SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૩૨): ૨૨૭ અવિપાક (નિર્જરા) : પોતાના સ્વભાવસમ્મુખ થઈને, સ્વભાવની શાંતિમાં આવીને જે કર્મનો ઉદય ખરી જાય છે, એને અવિપાક નિર્જરા કહે છે. જિજ્ઞાસા:- સમયની પહેલાં? સમાધાનઃ- સમયના પહેલાં પણ નિર્જરા જ થાય છે. એ વખતે એનો નિર્જરાનો ખરવાનો જ કાળ છે. સમયના પહેલાં કહો; તોપણ ખરવાનો એનો કાળ હતો. સવિપાક, અવિપાક સમજાણું? ભગવાને જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, આદિ આઠ કર્મ કહ્યાં છે. એના પેટા-ભેદમાં એકસો અડતાલીસ પ્રકૃતિ છે. એમાં કેટલીક પ્રવૃત્તિઓ તો ઉદયમાં આવીને ખરી જાય છે. જેમ મનુષ્યગતિ છે, તો નરકગતિ અને તિર્યંચગતિનો ઉદય હોય, તો એ ગતિ ખરી જાય છે; આયુષ્ય નહીં. ગતિ ખરી જાય છે, તો એને સવિપાક નિર્જરા છે. અને પુરુષાર્થથી અંદર ઉદય ખરી જાય છે – (અર્થાત્ ) પોતાના સ્વભાવન્મુખ થઈને, આનંદનો લાભ લઈને, જે ઉદય આવે છે તે ખરી જાય છે; – એને અવિપાક નિર્જરા કહે છે. પણ ( જ્ઞાની) એ સવિપાકને જાણે છે અને અવિપાકને પણ જાણે છે; કર્તા નથી. આહા. હા! (જ્ઞાની) સવિપાકને પણ કરતા નથી (અને) અવિપાકને પણ કરતા નથી. અરે. રે! આ તો હજી શરૂઆત થાય છે, હોં! આ તો આખું પાનું ભર્યું છે. હળવે-હળવે આવશે. હળવે-હળવે (પચાવવું)! ધર્મી કર્મના ઉદયને જાણે છે, એ ઉદયને કરતા નથી. અથવા શુભ-અશુભ બેય રાગ આવ્યો તેનો કર્તા નથી. અને સવિપાક- અવિપાક નિર્જરાને જાણે છે. પોતાની યોગ્યતાથી કર્મનો ઉદય-વિપાક આવ્યો અને ખરી જાય છે. જેમ કે અહીં મનુષ્યગતિ છે અને ત્યાં તિર્યંચગતિનો ઉદય આવ્યો, તો (ગતિ હોં! આયુષ્ય નહીં) એ ખરી જાય છે, એને સવિપાક નિર્જરા કહે છે. એનો પણ “કર્તા' આત્મા - જ્ઞાની નથી. (તે તો ) સવિપાક નિર્જરાને જાણવાવાળા છે. આહા.. હા! હવે કોક દી આને સમજવું તો પડશે કે નહીં? ભલે ઝીણું પડે. એમ કે ઝીણી પડે ને એમ પડે... પણ પ્રભુ! અપૂર્વ વાત છે. નાથ ! તારા ઘરની વાત કોઈ અપૂર્વ છે, તે તે સાંભળી નથી, નાથ ! આહા... હા ! ત્રિલોકનાથનો પોકાર છે. સર્વજ્ઞ-સર્વદર્શી તીર્થંકરદેવની વાણીનો પોકાર છે. (એ) વાણીના પણ કર્તા નથી – એનો જ પોકાર છે કે ધર્મપરિણત જીવને શુભભાવ ઉદયમાં આવે, ઉદય આવે છે; પણ (તે) કર્તા થતા નથી, (ધર્મીને) ભક્તિનો, દયાનો, દાનનો વિકલ્પ આવે છે, પણ કર્તા થતા નથી. એમ અશુભ ઉદય આવે છે. સમ્યગ્દષ્ટિને પણ જરી આર્તધ્યાન થઈ જાય, થોડું રૌદ્રધ્યાન થઈ જાય, વિષયવાસના આવી જાય, પરંતુ (તેઓ) એના કર્તા-ભોકતા નથી. જાણે છે, થાય છે, (તેને) જાણે છે. કેમ કે જ્ઞાનસ્વરૂપી ભગવાન આત્મા છે. ચૈતન્યપ્રકાશનું પૂર (છે). ભગવાન ચૈતન્યપ્રકાશના પૂર અને નૂરથી ભર્યો પડે છે. એ જ્ઞાનસ્વરૂપી પ્રભુ ( જ્ઞાન Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008278
Book TitlePravachana Navneet 1
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages357
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy