SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૨૮: પ્રવચન નવનીત ભાગ-૧ સિવાય શું કરે? સમજાણું કાંઈ અરે રે! એણે ક્યારેય (પોતાનું મૂળસ્વરૂપ) સાંભળ્યું નથી. આહા... હા ! આવશે આગળ... * * * [ પ્રવચનઃ તા. ૩૦-૭-૭૯ ] ૩૨૦-ગાથા. “સમયસાર' માં મૂળ પાઠ એમ છે: “ િનદેવ ” અહીં “વિઠ્ઠી સાં ”િ એમ લીધું છે. “નદેવ' નો અર્થ “જેમ.' જેમ નેત્ર છે એ પરના કર્તા નથી અને પરના ભોકતા નથી. (સંઘકણ ) એ જેમ અગ્નિને સળગાવે છે, એમ આ ભગવાન આત્મા પરને કંઈ કરતો નથી. જેમ લોખંડનો ગોળો (પિંડ) (અગ્નિથી) તપે છે, એમ નેત્ર પરના કાંઈ ભોકતા નથી. તેમ આત્મા ( પરનો – રાગાદિનો કર્તા-ભોકતા નથી). આહા... હા! આત્મા એને કહીએ (ક) જેને આત્માની દષ્ટિ–અનુભવ થાય. (અર્થાત્ ) “હું” શરીર-વાણી તો નહીં, કર્મ નહીં, વિકાર નહીં, પણ એક સમયની પર્યાય એટલો પણ “હું” નહીં. “હું તો ત્રિકાળી જ્ઞાયક, આનંદનો ધન, ચિદાનંદ પરમાત્મસ્વરૂપ છું.' એવું અંતર્વેદન દષ્ટિમાં આવે, એનું નામ ધર્મ અને સમ્યગ્દર્શન. હુજી આ ધર્મની પહેલી શરૂઆત. એ વિના. ક્યારેય ધર્મ થતો નથી. અહીં તો બે વાત લીધી છે કે એ ધર્મી જીવ દષ્ટિની અપેક્ષાએ, રાગાદિનો કર્તા નથી. અને ક્ષાયિક જ્ઞાન જે કેવળજ્ઞાન છે, એ પણ પરનું કર્તા-ભોકતા નથી. આત્મા જેવો શુદ્ધ છે (એવો) જ્ઞાનપરિણતજીવ, જે ધર્મી છે (તે રાગને કરતો નથી અને વેદતો નથી). “માત્ર દષ્ટિ જ નહિ જ પરંતુ ક્ષાયિકજ્ઞાન પણ નિશ્ચયથી કર્મોનું અકારક તેમ જ અવેદક પણ છે.” જ્ઞાન શબ્દ આત્મા, અને જ્ઞાન શબ્દ ક્ષાયિકપર્યાય-એમ બે પ્રકાર લીધા છે. અહીં આપણે હવે આ આવ્યું છે: “શુદ્ધજ્ઞાનપરિણત જીવ” (અર્થાત્ ) જેણે ભગવાન આત્મા-શુદ્ધચૈતન્યન-ની દષ્ટિ કરી અને એનું પરિણમન થયું, તે સમ્યગ્દષ્ટિને અહીંયાં શુદ્ધ જ્ઞાનપરિણત (જીવ) કહેવામાં આવ્યો છે. ઝીણી વાત છે, ભાઈ ! સમ્યક અર્થાત્ સત્ય, પૂર્ણાનંદનો નાથ પરમાત્મસ્વરૂપ. એની દષ્ટિ થઈ, તો એમાં સમ્યજ્ઞાન પણ થયું. એ સમ્યગ્દષ્ટિને અહીંયાં જ્ઞાનપરિણત કહેવામાં આવે છે. શુદ્ધજ્ઞાનપરિણત પર્યાય. દ્રવ્ય તો શુદ્ધ છે, એની દષ્ટિ થઈ તે શુદ્ધતા પર્યાયમાં પણ છે. હવે અહીં તો દષ્ટિની સાથે જે આત્મા શુદ્ધજ્ઞાનપરિણત થયો, એ શું કરે છે? (ક) “નાણાવિ ય વંધમોરવું” આહા... હા! શુદ્ધજ્ઞાનસ્વરૂપ પ્રભુ! પહેલાં એ કરવું છે કે, “હું તો ચૈતન્ય જ્ઞાયક ચિદાનંદ પૂર્ણ (છું ) ' એવો અનુભવ કરીને સમ્યજ્ઞાન કરવું. એ ધર્મીનું પહેલામાં પહેલું કર્તવ્ય છે. “ભગવાન આત્મા’ જ્ઞાનસ્વભાવી છે. એ કારણે, એ શુદ્ધજ્ઞાનપરિણત જીવ-ધર્મપરિણત જીવ, પર્યાયમાં જાણે છે. કોને? (કે) બંધ Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008278
Book TitlePravachana Navneet 1
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages357
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy