________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૪૯: ૭ શબ્દ છે “વત્ત (અવ્યક્ત)... એમાં તો ઘણું ભર્યું પડયું છે !! આ કોઈ કથા નથી... વાર્તા નથી. આહા.. હા! ભગવાન આત્મા... “ જીવ' છે. એ જીવ, છ દ્રવ્ય જે વ્યક્તિ છેશેય છે, તેનાથી અન્ય છે. બધાની સાથે એક થઈને રહે છે, એમ નથી. “જીવ અને બધા ( જ્ઞય) નું જ્ઞાન'.. તો બધા જીવ- પોતે અને પર-એ બે એક થઈને રહે છે, એમ નથી. વેદાંત એમ કહે છે કેઃ “મુક્ત થઈ જાય ત્યારે તો બધા (જીવ) એક થઈ જાય છે ને?' - આ પ્રશ્ન ગઈ કાલે એક ડોકટરે કર્યો હતો. (પણ) ભાઈ ! તેઓને (વેદાંતને ) (વસ્તુ સ્થિતિની) ખબર નથી. (તેઓ) અનંતગુણા “પરમાણું' છે, એની તો તેઓને (વેદાંતને) કથેઈ ખબર જ નથી. આહા.... હા! અહીં તો “ધર્માસ્તિકાય” છે, જે જીવને અને જડને ગતિ કરવામાં નિમિત્ત છે. જીવ અને જડને ગતિપૂર્વક સ્થિર થવામાં “અધર્માસ્તિ” નામનું એક અરૂપી દ્રવ્ય છે તે સ્થિર રહેવામાં નિમિત્ત છે. “આકાશ' છે (જે) બધા દ્રવ્યોને રહેવાનું વ્યવહાર અવગાહન આપનાર (દ્રવ્ય) છે. અને “કાળદ્રવ્ય” પણ છે, તે છયે દ્રવ્યમાં જે (પ્રતિ સમયે) પરિણમન, પોતપોતામાં, પોતાથી થાય છે, તેમાં નિમિત્ત છે.
હવે અહીં તો મગજમાં ( વિચારમાં) થોડો વિષય આવી ગયો કેઃ છ દ્રવ્ય જે છે, એ છ દ્રવ્યની જે એક સમયની જે પર્યાય છે, એ પર્યાય પોતામાં પકારકથી ઉત્પન્ન થાય છે. - પૂર્વ પર્યાયનાં કારણે નહિ; દ્રવ્ય-ગુણથી નહિ; નમિત્તથી નહિ. સમજાણું કાંઈ ? છ દ્રવ્યમાં દ્રવ્ય-ગુણ તો કાયમ (ત્રિકાળ-ધ્રુવ) છે. પણ પર્યાય એક સમયની નવી-નવી ઉત્પન્ન થાય છે. એ પર્યાય લોકમાં- છ દ્રવ્યમાં છે. એ પર્યાયનું એવું સ્વરૂપ છે કે: એ વિકૃત હો કે અવિકૃત હો પણ એ પોતાના વર્તમાનમાં કર્તા-કર્મ-કરણ-સંપ્રદાન-અપાદાન- અધિકરણ (ષકારકો) થી ઉત્પન્ન થાય છે. પૂર્વના કારણથી થાય છે અને કારણનું કાર્ય છે ને... એ બધાં નિમિત્તનાં વ્યવહારનાં કથન છે. આહા... હા. હા !
વ્યવહારથી નિશ્ચય થાય છે... નિમિત્તથી ઉપાદાનમાં કાર્ય થાય છે... પૂર્વપર્યાય કારણ અને ઉત્તરપર્યાય કાર્ય... ને-એ બધા વ્યવહારનાં વચન છે, આહા હા હા !
એક એક સમયની પર્યાય ચાહે તો કેવળજ્ઞાન હો... ચાહે તો નિગોદના જીવને અક્ષરનાં અનંતમે ભાગે જ્ઞાન હો... ચાહે તો મિથ્યાત્વ હો... ચાહે તો રાગનો કણ હો- એ બધી પર્યાયનું અસ્તિત્વ જગતમાં - છ દ્રવ્યમાં છે. “છ દ્રવ્યસ્વરૂપ લોક છે” એમ કહ્યું ને...?! તો એમાં પર્યાય પણ પોતામાં છે. પણ એમ છે કે એ પર્યાય, પોતાથી-પોતામાં પોતાના કારણે છે, ગુણ અને દ્રવ્ય, પોતામાં પોતાના કારણે છે. આહા.... હા.... હા ! સમજાય છે કાંઈ ?
(કોઈ ) ઘણી લાંબી-લાંબી વાત કરતા કરતા કહે કે અધ્યાત્મમાં આમ કહ્યું
Please inform us of any errors on rajesh@AtmaDharma.com