________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩/૮–૩૧૧: ૨૦૯ આહા... હા! આવી ચીજને બંધ થાય છે-એ શું? મહા પ્રભુ, ચૈતન્યજ્યોતિ, અંદર શક્તિથી સ્કુરાયમાન વસ્તુ છે! આહા... હા! એવી ચીજ છે! (જે) અનંત ચૈતન્ય શક્તિઓથી બિરાજમાન-સ્કુરાયમાન, ચૈતન્યજ્યોતિ પરમાત્મા (છે) ! –એવી ચીજને (કર્મ) પ્રકૃતિઓનો બંધ થાય છે! અરે.. રે! આ શું થાય છે? એમ કહે છે: “કર્મ પ્રકૃતિ સાથે જે આ (પ્રગટ ) બંધ થાય છે તે ખરેખર અજ્ઞાનનો કોઈ ગહન મહિમા (છે). અરે. રે! અજ્ઞાન સમજાવવું (પડે) –એ કેવું? એવી ચીજમાં અજ્ઞાનનો કોઈ ગહન મહિમા કે એને કર્મપ્રકૃતિઓનો બંધ નહીં પણ અનંતી ચૈતન્યજ્યોતિ સ્કુરાયમાન (છે), અંદર પ્રગટ છે; એક નહીં પણ અનંતી ચૈતન્યજ્યોતિ પ્રગટ છે;–એવો પરમાત્મા, પોતાનું સ્વરૂપ; એને કર્મપ્રકૃતિઓનું બંધન થાય! –એ કોઈ અજ્ઞાનનો (ગહન) મહિમા છે.
અજ્ઞાનનો ગહન મહિમા છે જેનો પાર પમાતો નથી”. એવો (ભાવાર્થ) લખ્યો છે. ગહન એટલે પાર ન પામે. (પણ) સમકિતી તો પાર પામી જાય છે! પણ એવો અજ્ઞાનનો ગહન મહિમા છે (અર્થાત્ ) (વસ્તુ) તો એવી ચૈતન્ય સ્કુરાયમાન અનંત શક્તિનો પિંડ પ્રભુ! આહા.... હા ! એને કર્મબંધન હોય, –એ કોઈ અજ્ઞાનનો ગહન મહિમા છે! અજ્ઞાનનો નાશ, આત્માના સ્વભાવના આશ્રયથી થઈ શકે છે.
*
*
*
Please inform us of any errors on rajesh@AtmaDharma.com