________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૦૮–૩૧૧: ૧૪૯
જગતમાં છે. એવા અનંત સિદ્ધો છે. મહાવિદેહમાં લાખો કેવળી છે. વીસ તીર્થંકર છે, એ કેવળજ્ઞાની છે. એક સમયમાં ત્રણ કાળ, ત્રણ લોકને જાણવાવાળી પર્યાયની સત્તા છે. એ સત્તાનો સ્વીકાર છે પહેલાં ? ’... ‘ પછી એણે દીઠું તેમ થશે’. ‘ આ વાત’ ત્રેસઠ વર્ષ પહેલાંની
છે.
પૂર્વના સંસ્કાર હતા ને...! ખરેખર તો આ વાત ‘પ્રવચનસાર’ ૮૦-૮૧-૮૨ ગાથામાં ચાલે છે ને...! એ તો ૧૯૭૨માં હાથમાં ય નહોતું આવ્યું. એ અઠયોતરમાં આવ્યું. પણ ‘ એ વાત' અંદરથી આવી હતી. ગાથા છે ને... “ નો બાળવિ અરદંતં વવત્તનુળત્તપદ્મયત્તેહિં’ જે કોઈ અદ્વૈતના દ્રવ્ય-ગુણ-પર્યાય જાણે “સો નાળવિ અપ્પાળું” (તે પોતાના આત્માને જાણે છે ).
"9
અદ્વૈતના દ્રવ્ય-ગુણ-પર્યાય તો પરદ્રવ્ય છે. પરદ્રવ્યના દ્રવ્ય-ગુણ-પર્યાય જાણવા, એ તો વિકલ્પ છે. અરે! એ તો વિકલ્પ છે; પણ પોતાના આત્મામાં દ્રવ્ય-ગુણ-પર્યાય-ત્રણનો વિચાર કરવો એ પણ વિકલ્પ છે.
‘નિયમસાર ’ આવશ્યક અધિકારમાં એવું લીધું છે: ભગવાનના દ્રવ્ય-ગુણ-પર્યાય તો પદ્રવ્ય છે. તો ભગવાન તો એમ કહે છે કેઃ ૫દ્રવ્યનો વિચાર કરીશ તો તારી દુર્ગતિ થશે. ‘મોક્ષપાહુડ’ ૧૬મી ગાથામાં ભગવાન કુંદકુંદ આચાર્યે એમ કહ્યું કેઃ અમારું લક્ષ કરીશ તો તને રાગ થશે અને તને દુર્ગતિ (થશે ) અર્થાત્ ચૈતન્યની ગતિ નહીં થાય.
.
(તો ) અહીં ( ‘ પ્રવચનસાર' માં ) એમ કેમ કહ્યું કેઃ “નો નાળવિઞર ંત વળત્તમુળજ્ઞપળયત્તેહિં સો નાળવિ બપ્પાાં ”... ? પણ એ તો નિમિત્તથી થન કર્યું.
સર્વજ્ઞની પર્યાય એક સમયમાં પૂર્ણ ત્રિકાળ (−જ્ઞ ) છે. તો એ પર્યાય નીકળી ક્યાંથી? -એ સર્વજ્ઞશક્તિમાંથી નીકળી છે. સુડતાલીસ શક્તિમાં સર્વજ્ઞ ( શક્તિ ) ગુણ અંદર ( આત્મામાં ) છે. એ ‘સર્વજ્ઞશક્તિ' માંથી એ સર્વજ્ઞ-પર્યાય નીકળી છે. (જો) એ અદ્વૈતના દ્રવ્ય-ગુણ-પર્યાયનો નિર્ણય કરવા જઈએ છીએ, તો પોતાના દ્રવ્યમાં (જે) સર્વજ્ઞશક્તિ છે, એનો નિર્ણય થાય છે; ત્યારે એને ‘ ક્રમબદ્ધ' નો (નિર્ણય થયો) અને અદ્વૈતના દ્રવ્ય-ગુણ-પર્યાય વ્યવહારથી જાણવામાં આવ્યા. ઝીણી વાત છે, ભગવાન!
(પરિણામો ) ક્રમબદ્ધ થાય છે. જે સમયે જે પર્યાય થવાવાળી ( હશે તે ) થશે. આઘીપાછી નહીં. પરથી-૫૨દ્રવ્યથી તો (થાય જ) નહીં. નિશ્ચયથી તો અહીં એ લીધું છે કે: જ્યારે ક્રમબદ્ધનો નિર્ણય થયો, તો એને અદ્વૈતના કેવળજ્ઞાનનો તો નિર્ણય થયો (છે); પણ એ તો પર છે. પણ પોતાનો નિર્ણય થયો કે ‘હું સર્વજ્ઞસ્વભાવી છું'. આહા... હા... હા! ‘મારી ચીજ જ સર્વજ્ઞસ્વભાવી છે!'
(જો ) સર્વજ્ઞસ્વભાવ ન હોય તો પર્યાયમાં સર્વજ્ઞપણું આવશે ક્યાંથી ? સમજાય છે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com