________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૬: પ્રવચન નવનીત ભાગ-૧ આવે છે; અને એક સમયમાં યોગ-રાગ-લેશ્યા આદિ થાય છે તેને “અક્રમ' કહેવામાં આવે છે. તે થાય છે તો “ક્રમબદ્ધ'. “અક્રમ” નો અર્થ એક સમયમાં ઘણી પર્યાયો છે. અને “ક્રમ' એક સમયમાં ગતિ છે તે બીજા સમયમાં એ ગતિ-એ “ક્રમ’ છે–ગતિમાં “ક્રમ’ છે; અને યોગ-લેશ્યા-રાગાદિમાં “અક્રમ’ છે. અર્થાત્ એકસાથે છે. છે તો (તે) “ક્રમબદ્ધ'. “
મિક્ટો” લીધું છે કે હું તો ક્રમરૂપ અને અક્રમરૂપ પ્રવર્તમાન ભાવોથી ભિન્ન છું. આહા... હા ! હું એકરૂપ શુદ્ધ ચિદાનંદ છું. કમરૂપ અને અક્રમરૂપ (ભાવો) થી “હું” ભિન્ન છું. એ જે ક્રમ અને અક્રમ (ભાવ) છે, તે વ્યવહારિક ભાવ છે. (આ) ગાથા-૩૮માં એકની વ્યાખ્યા છે. બીજે ઠેકાણે પણ આવે છે, “તત્ત્વાર્થરાજવાર્તિક' માં પણ એ ક્રમ-અક્રમ પર્યાય” ની વાત છે.
બાકી, “દમ” અને “અક્રમને” ને બીજી રીતે લઈએ તો “ગુણ” છે તે અક્રમ છે; અને પર્યાય” છે તે ક્રમ છે. સમજાય છે કાંઈ? ૩૮મી ગાથામાં “એ” નથી લેવું અને અહીં (ગાથા: ૩૦૮ થી ૩૧૧માં) પણ “આ” નથી લેવું. પોતાની પર્યાયમાં ક્રમે “ગતિ' એક સમયમાં એક થાય છે, બીજી નહીં; તો એ “કમ' કહેવામાં આવે છે; છે તો “પર્યાય (કમબદ્ધ) . અને એક સમયમાં રાગ યોગ-લેશ્યા આદિ સાથે છે; છે તો પર્યાય છે તે “કમબદ્ધ' માં પણ એકસાથે હોવાથી (તેને) “અક્રમ' કહેવામાં આવે છે. તો કેટલાક દલીલ કરે છે; જુઓ! તત્ત્વાર્થરાજવાર્તિક” માં “ક્રમ અને અક્રમ” લખ્યું છે. પણ એ તો બીજી વાત છે. પર્યાયમાં યોગ-લેશ્યા આદિ એકસાથે હોય તેને “અક્રમ' કહે છે.
બીજે પણ કયાંક આવે છે: “ગુણ' અક્રમે છે અને “પર્યાય' ક્રમે છે. “ગુણ' સહવર્તી છે. એક સાથે અનંત છે. તોપણ એકસાથે-દ્રવ્યની સાથે છે, એમ પણ નથી. શું કહ્યું? આત્મામાં ગુણ
અક્રમે” છે, સહવર્તી છે, એક સાથે છે. તો એકસાથે ગુણ છે; તે દ્રવ્યમાં એકસાથે છે, એટલા માટે (સહવર્તી) નહીં પણ ગુણો એકસાથે અનંત છે, માટે (તેને) સહવર્તી કહેવામાં આવે છે. સમજાય છે કાંઈ? ઝીણી વાત છે, ભાઈ ! ભગવાનનો માર્ગ ઘણો સૂક્ષ્મ છે.
શું કહ્યું? કે ભગવાન આત્મા તે એકરૂપ દ્રવ્ય (છે) અને ગુણ અનંત (છે). એ ગુણ એકસાથે સહવર્તી છે. સહવર્તી અર્થાત્ સાથે વર્તે છે. સહવર્તી એટલે દ્રવ્યની સાથે ગુણ છે એ માટે સહવર્તી કહ્યું, એમ નથી; દ્રવ્યની સાથે તો પર્યાય પણ છે. અનંત ગુણ એકસાથે છે; અને પર્યાયો એકસાથે નથી. અહીં એ “ક્રમબદ્ધ' સિદ્ધ કરવું છે ને ? સમજાણું કાંઈ ? ઝીણી (વાત) છે, ભગવાન ! અંતર-માર્ગની ‘આ’ ઝીણી વાત, ભાઈ !
વીતરાગ પરમાત્મા અહીં ૩૮મી (ગાથામાં) કહે છે. ગુરુએ શિષ્યને સમજાવ્યું... તો આ સમજાવ્યું કે પ્રભુ! એક વાર સાંભળ! તારી પર્યાયમાં અક્રમ (અને) ક્રમ–બને છે. (તો) તે બન્નેનો અર્થ: પર્યાય (માં) ક્રમસર એક ગતિ છે; ત્યારે બીજી ગતિ નથી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com