________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૩૨): ૨૨૯, મોક્ષને. જે બંધ છે એને પણ જ્ઞાની જાણે છે. (પણ) બંધને કરતા નથી. થોડો (અસ્થિરતાનો) રાગ છે. રાગથી બંધન પણ છે. એ બંધને - રાગને જ્ઞાની જાણે છે; બંધને કરતા નથી. આઈ. હા! આવી વાત હવે!! “ના”િ કોને? – બંધને. અરે ! બંધને શું મોક્ષને પણ ( જાણે છે). આહા... હા! શુદ્ધજ્ઞાનપરિણત આત્મા, મોક્ષને કરતા નથી. એ તો મોક્ષ થાય છે અને જાણે છે. આવી વાત છે !!
અહીં તો આત્માના કૃષિપંડિતની વાત ચાલે છે. આત્માની ખેતી જેણે કરી – “હું તો શુદ્ધ ચિદાનંદ આત્મા આનંદ – ઘન છું' એવી જેની દષ્ટિ અને અંતરજ્ઞાન થયું, તો એ જ્ઞાનીનું કર્તવ્ય અને ભોકતા (ભોકતૃત્વ) શું? તો કહે છે કે બંધનો પણ કર્તા નથી અને બંધનો ભોકતા પણ નથી. એ બંધને જાણવાવાળો છે. કેમકે આત્મા જ્ઞાનસ્વરૂપી પ્રભુ! એ તો બંધ થાય છે તેને જાણે છે, કર્તા નથી. અને મોક્ષ થાય છે અને જાણે છે, કર્તા નથી. આહા.... હા.. હા! ગજબ વાત છે, ભાઈ ! સમજાણું કાંઈ ?
આહા... હા! ચૈતન્ય-નાથ પ્રભુ એકલો જ્ઞાનના સ્વભાવથી ભર્યો ભંડાર, અનંત અનંત પવિત્ર ગુણનું ગોદામ આત્મા, અનંત અનંત શક્તિઓનું સંગ્રહાલય-સંગ્રહનું સ્થાન એ ભગવાન આત્મા, અનંત અનંત સ્વભાવનો સાગર પ્રભુ, એની જેને પ્રથમ દષ્ટિ થઈ, એને કોઈની અપેક્ષા નથી. એ દ્રવ્યનો આશ્રય લીધો, તો દષ્ટિ થઈ સમ્યક. અને એની સાથે જ્ઞાનની પરિણતિ થઈ. એ શુદ્ધજ્ઞાનપરિણત જીવ કેવો છે ? –એ વાત ચાલે છે. તો કહે છે કે બંધનો કર્તા નથી અને ભોકતા નથી. આહા... હા! એમ મોક્ષનો કર્તા નથી; જાણે છે કે, મોક્ષ થયો. આહી... હાં.. હા ! ગજબ વાત છે !!
આઠ લાખ દીધા છે તો (પણ) ધર્મ થયો નહીં, એમ કહે છે. બેંગલોરમાં મંદિર બનાવું તો ધર્મ થયો, એમ નથી. (શ્રોતા. ) મોટું મંદિર બનાવ્યું છે. (ઉત્તર) કોણ બનાવે ? બનાવ્યું જ નથી. બન્યું તો એની- પરમાણુની પર્યાયથી બન્યું છે. આહા. હા! (બીજો) કોણ બનાવે, પ્રભુ?
અહીં તો કહે છે કે આત્મા મોક્ષને પણ કરતો નથી, મોક્ષને જાણે છે. માત્ર બંધમોક્ષને જાણે છે, એટલું જ નહિ, “—વયે નિઝર વેવ” – ધર્મી તો શુભ – અશુભરૂપ કર્મોદયને (પણ) જાણે છે. જ્યાં સુધી (પૂર્ણ) વીતરાગ નથી, તો શુભ કર્મનો ઉદય આવે છે તો શુભભાવ પણ થાય છે. ...અશુભ ભાવ પણ થાય છે. એ કર્મના ઉદયને જાણવાવાળા રહે છે. ધર્મી સમ્યગ્દષ્ટિ ચક્રવર્તી છ ખંડના રાજ્યમાં હોય, ૯૬ હજાર સ્ત્રીઓ હોય, તો પણ તે પોતાનામાં (જે) શુભ-અશુભભાવ આવે છે અને જાણે છે, કરતા નથી.
આહા. હા! આવો માર્ગ!! એ વિના જન્મ-મરણનો અંત નહીં આવે, પ્રભુ! ચોર્યાશીના અવતાર. આહા... હા ! ક્યાં નરક ને નિગોદ ને!
અહીંયાં કહે છે કે પ્રભુ ! એ આત્માનું શુદ્ધજ્ઞાન જે ત્રિકાળી શુદ્ધજ્ઞાન, એની
Please inform us of any errors on rajesh@AtmaDharma.com