________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨: પ્રવચન નવનીત ભાગ-૧ એ સિવાય (બધા) અજીવ. (અજીવ) અધિકારમાં વ્યવહાર રત્નત્રયના જે વિકલ્પ છે તેને પણ અહીંયાં તો અજીવ કહ્યા; તેને વ્યક્ત કહ્યા; શેય કહ્યા. -એને “વ્યક્ત” ને, જાણવાવાળો “જ્ઞાયક'. અને “વ્યક્ત” ને જાણવાવાળો “અવ્યક્ત” –એ પણ જ્ઞાયક. આહા... હા! ભગવાન ! આ વાત ઘણી સૂક્ષ્મ !!
જિનેન્દ્રદેવ તીર્થંકર પરમાત્મા ત્રિલોકનાથ વીતરાગદેવની વાત, અને સર્વ શાસ્ત્રોનો સાર-તાત્પર્ય તો વીતરાગતા છે ને... પ્રભુ! તો વીતરાગતા ક્યારે થાય? કે પોતાની પૂર્ણ ચીજ જે શુદ્ધ ધ્રુવ છે, એનો આશ્રય લે; અને પરનો અને પર્યાયનો આશ્રય પણ છોડી દે; ત્યારે વીતરાગતા થાય છે. ચારેય અનુયોગમાં કહેવાનું તાત્પર્ય તો વીતરાગતા પ્રગટ કરવાનું છે. તો એનો એ અર્થ થયો કે પ્રભુ! તું અવ્યક્ત છે, તેને જાણ! તો તને વીતરાગતા ઉત્પન્ન થશે. સમજાણું કાંઇ?
તું અતીન્દ્રિય આનંદ અને અતીન્દ્રિય જ્ઞાનથી તો ઠસોઠસ ભરેલો છો. (પણ) ભગવાન! તને તારી (મૂળ) ચીજની ખબર નથી. આચાર્યદેવને કરુણાનો વિકલ્પ આવ્યો છે. તેઓ તો સંત હતા. તે તો (આ) વિકલ્પના પણ જાણવાવાળા હતા. આ ટીકા તો બની ગઈ, એ પણ પોતાના જાણવામાં તો પરણેય તરીકે છે. આહા...હા ! એ (સૂત્રકર્તા) કુંદકુંદ આચાર્ય હો, કે ટીકાકાર અમૃતચંદ્ર આચાર્ય હો- એ બધા એક જ જાતના છે.
“સમયસાર” ૫ મી ગાથામાં એમ લીધું છે કે ભગવાન મહાવીર પરમાત્મા, (તેમ જ) અનંત સર્વજ્ઞ પરમાત્મા (જે) થયા, અને (વર્તમાનમાં) સીમંધર ભગવાન બિરાજે છે તે વિજ્ઞાનઘનમાં નિમગ્ન હતા. (અને છે.) એ પોતાની વિજ્ઞાનઘન જે વસ્તુ (તે, અવ્યકત) તેમાં નિમગ્ન હતા; એ પર્યાય. આહા... હા! કુંદકુંદ આચાર્ય કહે છે કેઃ જેમ ભગવાન વિજ્ઞાનઘનમાં નિમગ્ન હતા (તેમ) એનાથી (તીર્થકરથી) માંડીને ગણઘરદેવ અને અમારા ગુરુ પર્યત ( વિજ્ઞાનમાં) નિમગ્ન-એકલા મગ્ન નહિ, “નિ' ઉપસર્ગ છે, “નિ” વિશેષતા બતાવે છે, વિશેષ મગ્ન હતા. જે દિગંબર સમ્પ્રદાય, તે જૈનદર્શન છે. એમાં એવી આચાર્ય પરંપરા ચાલી આવી છે. કુંદકુંદ આચાર્ય કહે છે કે અમારા ગુરુ પણ વિજ્ઞાનઘનમાં નિમગ્ન હતા. આહા. હા! અરિહંતની સાથે પોતાના ગુરુ સુધીની પરમ્પરા જોડી દીધી છે! આ તો વીતરાગ-પંથ-ત્રિલોકનાથની પરમ્પરાનો પંથ છે. સમજાણું કાંઈ? તો કોઈ કહે કે: અરે! તમે તો પંચમ આરાના (સાધુ) છો ને...! તમે તો વળી ભગવાન પાસે ગયા હતા, પણ તમારા ગુરુ તો કાંઈ ભગવાન પાસે ગયા નહોતા? તો પણ અમે (કુંદકુંદ આચાર્ય) એમ કહીએ છીએ કે પોતાનો ભગવાન જેને અહીંયાં અવ્યક્ત શુદ્ધ આત્મા ધ્રુવ કહે છે, એ વિજ્ઞાનઘનમાં અમારા ગુરુ નિમગ્ન હતા. (પ્રશ્ન:) તમે તો છબી છો ને? તો પણ તમે તમારા ગુરુની એવી સૂક્ષ્મ દશાને કેવી રીતે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com