________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩૦: પ્રવચન નવનીત ભાગ-૧
પરિણતિ – પર્યાયમાં ‘શુદ્ધજ્ઞાન ’ સમ્યગ્દર્શનથી થયું; તો એ ‘શુદ્ધજ્ઞાનપરિણત જીવ ' (ભલે ) છ ખંડના રાજયમાં દેખાય; (છતાં ) “ ચક્રવર્તી છ ખંડને નથી સાધતા, અખંડને સાધે છે. સોગાનીમાં ( – ‘ દ્રવ્યદષ્ટિપ્રકાશ ' માં) છે ને!
( શ્રી નિહાલચંદ્રજી સોગાની ) સમકિત અહીં ( સોનગઢમાં ) પામ્યા હતા. અહીં અમારી પાસે આવ્યા. અન્યનો બાવાનો બધાંનો અભ્યાસ ઘણો કર્યો. શાસ્ત્રનો અભ્યાસ કરતાં કરતાં પણ ક્યાંય પત્તો ન લાગ્યો, તો અહીંયાં આવ્યા. આવ્યા તો (મેં ) એટલું કહ્યું: ભાઈ ! આ વિકલ્પ, જે દયા-દાન આદિના ઊઠે છે તેનાથી પ્રભુ તો અંદર ભિન્ન છે. આહા... હા! સોગાની! તેમનું ‘દ્રવ્યદષ્ટિ પ્રકાશ ’!... એ ઓરડામાં, અહીં રસોડામાં ( –સમિતિના ઓરડામાં) આત્મધ્યાનમાં સમકિત થયું. (મેં ) એટલું કહ્યું કેઃ ‘રાગથી ભિન્ન ‘પ્રભુ' અંદર છે.' તો આખી રાત-સાંજથી સવાર સુધી ધ્યાન લગાવ્યું. રાગથી ભિન્ન, રાગથી વિકલ્પથી ભિન્ન કરતાં કરતાં સવાર પડયાં પહેલાં નિર્વિકલ્પ સમ્યગ્દર્શન લઇને ઊઠ્યા! ઘણી શક્તિ હતી... ઘણી! આખરમાં શાંતિથી દેહ છોડીને સ્વર્ગમાં ચાલ્યા ગયા.
-
અહીં કહે છે કેઃ શુદ્ધજ્ઞાનપરિણત જીવ મોક્ષને પણ જાણે છે, પણ મોક્ષને કરતો નથી. સર્વજ્ઞ ત્રિલોકનાથના ભાવ આ બતાવીએ છીએઃ પ્રભુ તો ચૈતન્યસ્વરૂપ છે ને! ‘ એ ચૈતન્યસ્વરૂપ ’ કરે શું? એ તો થાય એને જાણે –દેખે (બીજું) કરે શું? આહા... હા..
હા!
=
ભગવાને આ નેત્રનું તો દૃષ્ટાંત આપ્યું. ‘નેત્ર’ કરે ? ( જમીનમાંથી ) ધૂળ કાઢીને ખાડો કરે? (કે) આમ... આમ કરીને ખાડો પૂરે? આંખ મકાન બનાવે ? (કે) આમ.. આમ કરે અને મકાન તોડી દે? - (કાંઈ ન કરે!) મકાન બને છે, અને મકાન તૂટે છે એને નેત્ર દેખે છે. એમ ભગવાન આત્મા (દેખે-જાણે છે). નેત્રનું તો દૃષ્ટાંત આપ્યું છે: “વિઠ્ઠી નદેવ ” અથવા “વિઠ્ઠી સયં।” આહા... હા!
ઘણી (ગંભી૨ ) વાત, બાપુ! પ્રભુનો માર્ગ!! લોકોએ બહારમાં-ભક્તિને પૂજાને મંદિરને રથયાત્રા ને; એ બધામાં ધર્મ મનાવી દીધો! એ કાંઈ ધર્મ નથી. કરોડો અબજો રૂપિયા ખર્ચે તોય (ધર્મ નથી ) પણ એ તો જડ છે... માટી છે માટી. રૂપિયા આત્માના છે, એમ માનવું એ જ મિથ્યાત્વ છે. અજીવ ‘જીવના છે', એવી માન્યતા જ ભ્રમ ને અજ્ઞાન
છે. આહ... હા... હા !
,
અહીં તો કહે છે કેઃ જ્ઞાની રાગને પણ કરતો નથી, મોક્ષને કરતો નથી. મોક્ષ થાય છે, એને જાણે છે. અહા... હા... હા.. હા! આવી વાત છે, ભાઈ ! “ મુવયં” જ્ઞાની કર્મોદયને જાણે છે. છે.? શુભ-અશુભ ભાગ-એને જાણે છે, પોતાના માનીને (એનો ) કર્તા છે ને ભોકતા છે, એમ નથી. આહા... હા.. હા...! “ હ્રમુવયં ” શુભ
અશુભ કર્મોદયને જાણે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
–