________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦: પ્રવચન નવનીત ભાગ-૧ પહેલો બોલ તો ચાલ્યો વિસ્તારથી. અહીં બીજા બોલમાં આવ્યું “કષાયોનો સમૂહ'. (જે ભાવકભાવ વ્યક્ત છે તેનાથી જીવ અન્ય છે માટે અવ્યક્ત છે. )
વર્તમાનમાં આ વાત બહુ ચાલે છે કે પહેલાં ચિત્તશુદ્ધિ હોય, શુભરાગ હોય અને કષાયનો મંદ ભાવ હોય, તો અકષાયસ્વરૂપ આત્માનો અનુભવ, સમ્યગ્દર્શન થાય છે; એમ કહે છે. તો એની સામે અહીં દલીલ છે: એ કષાયભાવનો સમૂહું “ભાવકભાવ” એ તો ભાવકનો ભાવ છે. “કર્મ' એક બીજી ચીજ છે, “ભાવક'. (અને) “ભાવ” કરવાવાળાનો ભાવ છે. એ ચિત્તશુદ્ધિમાં જે રાગની મંદતા હોય છે, તે પણ ભાવકનો ભાવ છે. એ કર્મ ભાવક છે એનો એ ભાવ (છે) એ દ્રવ્યસ્વભાવ નથી.
ભાઈ ! “સમયસાર” -૧૩મી ગાથામાં તો આપણે ત્યાં સુધી લીધું ને...? શાસ્ત્રાવ્ય અને શાસ્ત્રાવ. ત્યાં પણ એ લીધું: પર્યાયમાં આસ્રવ થવા લાયક પર્યાય લીધી છે, અને આસ્રવ કરવાવાળાં કર્મ લીધાં છે. ત્યાં ફકત વ્યવહારે નવ (પદાર્થ) બતાવવા છે ને...? એનાથી (નવ પદાર્થથી) રહિત, “ભૂતાર્થ ચૈતન્યનું અવલંબન લેવું” એ બતાવવા માટે, ૧૩મી ગાથામાં એમ કહ્યું છે કે: “પુણ્યભાવ” છે. “જીવની એક પર્યાય' પુણ્ય થવા લાયક છે, અને પુણ્ય કરવાવાળો “એક કર્મ' છે. કારણ કે તે દ્રવ્યસ્વભાવ નથી”. પર્યાયમાં છે, કરવાવાળી પણ પર્યાય તો ક્ષણિક છે. તો ત્યાં આસ્રવ થવા યોગ્ય કહીને, આસ્રવ કરવાવાળું તો કર્મ છે. એમ કહ્યું, આહા... હા એમબંધ થવા લાયક પોતાની પર્યાય એ બંધ થવા લાયક; અને બંધક-ભાવક-કર્મ. ત્યાં લીધું છે. (એવી જ રીતે) ત્યાં જ સાતેયમાં ઊતાર્યા છે. અને જીવ-અજીવમાં- “જીવ' ( જ્ઞાયકસ્વરૂપ) છે, અને જીવના વિકારનો હેતુ “અજીવ” છે. ત્યાં એમ લીધું છે. જીવસ્વરૂપ ભગવાન આત્મા, એ તો શુદ્ધ આનંદકંદ પ્રભુ ચિઘન-એ જ સમ્યગ્દર્શનનો વિષય છે. એની પર્યાયમાં જે આ (પુણ્યાદિ) થયા છે. એ કર્મના નિમિત્તે (થાય છે, તેને ત્યાં) ભાવક કહીને, પોતાની પર્યાયને ભાવ્ય કહીને, બેઉનો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ બતાવીને, એક જીવમાં બીજા અજીવના નિમિત્તથી એવા સાત ભેદ ઉત્પન્ન થાય છે. એટલે નવ થઈ ગયા. એકકોર જીવ અને એક કોર અજીવ. બેઉના સંયોગથી સાત તત્ત્વ ઉત્પન્ન થાય છે. પુણ્ય, પાપ, આસ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ-એ સાતેયમાં, એમ લીધું કે બંધ થવા લાયક આત્માની પર્યાય, અને બંધ કરવાવાળું કર્મ. કારણ કેઃ દ્રવ્યસ્વભાવમાં તો એ નથી. આહા.. હા! તો ત્યાં કરવાવાળો' કહ્યો, એમ કેમ? –વિકૃતસ્વભાવ, આત્માનું સ્વરૂપ નથી. તે કારણથી ત્યાં નવ તત્ત્વની શરૂઆત કરતાં એમ લીધું કે વિકાર થવાયોગ્ય આત્માની પર્યાય અને વિકાર કરવાવાળું કમબેઉને નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે. (પણ) એકમાં નવ ઉત્પન્ન થતા નથી. એકમાં તો ચિદાનંદ ભગવાન એકલો જ છે. એકમાં બીજી ચીજનું
*પુણ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com