________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૦૮–૩૧૧ઃ ૧૩૭ એ “ક્રમ' અને એકસાથે રાગ-યોગ-લેશ્યા (આદિ છે) –માટે “અક્રમ'. (પણ) પર્યાય ક્રમવર્તીમાંથી છૂટીને પર્યાય અક્રમે થઈ જાય છે એમ નથી. (રાગાદિ) એકસાથે રહે છે માટે અક્રમ ” કહેવામાં આવે છે. અને (બીજે ઠેકાણે ) ગુણ ” ને પણ અક્રમ કહેવામાં આવ્યા
ભગવાન આત્મા ગુણ અને પર્યાયના ભેદથી પણ રહિત છે. આહા... હા! એ પૂર્ણાનંદનો નાથ પ્રભુ એકસ્વરૂપે બિરાજમાન છે! એની દષ્ટિ કરવી, એનું નામ સમ્યગ્દર્શન છે. એ ધર્મનું પહેલું પગથિયું છે.
એમાં (આત્મામાં) ગુણને સહવર્તી કહ્યા. એ ગુણ એકસાથે રહે છે. પર્યાય એકસાથે નથી રહેતી, (તેથી તેને) ક્રમવર્તી કહી.
અહીં “કમબદ્ધ” કહ્યું. નિયમથી એક પછી એક પર્યાય થવાવાળી છે તે જ થશે. દ્રવ્યમાં આવી-પાછી પર્યાય થશે, એમ નથી. દરેક દ્રવ્યમાં પર્યાયની વ્યવસ્થિત વ્યવસ્થા છે. વ્યવસ્થા અર્થાત્ વિશેષ અવસ્થા. તે તે સમયમાં તે પર્યાય પોતાનાથી વ્યવસ્થિત છે. બીજો કોઈ પર્યાયને કરે અથવા તે પર્યાયમાં ફેરફાર કરે, એમ નથી.
બીજી વાત જરી ખ્યાલમાં આવી. એક આત્મામાં ૪૭ શક્તિઓ લીધી છે. જે અનંત. અહીં ૪૭નાં નામ લીધાં છે. ૪૭ શક્તિમાં એક ભાવ નામનો ગુણ (શક્તિ) છે. તો એ ગુણનું સ્વરૂપ શું? કે કોઈ પણ પર્યાય, જે સમયે થવાવાળી છે તે થશે, તે ભાવગુણનું કાર્ય છે. સમજાણું કાંઈ ? ઝીણી (વાત) છે, ભગવાન! ભાવગુણના કારણે ભવન-પર્યાય જે સમયે થાય છે, તે આઘી-પાછી નહીં. એક વાત. બીજી વાત એ ભાવગુણ છે, એનું પોતાનું રૂપ અનંત ગુણમાં છે. તો જે ભાવગુણમાં જે વર્તમાન પર્યાય થવાવાળી (છે તે) જેમ ભાવગુણના કારણે થશે. તેમ અનંત ગુણમાંથી પણ ભાવગુણના કારણે (પર્યાય ક્રમબદ્ધ થશે); (કેમકે) અનંત ગુણમાં ભાવગુણનું રૂપ છે. આહા.. હા! સમજાય છે ભાઈ ! ઝીણું છે, ભગવાન! આ ‘ક્રમબદ્ધ ' તો સૂક્ષ્મ છે.
અમારે ૭રની સાલથી “ક્રમબદ્ધ” ની (ચર્ચા) ચાલે છે. કહ્યું હતું ને! કે: “કેવળીએ દિઠું હશે તેમ થશે”. વાત તો સાચી છેઃ “જે સમયે જે પર્યાય (થવાની હશે તે જ) થશે'. પણ જેવું કેવળીએ દીઠું હશે તેમ થશે” –એવું પરથી (જ) લે છે, તે છોડી દો! સમજાય છે કાંઈ ?
દ્રવ્યની પર્યાય જ્યારે જ્યારે થવાવાળી હશે ત્યારે થશે. એ દ્રવ્યનો સ્વભાવ છે. અને એ દ્રવ્યમાં ભાવ નામનો એક ગુણ છે; કે જેના કારણે જે સમયે જે પર્યાય થવાની છે તે થાય છે. અને એ પર્યાય છોડી (-વ્યય થઈ ) ને બીજી (ઉત્પાદ) થાય છે. તો એમાં-ભગવાન આત્મામાં-એક ભાવઅભાવ નામનો ગુણ છે. અનંત ગુણની જે વર્તમાન પર્યાય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com