SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦૮: પ્રવચન નવનીત ભાગ-૧ કરવાવાળાને (દુનિયા ) પાગલ કહે. ‘પરમાત્મપ્રકાશ' માં છે કેઃ પાગલ લોકો જ્ઞાનીને પાગલ માને; એવી આ ચીજ છે! અરે... રે! વસ્તુ એવી છે. અહીંયાં એ કહ્યું કે ‘અકર્તાપણું’ કેમ છે? (કેઃ) જે અંદર શુદ્ધસ્વરૂપ જ્ઞાનજ્યોતિ ભગવાન પૂર્ણ સ્વરૂપ (છે); એની શક્તિમાંથી વ્યક્તતા-પૂર્ણ જાણવાની આવે છે. પણ એ કોઈ ચીજનો કર્તા છે, અને કોઈ ચીજથી એ કેવળજ્ઞાન સ્ફુરાયમાન થયું, એવું નથી. કર્મના ક્ષયથી કેવળજ્ઞાન થયું, એમ નથી. (કેમ કે) એ તો (પરની) અપેક્ષા થઈ ગઈ. પહેલાં કહ્યું ને... . “ નિરપેક્ષ (તત્ત્વ) છે ”. કહે છે કે-પ્રભુ! ક્રમબદ્ધમાં ‘અકર્તા ’ કેમ કહ્યો ? કેઃ પ્રભુનું સ્વરૂપ તો સર્વજ્ઞસ્વભાવ છે ને! એ કહ્યું ને પહેલાં: “નિજરસથી વિશુદ્ધ છે”. પોતાની શક્તિથી, પોતાના ગુણથી પવિત્ર છે. ૫રને કારણે (પવિત્ર ) છે, એમ નથી. પોતાના રસથી વિશુદ્ધ છે. “ અને સ્ફુરાયમાન થતી જેની ચૈતન્યજ્યોતિઓ વડે ”–ચૈતન્યની પ્રકાશપર્યાય થઈ, તે દ્વારા–“લોકનો સમસ્ત વિસ્તાર વ્યાસ થઈ જાય છે”. એ વ્યવહારથી વાત કરે છે કેઃ સર્વજ્ઞશક્તિ છે તે જ્ઞાનની પર્યાયમાં આવી, તે સર્વ લોકને જાણે છે. લોકલોકને જાણે છે, એ પણ વ્યવહાર છે. ખરેખર તો પોતાની પર્યાયને જ જાણે છે. કોઈ (જ્ઞાન-) પર્યાય તો લોકાલોકને અડતી જ નથી. પણ દુનિયાને ખ્યાલમાં આવે કેઃ સ્ફુરાયમાન શક્તિની શક્તિ કેટલી છે! એ માપ બતાવવા, ‘લોકાલોકને જાણે છે’ એમ બતાવે છે. આહા... હા ! આવી ધર્મની ચીજ છે, ભાઈ! શું થાય ? “ ચૈતન્યજ્યોતિઓ વડે ”–ચૈતન્યજ્યોતિઓ છે, એક પર્યાય નહીં; અનંતી પ્રકાશ પર્યાય થઈ. સર્વજ્ઞ જ્યાં થયો, તો સર્વ ચૈતન્યની સર્વ શક્તિઓ પ્રકાશમાનપણે થઈ ગઈ. ચૈતન્યની એક સર્વજ્ઞપર્યાય જ્યાં પ્રગટ થઈ; ત્યાં એની સાથે સર્વ શક્તિની શક્તિ વ્યક્ત થઈ ગઈ. શક્તિની સ્કુરાયમાન ચૈતન્યજ્યોતિઓ-જેટલી ચૈતન્યજ્યોતિ છે, એટલી સર્વ સ્ફુરાયમાન પર્યાય થઈ ગઈ. 27 “ એવો આ જીવ પૂર્વોક્ત રીતે (પરદ્રવ્યનો અને ૫૨ભાવોનો ) અકર્તા ઠર્યો”. તોપણ ”–એમ હોવા છતાં પણ-પ્રભુ તો એવો છે [તથાપિ ], “ તને આ જગતમાં કર્મપ્રકૃતિઓ સાથે જે આ (પ્રગટ) બંધ થાય છે”,... અરે... રે! એવી ચીજ ( એ તો ) ચૈતન્યજ્યોતિઝળહળજ્યોતિ ( છે ). એ તો ચૈતન્યની સ્ફુરાયમાન જ્યોતિ છે! એક જ્ઞાન સ્ફુરાયમાન નહીં, પણ ચૈતન્યની સર્વ શક્તિઓ (સ્ફુરાયમાન થાય છે). જેમ સર્વજ્ઞપણું પૂર્ણ થયું એમ સર્વ શક્તિની પૂર્ણતા, પર્યાયમાં પ્રગટ થઈ ગઈ. આહા... હા! આવી વસ્તુસ્થિતિ!! અરે... રે! “ તોપણ તેને આ જગતમાં કર્મપ્રકૃતિઓ સાથે બંધ થાય છે”. અરે... રે! એને કર્મનું બંધન !! કારણ કે [ત્ત વસ્તુ અજ્ઞાનસ્ય : અપિ ગહન: મહિમા રતિ] તે ખરેખર અજ્ઞાનનો કોઈ ગહન મહિમા (છે). એના સ્વભાવનો તો ગહન મહિમા છે, પણ એના અજ્ઞાનનો ( પણ ) ગહન મહિમા (છે)! Please inform us of any errors on rajesh@AtmaDharma.com 66
SR No.008278
Book TitlePravachana Navneet 1
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages357
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy