________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૪૯: ૩૩
એક શ્વાસમાં અઢાર કર્યા, એવા એકવાર નહિ.. પ્રભુ! અનંતવાર કર્યા. આહા. હા! શેના બાપુ તને બહારમાં હરખ આવે છે, ભાઈ ? કોઈ માન આપે ને સન્માન આપે, ત્યાં રાજીપા ને... પ્રભુ! શું છે આ! આહા... હા! તું તો જ્ઞાતા-દ્રષ્ટા છો ને.. પ્રભુ! એમાં આ મને ઠીક પડે ને આ મને અઠીક પડે.. પ્રભુ! એ ક્યાંથી લાગ્યો તું?
અહીંયાં તો કહે છે કે વર્તમાન પર્યાય (સિવાય), ભૂત-ભવિષ્યની પર્યાયો અંદરમાં (ચિત્સામાન્યમાં) સમાણી છે તે ત્યાં કાંઈ ઉદયભાવે કે ક્ષયોપશમભાવે પણ રહી નથી. એ તો પરમપરિણામિકભાવપણે-શક્તિરૂપે રહી છે. આહા... હા! માટે એ “અવ્યક્ત” છે. એ માટે એને (ચિત્સામાન્યને) “અવ્યક્ત' કહેવામાં આવે છે. અને એ અવ્યક્ત' જ ઉપાદેય છે. એ શુદ્ધ ઉપાદેય, એ ચીજ-આદરણીય છે. બહારથી દષ્ટિ સંકેલીને, એ દષ્ટિને ત્યાં મૂકવાની છે. આહા.... હા... હા ! એ ત્રીજો બોલ થયો.
ચોથો: [“વિવ્ય#િમાત્રામાવત” –ક્ષણિક વ્યકિત માત્ર નથી માટે અવ્યક્ત છે.) “ક્ષણિક વ્યકિત માત્ર નથી.'.. આહા. હા! લ્યો.. જોયું? બતાવ્યું હવે (ક) : એક સમયની પર્યાય માત્ર, એ દ્રવ્ય નથી. આહા.... હા. હા! સમજવામાં આવ્યું? એક સમયની પ્રગટ પર્યાયચાહે તો મોક્ષમાર્ગની પર્યાય હો, પણ તે ક્ષણિક-નાશવાન છે. “નિયમસાર” શુદ્ધભાવ અધિકારમાં કહ્યું ને...? કેઃ કેવળજ્ઞાન આદિ બધી પર્યાયો નાશવાન છે. સંવરનિર્જરા-મોક્ષપુણ્ય-પાપ-આસ્ત્ર-બંધ-બધી પર્યાયો નાશવાન છે. ભગવાન આત્મા અવિનાશી, ભગવાન ત્રિકાળી એ પોતે છે. આહા... હા... હા ! અને ત્યાં તો ત્યાં સુધી કહ્યું: નિર્મળ પર્યાય તે પરદ્રવ્ય છે. આહા... હા... હા! ગજબ વાત છે!! અને એ પરદ્રવ્ય (-પર્યાય) થી સ્વદ્રવ્યનું લક્ષ્ય કરવાનું છે. જેને (સમયસાર) –૧૧મી ગાથામાં “ભૂયત્નમસ્સિવો” કહ્યું. એ આશ્રય કરનાર પર્યાય છે. પર્યાયને ત્યાં (નિયમસારમાં) પરદ્રવ્ય કહ્યું છે. એનું કારણ, જેમ પરદ્રવ્યમાંથી નવી પર્યાય આવતી નથી; તેમ પોતાની પર્યાયમાંથી નવી પર્યાય આવતી નથી. તો જેટલી પર્યાયો છે, તેને અહીં પરદ્રવ્ય કહેવામાં આવી છે. એ પરદ્રવ્ય (-પર્યાય) થી ભગવાન સ્વદ્રવ્ય ભિન્ન છે. આહી... હા.... હા ! સમજાણું કાંઈ ?
ભાઈ ! કોઈદી સાંભળ્યું નથી. અરે.. રે! જિંદગી આમ (વ્યર્થ) જાય! આહા... હા અહીં પરમાત્મા જિનેન્દ્રદેવ એમ પોકારે છે. ભાઈ ! એ શરીર-વાણી-મન-એ તો પરચીજ છે, એ તો જડ-એની વાત તો શું કરીએ? એ તો એના કારણે ટક્યાં છે અને બદલાય છે. પણ તારી વર્તમાન પર્યાય-તારી બદલતી પર્યાય, તારામાં છે. (પણ) તું એ ક્ષણિક માત્ર નથી. તું એક સમયની પર્યાય માત્ર નથી. આહા.... હા.. હા! આવી વાત છે, પ્રભુ !! આ બધા, પુસ્તકમાં નાખવાના છે ને...?
આહા.... હા.... હા ! આ ભગવાન શુદ્ધ ચૈતન્યધન અંદરમાં બિરાજે છે, એની વર્તમાન પ્ર. ૫
Please inform us of any errors on rajesh@AtmaDharma.com