________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૮: પ્રવચન નવનીત ભાગ-૧
કમબદ્ધ' નો નિર્ણય કરતાં જ પર્યાયનું લક્ષ છૂટી જાય છે અને જ્ઞાયકનું લક્ષ થાય છે; ત્યારે “ક્રમબદ્ધ” નો નિર્ણય થાય છે. કારણ કે “ક્રમબદ્ધ' છે, તે પર્યાયમાં છે. દ્રવ્યમાં કાંઈ ‘ક્રમબદ્ધ' નથી.
દ્રવ્યમાં કમસર થવું અને અમે થવું-એવો ગુણ છે. સમજાય છે કાંઈ? કાલે તો થોડી વાત એ કહી હતી કેઃ (સમયસાર”) ગાથા-૩૮માં એવું કહ્યું છે કેઃ “દમ” અને “અક્રમ” – બન્ને પર્યાયમાં છે. શું? કેઃ એ “ક્રમ” અને “અક્રમ” એ બીજી ચીજ છે. એ “ક્રમ” એટલે એક સમયે, એક ગતિ થાય છે અને બીજા સમયે બીજી ગતિ. –એ ગતિ “ક્રમસર' છે. પણ આત્મામાં યોગ-લેશ્યા-કષાયાદિ એક સમયમાં છે. એ “અક્રમ' કહેવામાં આવે છે. (છતાં) અક્રમપર્યાય અક્રમસર થાય છે, એમ નથી. પર્યાય તો “ક્રમબદ્ધ” જ થાય છે. પણ એ “ક્રમબદ્ધ” નો નિર્ણય કરવા જતાં, ત્યાં પર્યાય ઉપર લક્ષ રહેતું નથી, પણ “હું જ્ઞાયક સર્વજ્ઞસ્વભાવી છું” સર્વજ્ઞ સ્વભાવી છું'. (–એનું લક્ષ થાય છે).
“અસાધારણ જ્ઞાનને કારણપણે ગ્રહીને' –અસાધારણ એટલે “સર્વજ્ઞસ્વભાવી' આત્માનો જે અસાધારણ ગુણ છે, એને કારણપણે ગ્રહીને એવો પાઠ “પ્રવચનસાર' ટીકામાં છે. અહીંયાં તો (જે) યાદ આવે એ આવે... પણ વસ્તુનો અંદર પાર ન મળે !! “અસાધારણ જ્ઞાનને કારણપણે ગ્રહીને એનો અર્થ (એ છે) કે જ્યારે “ક્રમબદ્ધ' નો નિર્ણય કરીએ છીએ, ત્યારે સર્વજ્ઞસ્વભાવનું કારણ ગ્રહીને, (તેનું લક્ષ થઈને, ) “ક્રમબદ્ધ ' નો નિર્ણય થાય છે (કે જે) સર્વજ્ઞસ્વભાવ અંદરમાં છે.
ઝીણી વાત છે, પ્રભુ! વીતરાગમાર્ગ કોઈ અલૌકિક છે!! આહા... હા! એમાં “આ” દિગંબર સંતોની વાણી !! (બીજે) ક્યાંય નથી. પણ ગંભીર ઘણી ! એક એક શબ્દ અને એક એક પદમાં ઘણી ગંભીરતા!!
જે સમયે (પર્યાય) ક્રમબદ્ધ થાય છે તો એમાં અમારે પુરુષાર્થ કરવાનો) ક્યાં રહ્યો? કેવળજ્ઞાનીએ દીઠું તેમ થશે. આપણે શું પુરુષાર્થ કરી શકીએ ? એ (તો) ભગવાને જ્યારે દીઠું હશે ત્યારે પુરુષાર્થ થશે. આપણે એકલા પુરુષાર્થ કેમ કરી શકીએ ?' –એવો પ્રશ્ન સંપ્રદાયમાં બે વર્ષ સંવત ૧૯૭૦ અને ૧૯૭૧માં ચાલ્યો. અમારી નવી નવી દીક્ષા. એક ગુરુભાઈ હતા તે વારંવાર એમ કહ્યા કરે, સાંભળતા હતા. અમે તો પહેલાં (સ્થાનકવાસી સંપ્રદાયમાં) હુતા ને? અમે તો ભાઈ ! કોઈના “સંપ્રદાયમાં આવ્યા નથી. અમે તો “સત્ય છે તેને ” અંતરમાં લઈ લીધું. ૧૯૭૨ની સાલમાં અમારી ઉંમર છવીસ વર્ષની. પછી “આ ચર્ચા' વીંછીઓ પાસે સરવા ગામમાં બહાર-પ્રગટ કરી: મેં કહ્યું-પ્રભુ ! મને તો તમે (ગુરુભાઈ ) કહો છો તે વાત બેસતી નથી. કેમકે જે કેવળીએ દીઠું તેમ થશે, એ વાત તો એમ જ છે. પણ પુરુષાર્થ” શું કરીએ?' તો અમે તો કહીએ છીએ કે “કેવળી જગતમાં છે. એક સમયની જ્ઞાનની પર્યાયમાં ત્રણ કાળ, ત્રણ લોકને જાણવાવાળા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com