________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩O૮-૧૩૧: ૧૩૫ શ્રદ્ધા, નવ તત્ત્વની શ્રદ્ધા-એ સમકિત જાઓ! આહા... હા! સમકિત શું ચીજ છે, એ તો (ખબર પણ નહીં)! (જેમ) અફીણ પીવે... અને પછી કહે કે “મને ઓડકાર કસૂરીનો આવશે”. પડિમાનો રાગ તે તો વિકલ્પ છે. હજી સમ્યગ્દર્શન વિના તો પડિમા કેવી ? બે પડિમા ને સાત પડિમા ને... પણ એ પડિમાં નથી. અને પંચ મહાવ્રત થઈ ગયાં અને ૨૮ મૂળ ગુણ થઈ ગયા! ૨૮ ગુણ અને પંચ મહાવ્રત તો રાગ છે; એ આસ્રવ છે; બંધનું કારણ છે; સંસાર છે; અને દુઃખનું કારણ છે. (-એમાં) ધર્મ ક્યાંથી આવી ગયો?!
કહ્યું હતું ને..“મુનિ વ્રત ધાર અનંત વાર રૈવેયક ઉપાયો” -અનંત વાર દિગંબર મુનિ થયો, પંચ મહાવ્રતધારી, ૨૮ મૂળ ગુણ નિરઅતિચાર પાળવાવાળો. એના માટે ચોકો (આહાર) બનાવો તો તે પણ નહીં. (જો) એને માટે આહાર બનાવો અને એ લે, તો તેનો વ્યવહાર પણ જૂઠો છે. નિશ્ચય તો નથી જ; પણ સમ્યગ્દર્શન પણ નથી જ. સમજાણું? કારણ કે ૧૧મી ડિમાવાળો (હોય) તેને (પણ) ઉદેશિક આહારનો ત્યાગ (હોય) છે; તો પછી મુનિને માટે બનાવવું અને આહાર લેવો (ત્યાં) તો આપવાવાળો પણ મિથ્યાદષ્ટિ અને લેવાવાળો પણ મિથ્યાષ્ટિ. આપવાવાળો સાધુ માનીને આપે છે, અને એ સાધુ માનીને લે છે. આહા... હા ! આકરી વાત છે, ભાઈ !
(અહીં) અજીવ પણ ક્રમબદ્ધ પોતાનાં પરિણામોથી ઊપજતું થયું અજીવ જ છે. અજીવનાં પરિણામ એ અજીવથી ઊપજે છે અને એ જીવ નથી. જાઓઃ “જીવ નથી”. એટલે જીવથી બિલકુલ થતા નથી. આ શરીર હાલ-ચાલે છે, તો (એ) જીવની પ્રેરણાથી હાલ-ચાલે છે; એ બિલકુલ જૂઠું છે. (શરીર) હાલ-ચાલે છે એ તો જડની પર્યાયથી છે; જીવથી બિલકુલ નહીં.
વિશેષ કહેશે...
[ પ્રવચનઃ તા. ૨૩-૭-૭૯]
સમયસાર” (ગાથા) ૩૦૮-૯-૧૦-૧૧ વિષય જરી સૂક્ષ્મ લાગે.... પણ સમજવા જેવો છે. “કમબદ્ધ” એ અલૌકિક વાત છે ! કમરૂપ અને અક્રમરૂપ તો પર્યાયમાં થાય છે. - શું કહ્યું? અહીં ક્રમબદ્ધ કહ્યું: દરેક દ્રવ્યની પર્યાય ક્રમસર-એક પછી એક, એક પછી એકથવાવાળી થશે.
(“સમયસાર') ૩૮–ગાથામાં “દક્ષિો ” લીધું છે, ત્યાં એક આવ્યું છે કેઃ કમરૂપ અને અક્રમરૂપ બે પ્રકારની પર્યાય છે. એ બન્ને પર્યાયોથી આત્મા’ ભિન્ન છે. તો એ અક્રમ' શું? એ “અક્રમ' , આ “ક્રમબદ્ધ' ને તોડીને “અક્રમ” એમ નહીં પણ એક સમયમાં ગતિ” થાય છે તે એક પછી એક થાય છે, એક “ક્રમ” કહેવામાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com