જાણવાની તાકાત છે, તો એક સમયની પર્યાયમાં છ દ્રવ્ય (નું જ્ઞાન) આવી ગયું. એ એવી એક પર્યાય નહીં (પણ) એવી અનંત પર્યાયનો પિંડ એક જ્ઞાનગુણ. એ જ્ઞાનગુણની એક પર્યાયમાં છ દ્રવ્યનું જાણવું આવી ગયું. (સાધકને થતા શુભભાવરૂપ) દોષની પર્યાય, તેને વ્યવહારસમકિત કહે છે. પણ કોને? કે જેને આત્માનું નિશ્ચયસમ્યગ્દર્શન છે એને. સમજાણું કાંઈ ? (હવે, કહે છે:) “આત્માનો બોધ તે જ્ઞાન છે.” –આનંદકંદ, સ્વભાવનો સાગર અનંતગુણનું એકરૂપ એવો જે આત્મા, તેનું જ્ઞાન, તેને જ્ઞાન કહીએ છીએ. આહા... હા! આમાં, શાસ્ત્રનું જ્ઞાન અને ભણ્યાનું જ્ઞાન, એ કંઈ વાત નથી. પાઠ શું છે એ જુઓને પુત્તિ વધસ્તવીધ ડ્રષ્યતે – ‘તચ' અર્થાત્ જે સ્વરૂપ, ‘પુર્સિ' =પુરુષ એટલે આત્મા, એનો “વોય' =જ્ઞાન, એને “પુષ્યતે' કહે છે. એટલે કે “આત્માનું જ્ઞાન તે જ્ઞાન”. આહા... હા ! સંતોએ થોડા શબ્દોમાં પણ ગર્ભમાં-પેટમાં સાર તો ભરી દીધો છે! આહા... હા ! આ નિશ્ચયમોક્ષમાર્ગની પર્યાયની વાત ચાલે છે, સત્યમોક્ષમાર્ગની પર્યાયની વાત ચાલે છે. તો એ પર્યાયમાં આત્માનું દર્શન, અનુભવ અને પ્રતીતિ થઈ એને દર્શન કહે છે. અને આત્માનું જ્ઞાન અને જ્ઞાન કહે છે. બીજું (બાહ્ય ઉઘાડ) જ્ઞાન ઓછું હોય, વધતું હોય એથી કાંઈ સંબંધ નથી. (બસ !) ભગવાન આત્માનો બોધ તે જ્ઞાન છે.' “પુષ્યતે' છે ને...! શબ્દ જુઓઃ આત્મામાં “રિસ્થતિન્નેવ”=રિસ્થતિ+તત્ર+વ. આહા... હા! “તત્ર” =ત્યાં (એટલે ) ભગવાન આત્મામાં+ “વ” =જ (નિશ્ચયથી) + ‘સ્થિતિ' – “વારિત્રમિતિ” તે ચારિત્ર છે. “આત્મામાં જ સ્થિતિ તે ચારિત્ર છે.” શબ્દ છે ને.. જુઓ! સ્થિતિ તે ચારિત્ર છે. કારણ કેઃ ચારિત્ર એટલે ચરવું, ભગવાન આત્મા આનંદમાં રમે છે. એ અંદર આનંદની રમણતા તે ચારિત્ર છે. –આ મોક્ષમાર્ગ! “ આવો યોગ અર્થાત એ ત્રણેની એકતા શિવપદનું કારણ છે.” સમયસાર' ૧૬મી ગાથામાં કહ્યું ને....! “વંસTIMવરિતાળિ સેવિવાળિ સાસુ frદ્યા તાનિ પુળ નાગ તિforવિ રૂપાળું વેવ ળિયો ” (દર્શન, જ્ઞાન, ચારિત્ર) એ ત્રણેય એક આત્મા જ છે, અભેદ છે. આહા... હા ! એ કહ્યું! ત્યાં તો વ્યવહારસમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રની તો વાત જ કરી નથી. પછીના કળશમાં: એ નિર્મળસમ્યગ્દર્શન, જ્ઞાન, (ચારિત્ર) ત્રણેયને પણ ત્યાં વ્યવહાર કહીને, મલિનતાનું કારણ કહીને “મેચક' છે, એમ કહ્યું છે. “મેચક” કેમ ? કેઃ ઓલા (સમ્યગ્દર્શનાદિ) ત્રણ ભેદ થઈ ગયા ને... (એટલે ). છે તો તે નિશ્ચય-સત્ય, પણ ત્રણ ભેદ છે તેથી તેને વ્યવહાર કહીને, મેચક કહીને, મલિન કહે છે. કળશમાં મેચક–અમેચક (ની વાત કરી છે). આહા.... હા! પર્યાયનયથી (વ્યવહારી) લોકો સમજે છે તો પર્યાયનયથી કથન કરીએ છીએ એટલું. બાકી છે ત્રણે પર્યાયો. તેનું લક્ષ એ ભેદ છે, એ તો વ્યવહાર થયો. અર્થાત્ સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રના ત્રણ ભેદ, એ વ્યવહાર થઈ ગયો. અને એને મલિન (મેચક) કહ્યું. અહીં એ કહ્યું, જુઓઃ ત્રણેયની એકતા, એ અમેચક. એટલે કેઃ અંતરમાં-આત્મામાં દર્શનજ્ઞાન-ચારિત્રની એકતા થઈ ગઈ; ભેદ નહીં-આવો યોગ એટલે કે ત્રણેની એકતા-એ યોગની વ્યાખ્યા કરી. “આ ત્રણેની એકતા શિવપદનું કારણ છે.” –આ મોક્ષનું કારણ છે. બાકી બધી Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008279
Book TitlePravachana Navneet 2
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy