SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫૦: પ્રવચન નવનીત ભાગ-૧ કાંઈ ? તો જ્યારે એ “સર્વજ્ઞસ્વભાવ ' નો નિર્ણય કરીએ છીએ, ત્યારે “કમબદ્ધ' નો નિર્ણય આવી ગયો, તો એમાં “પુરુષાર્થ ” આવી ગયો. કેવળીએ દીઠું તેમ થશે ' (એમાં) પહેલાં કેવળીની શ્રદ્ધા, અને કેવળીની શ્રદ્ધા પહેલાં પોતાનો સર્વજ્ઞસ્વભાવ છે એની શ્રદ્ધા (થાય છે). આહા.... હા.. હા! ઝીણી વાત છે, ભાઈ ! આ તો પ્રભુના વિરહ પડ્યા ને.... (અહીં) આવી પડ્યા... બાપુ! આહા... હા! આ વાત ક્યાંથી ક્યારે આવે છે! એ (કઈ રીતે) કહીએ? પણ એ અંદરથી આવે છે! એ કંઈ તૈયાર અંદર ગોખી રાખી છે? –એમ નથી. વાત અંદરથી આવે છે! કાલે શું આવ્યું હતું એ ખ્યાલ નથી. કાલે વ્યાખ્યાન આવ્યું હતું એવું આખી જિંદગીમાં નથી કર્યું, એવું આવ્યું હતું. અહીં કહે છે કેઃ કમવર્તી અને અદમવર્તી નામનો (એક) ગુણ અંદર (આત્મામાં) છે. જ્યારે “સર્વજ્ઞસ્વભાવ' નો નિર્ણય કરીએ છીએ, ત્યારે “દ્રવ્ય ' નો નિર્ણય કરવમાં “ક્રમવર્તી અને અક્રમવર્તી' નામના ગુણનો નિર્ણય પણ સાથે આવી ગયો. સમજવામાં થોડી ઝીણી વાત છે, ભાઈ ! જેમ “સર્વજ્ઞ જગતમાં છે, દીઠું હશે તેમ થશે” તો એ સર્વજ્ઞ-પર્યાય આવી ક્યાંથી? – એની સર્વજ્ઞશક્તિમાંથી આવી. “અપ્પા ના”િ એવું લખ્યું છે ને? તો “હું પણ સર્વજ્ઞશક્તિવાન છું. મારો સ્વભાવ જ સર્વજ્ઞસ્વરૂપ છે. કોઈ ચીજનું કરવું કે એનું કોઈએ કરવું-એ તો નથી; પણ એને જાણ્યા વિના રહેવું એમ પણ નથી. ત્રણ કાળ, ત્રણ લોકના (જે જે) દ્રવ્ય-ગુણ-પર્યાય છે, એને જાણવાની તાકાત મારી એક પર્યાયમાં છે. એ પર્યાય સર્વજ્ઞસ્વભાવમાંથી આવે છે. એવો નિર્ણય જ્યારે કરવા જાય છે, તો એ ક્રમવર્તી અને કમબદ્ધ-જે સમયે જે પર્યાય થવાવાળી છે ત્યારે (તે જ થાય છે-નો યથાર્થ નિર્ણય આવે છે). બહુ ઝીણી વાત છે, ભગવાન ! ઈશરીમાં ૨૦૧૩ની સાલમાં ચર્ચા ચાલી હતી. પણ એ લોકોને “આ વાત' ન બેસી. એ લોકો કહે છે કે “એક પછી એક (પર્યાય) થશે. પણ આ જ થશે એવું નહીં'. અહીં (મું) કહ્યું “જે થશે તે જ થશે. આઘીપાછી થવાનો કોઈ પ્રશ્ન જ નથી. આ પછી આ જ (પર્યાય ) આવશે, એમ જ છે; આ પછી આ આવશે એમ નહીં'. તો મેં કહ્યું “આ પછી આ જ આવશે, એવો નિયમ છે'. અહીં કહે છે કેઃ “એમ કમબદ્ધ પોતાના પરિણામોથી”. તો એક બાજુ એમ કહે કે: પર્યાય દ્રવ્યમાં નથી. દ્રવ્ય પર્યાયમાં આવતું નથી. કારણકે બે ચીજ છે. (બન્નેનું) અસ્તિત્વ છે: પર્યાયનું અસ્તિત્વ છે અને દ્રવ્યનું અસ્તિત્વ છે. અસ્તિત્વને Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008278
Book TitlePravachana Navneet 1
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages357
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy