SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૩O૮-૩૧૧: ૧૪૭ જાણો. એ પર્યાયમાં રાગસંબંધીનું જ્ઞાન પોતાનું છે, એને જાણું છે. આહા. હા! સમજાણું કાંઈ ? રાગ પણ અજીવ છે. તો અજીવનું જ્ઞાન અહીં થયું છે, એ પણ વ્યવહાર કહેવામાં આવ્યો છે. એ સમયમાં પોતાની સ્વ-પર પ્રકાશકશક્તિથી એ અજીવ, સંબંધી પરનું જ્ઞાન પોતાથી પોતામાં થયું છે; પરને કારણે નહીં. રાગ છે તો રાગનું જ્ઞાન થયું છે એમ પણ નહીં. સમજાણું કાંઈ? આહા.... હા! “અજીવ નથી”. (એ) પરિણામ અજીવ નથી. એ પરિણામનો કર્તા અજીવ નથી. એ (પરિણામ) ક્રમસર કહ્યાં. જે થવાનું હશે તે જ થશે. –એવું જ્યારે અકર્તાપણું થઈ જાય છે; તો ભગવાન આત્મા અકર્તા-જ્ઞાતા થઈ જાય (છે). જ્ઞાતા થતાં (એની) દષ્ટિ જ્ઞાન (-જ્ઞાયક) ઉપર રહી જાય છે. તો એ પરિણામમાં રાગનું જાણવું જે થાય છે, તે રાગના કારણે થયું એમ પણ નથી. પ્રશ્નઃ રાગનું પણ જ્ઞાન થયું ને! સમાધાનઃ (આત્મામાં) ભાવ (નામનો) ગુણ કહ્યો ને! તો એ ભાવગુણને કારણે પકારકથી વિકારપણે થાય છે. પણ (બીજા) ભાવગુણને કારણે વિકારરહિત પરિણામ એનાં છે. જે થવાનું હશે તે થશે એ બીજી વાત. ભાવ એક ગુણ છે એમાં પર્યાય થશે જ, તે બીજી વાત. અને એક ભાવ વિકારરહિત ભાવ. ૪૭ શક્તિમાં બે ભાવગુણ છે. તો બીજો ભાવ એવો છે કે જ્યારે દષ્ટિ દ્રવ્ય ઉપર થઈ અને ક્રમબદ્ધનો નિર્ણય થયો; તો રાગ છે તો રાગનું જ્ઞાન થયું; એમ પણ નહીં. (જ્ઞાનમાં) રાગ તો આવતો નથી પણ રાગનું જ્ઞાન થાય છે, એ પણ વ્યવહારથી. એ પોતાના સ્વ-પર પ્રકાશકનું જ્ઞાન પોતાનાં પરિણામોથી ઉત્પન્ન થાય છે; એ રાગથી અને અજીવથી નહીં. વિશેષ કહેશે..... *** [ પ્રવચનઃ તા. ૨૪-૭-૭૯ ] સમયસાર” ગાથા-૩૦૮ થી ૩૧૧. પહેલી લીટી ત્રણ દિવસ ચાલી. આજે ચોથો દિવસ છે. શું કહે છે? અમૃતચંદ્રાચાર્ય એમ કહે છે: “તાવત”-પ્રથમ-મુખ્ય વાત એ છે કેઃ “જીવ ક્રમબદ્ધ –જીવ ક્રમબદ્ધ એવા પર્યાયથી ઊપજે છે. કાલે એ નહોતું કહ્યું..? કે આત્મામાં ક્રમવૃત્તિ (ક્રમરૂપ) અને અક્રમવૃત્તિ (અક્રમરૂપ) એક ગુણ છે. (અર્થાત્ ) આત્મા જે વસ્તુ છે, એમાં ક્રમવૃત્તિ અને અક્રમવૃત્તિ નામનો (એક) ગુણ છે. - જ્યારે “કમબદ્ધ' નો નિર્ણય કરીએ છીએ જે સમયે જે પર્યાય થવાવાળી (છે તે) ક્રમસર થશે. આઘી-પાછી નહીં. અને પરથી નહીં. –તો એમાં પુરુષાર્થ ક્યાં રહ્યો? તે કહે છે: Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008278
Book TitlePravachana Navneet 1
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages357
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy