________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર શ્લોક ૭૫ – ૧૧૯ હા ! દષ્ટિવાન કહે છે કે: આ સહજ જ્ઞાન સદા જયવંત વર્તે છે. સ્વાભાવિક ત્રિકાળી જ્ઞાન સહજ જયવંત વર્તે છે. સમજાણું કાંઈ ? એ કોણ કહી શકે, કોણ જાણી શકે? કેઃ જેની દષ્ટિમાં સહજજ્ઞાન-ધ્રુવ, શેયરૂપે આવી ગયું, પ્રતીતિ આવી ગઈ, ભાન આવી ગયું તે કહે છે કે આ અંદર સહજ જ્ઞાન જયવંત વર્તે છે, નિત્ય છે, સદા છે. એની શ્રદ્ધા-જ્ઞાન એ તો પર્યાય છે. પણ આ પર્યાય કોનાથી ઉત્પન્ન થઈ ? કે: (જે) સહજ જ્ઞાન જયવંત વર્તે છે તેના આશ્રયે સમ્યગ્દર્શન-જ્ઞાન (પર્યાય) ઉત્પન્ન થઈ છે. આહા.... હા! “સહજ જ્ઞાન સદા જયવંત છે.” આ વાત પર્યાયની નથી. “આ જયવંત છે” એ જાણનારી પર્યાય કહે છે. જાણનારી પર્યાય એમ કહે છે કેઃ “આ સહજ જ્ઞાન જયવંત વર્તે છે. જેની દષ્ટિમાં-અનુભવમાં નિત્યતા ભાસી એ પર્યાય એમ જાણે છે કેઃ “આ જ્ઞાન ત્રિકાળ જયવંત વર્તે છે!' આહા... હા! આ માંગળીક!! છેલ્લી ગાથા. “શુદ્ધભાવ” છે ખરો ને..! “શુદ્ધભાવ” એટલે ત્રિકાળી. આહા. હા! જે સમ્યગ્દર્શનનો વિષય, એ સહજ જ્ઞાન” જયવંત વર્તે છે. સહજ-સ્વાભાવિક જ્ઞાન સદા જયવંત છે. જયવંત વર્ત અર્થાત્ શાશ્વત વર્તે છે. સ્વાભાવિક જ્ઞાન જયવંત વર્ત, ધ્રુવ વર્તે. –એ ‘નિર્ણય” પર્યાય કરે છે. પણ પર્યાયનો ‘વિષય” જે છે તે જયવંત વર્તે છે. અમારા જ્ઞાનમાં જે નિત્યતા ભાસી તે નિત્ય જયવંત વર્તે છે. આહા... હા ! જુઓ, શૈલી તો જુઓ ! “સહજ જ્ઞાન સદા જયવંત છે.” મોક્ષમાર્ગની પર્યાય તો એક સમયની છે. એ તો પછી સાદિ-અનંત ઊપજે છે. જે પર્યાયે ( ત્રિકાળીનો) આશ્રય લીધો તે પર્યાય એમ જાણે છે કે આ જ્ઞાન સદા જયવંત વર્તે છે, જ્ઞાનસ્વભાવ-ધ્રુવ જયવંત વર્તે છે. આહા... હા ! સમજાણું કાંઈ?
હવે, ભાષા ફેરવી નાખી (જુઓ ) “તેવી (-સહજ) આ દષ્ટિ સદા જયવંત છે.” સમ્યગ્દર્શનને ઠેકાણે ત્રિકાળ દષ્ટિ જે છે દર્શન, ત્રિકાળ શ્રદ્ધા (તે) લીધી છે. ત્રિકાળ... હોં ! કારણ દષ્ટિ છે એ ત્રિકાળ અંદર છે. સમ્યગ્દર્શન, એ દષ્ટિ, તો પર્યાય છે. પણ એનો જે વિષય છે એમાં જે કારણ “દષ્ટિ' સહજ ત્રિકાળ જયવંત વર્તે છે. આહા... હા... હા! સમજાણું કાંઈ? જેના ઉપર દીષ્ટ પડી તે જ વસ્તુ-સહુજ દીષ્ટ-અદર ત્રિકાળ વતે છે, ધ્રુવ છે.
આહા... હા! છે...! “તેવી” એટલે “જેવું જ્ઞાન તેવી” એટલે “તે રીતે” (-સહજ ) આ દષ્ટિ સદા જયવંત છે.” આહા... હા! સમ્યગ્દર્શનની દષ્ટિ તો પર્યાય, (તે) તો નવી પ્રગટ થાય છે, તે સદા જયવંત નથી. પણ અંદર જે દષ્ટિનો વિષય છે, જે સભ્યશ્રદ્ધા-દષ્ટિ જે છે, તે સદા જયવંત છે. આહા... હા! આવો માર્ગ છે!!! જે દૃષ્ટિનો વિષય અંદર છે, જે સમ્યક્રશ્રદ્ધાદષ્ટિ છે, જે ધ્રુવદષ્ટિ છે, તે સદા જયવંત વર્તે છે! આહા.... હા ! દૃષ્ટિ સદા જયવંત વર્તે છે, ધ્રુવ! જે સમ્યગ્દર્શનની પર્યાય એ વિષય કરે છે એને (એવી ) ખબર નથી. પણ જ્ઞાન સાથે છે, જ્ઞાન જાણે છે કે આ દૃષ્ટિની પર્યાય જે ઉત્પન્ન થઈ તેને, જે અંતર્દષ્ટિ છે. તે ત્રિકાળ છે. (એ) અંતરંગદૃષ્ટિ જયવંત વર્તે છે. આહા... હા ! સમજાણું કાંઈ ?
થોડું... પણ સત્ય તો આ છે, ભાઈ ! બહુ લાંબું કે વિસ્તાર ગમે તે કરો પણ વસ્તુને તો અહીં લાવીને મૂકવાની છે. ગમે તેટલા જાણપણા ને બધી વાતો ગમે તેટલી કરે-વ્યવહારનયની વાતોઃ ચરણાનુયોગમાં એવું છે ને કરણાનુયોગમાં આમ.. આવું બધું છે. (-એમાં કાંઈ સારપણું નથી). સમજાણું કાંઈ ?
જ્યારે દષ્ટિએ ત્રિકાળ સ્વભાવને પકડ્યો ત્યારે એ દષ્ટિ (એમ) કહે છે, અર્થાત સમ્યગ્દષ્ટિની
Please inform us of any errors on rajesh@AtmaDharma.com