________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮: પ્રવચન નવનીત ભાગ-૧
છે. ને આગમમાં આમ કહ્યું છે... ને, ન્યાયમાં આમ કહીએ... ને- (પણ) એ બધી કથનની વાતો છે, બાપુ!
એ ‘છ દ્રવ્યસ્વરૂપ લોક છે’... ‘છે’ માં તો અનંત દ્રવ્યની પર્યાય પણ આવી ગઈ. ‘એ પર્યાય’ કોઈને કારણે છે, એમ છે જ નહિ. ‘ એ પર્યાય ’ અહેતુક છે-સત્ છે, એનો હેતુ નથી. પાઠ છે ને ?! “ છ દ્રવ્યસ્વરૂપ લોક છે જે જ્ઞેય છે અને વ્યક્ત છે”.. ‘ છે' એટલે સત્ છે. તો ‘દ્રવ્ય ’ સત્ છે; ‘ ગુણ ’ સત્ છે; ‘ પર્યાય ’ સત્ છે. આહા... હા ! તો ‘દ્રવ્ય ’ નું પણ કોઈ કારણ અન્ય નથી; ‘ગુણ ’નું પણ કોઈ કારણ અન્ય નથી; અને વિકારી કે અવિકારી ‘પર્યાય ' નું પણ કોઈ કારણ અન્ય નથી. ‘એ પર્યાય' પણ પોતાના કારણે એક સમયમાં નિરાલંબન-દ્રવ્યગુણનાં આલંબન વિના, અને નિમિત્તના આલંબન-અપેક્ષા વિના, પોતાના ષટ્કારકથી (ઉત્પન્ન થાય છે). (તેમજ ) અનંત દ્રવ્યમાં ત્રણેકાળની પર્યાયમાં પ્રત્યેક પર્યાય પોતાના ષટ્કારથી ઉત્પન્ન થાય છે – એ લોકનું સ્વરૂપ છે.
,
છે... ને !? શું કહ્યું ? – ‘લોક’ જે શેય ‘વ્યક્ત' છે. (આ ) એક સમયની વાત છે કે આખો લોક છે. આહા... હા... હા! એ જ્ઞેય છે બધા પ્રગટ છે– બાહ્ય છે. એનાથી ભિન્ન, ‘અવ્યક્ત ’ કહેવામાં આવ્યો.
છે, વ્યક્ત છે. ‘શેય છે’... ‘ છે’ તો કહ્યું. અને એક સમયમાં છ દ્રવ્ય, ગુણ અને પર્યાય બધુંઅને વ્યક્ત છે, પ્રગટ છે. દ્રવ્ય-ગુણ-પર્યાય ભગવાન (આત્મા ) અત્યંતર છે. તેથી તેને
–
આહા... હા... હા ! આવી વાત છે... એક શબ્દમાં (સ્પષ્ટતામાં) ૩૫ મિનિટ થઈ. એવી આ ચીજ-વસ્તુ છે!! આહા... હા ! દિગંબર સંતોની વાણી આહા... હા ! એટલી ગંભીર... એટલી ગહન... એટલી માર્મિક!! કે, એક એક શબ્દમાં અનંત અનંત આગમનું રહસ્યભર્યું છે, શ્રીમદ્દ કહે છે: ‘ જ્ઞાનીના વાકયમાં, એક એક વાકયમાં અનંત આગમ ભર્યા છે.' આહા... હા! એમાંથી કાઢીએ એટલું૧ નિકળે, ઓહો... હો... હો !
.
આત્મામાં તો... અહીંયા કહ્યું ને...? કે જે દ્રવ્ય-ગુણ-પર્યાય છે. ‘છે’... એક વાત. તો ‘છે’ તે પોતાથી છે, અને એ ‘છે’ તો શૈય છે. અને ‘છે’ તો શેયનો આત્મા જ્ઞાયક છે, તેનો કર્તા-હર્તા છે નહિ. ૫૨ની પર્યાય-શરીરની હલન-ચલન કે ભોજનની ક્રિયાનો કર્તા, જ્ઞાયક આત્મા છે નહિ. આહા... હા... હા! એનો તો જાણવાવાળો (છે) તો એ ચીજ તો શેય છે. આહા... હા... હા ! સમજમાં આવ્યું? સૂક્ષ્મ વાત છે, ભગવાન! આ તો સૂક્ષ્મ વાત-થોડી, પુસ્તક છપાવાનું છે ને...? તેમાં આવી જાય. આહા... હા! અહીં તો એક (અવ્યક્ત ) શબ્દમાં કેટલું ભર્યું છે!!
( કોઈ ) છ દ્રવ્યને ન માને. અન્યમતિ ધર્માસ્તિ-અધર્માસ્તિકાયને માનતા નથી; એ ભગવાન સર્વજ્ઞદેવ જિનેન્દ્ર જ દેખ્યા છે અને માન્યા છે. જૈન દર્શન સિવાય કોઈ દર્શને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com