________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩): પ્રવચન નવનીત ભાગ-૧ પર્યાયને જાણે છે; પરને જાણતો નથી. પર તો અસદભૂતવ્યવહારનયથી કહેવામાં આવે છે. પરને જાણવાની પર્યાય પોતામાં પોતાથી પોતાને જાણે છે. એ પર્યાયને જાણે છે; પણ એ પર્યાય તો
અંશ છે. ભગવાન ત્રિકાળી આનંદકંદ પ્રભુ શુદ્ધ સ્વભાવથી પૂર્ણ ભર્યો ભગવાન (આત્મા) “અંશી” છે. આહા... હા... હા! હું અંધા! ત્યાં નજર કર. પર્યાયમાં–રાગ, દયા, દાન, વ્રતમાંરોકાયો (તેને) તો અહીં આંઘળો કહે છે. (કહે છે કેઃ) આંધળો છે તું આંધળો! તારી (મૂળ) ચીજ જે રાગથી ભિન્ન, અંદર પૂર્ણાનંદનો નાથ, સચ્ચિદાનંદ પ્રભુ, સત્ એટલે શાશ્વત જ્ઞાન અને આનંદના જળથી ભરેલો સાગર છે. પ્રભુ! ત્યાં તું નજર (કર). આ ક્રમબદ્ધ” માં “એ” છે. સમજાય છે કાંઈ ?
કમબદ્ધ” માં જે સમયે જે થશે, “તે જે સમયે જે થશે” –તેની સામે જોવાનું છે? (– એમ નથી). ત્યાં તો “અકર્તાપણું” અને “જ્ઞાતાપણું' સિદ્ધ કરવું છે. પાઠ તો એ આવ્યો.
અકર્તા' કહો કે “જ્ઞાતા’ કહો. “જ્ઞાતા' ભગવાન સર્વજ્ઞસ્વરૂપી પ્રભુ, સર્વદર્શી, અતીન્દ્રિય આનંદનો પૂર્ણ નાથ (“હું ') –એવો નિર્ણય કરે છે, તો એને સમ્યગ્દર્શન થાય છે. આ વાત (તો પાયાની) છે, ભાઈ ! એ વિના, બધાં મીંડાં છે, એકડા વિનાનાં મીંડાં છે. આહા.... હા ! અહીં “આંધળો” કહીને મોટી વાત કરી દીધી !
હવે આપણે ચાલે છે એ “ક્રમબદ્ધ” આવ્યું ને-“જીવ ક્રમબદ્ધ”. આહા... હા! એમ કોઈ માને છે (ક) “આમાં પુરુષાર્થ ઊડી જાય છે.... “આમાં પુરુષાર્થ કરવાનું રહેતું નથી. “જે સમયે જે પર્યાય થવાની હશે તે થશે” (તો) એમાં અમે શું કરીએ ? –પણ એનો “નિર્ણય' કરવામાં, તારો પુરુષાર્થ સ્વભાવસભુખ જાય છે, ત્યારે “ક્રમબદ્ધ ' નો નિર્ણય થાય છે. સમજાય છે કાંઈ?
અમારે એ ચર્ચા સંવત ૧૯૭રથી છે. અને સંવત ૧૯૭૧થી આ પહેલી ચર્ચા ચાલી હતી: કર્મથી વિકાર ક્યારે ય ત્રણ કાળમાં થતો નથી. કારણકે “કર્મ પરદ્રવ્ય છે'. તો પરદ્રવ્યથી આત્મામાં વિકાર થાય? –એ ત્રણ કાળમાં થતો નથી.
પરદ્રવ્ય પોતાને (-આત્માને) ક્યારે ય સ્પર્શતું જ નથી. એ “સમયસાર' ત્રીજી ગાથામાં છે. દરેક દ્રવ્ય પોતાના ગુણ-પર્યાયરૂપી ધર્મને ચુંબે છે. પણ પરદ્રવ્યની પર્યાયને ક્યારેય અયું નથી, ચુંવ્યું નથી અને સ્પર્શ્વ નથી. તો આત્મા કર્મને અડ્યો જ નથી. કર્મ પણ આત્માને સ્પર્શ્વ જ નથી. આહા... હા ! તારા અપરાધથી તારામાં મિથ્યાભ્રાંતિ અને રાગ-દ્વેષ તારાથી ઊપજે છે, કર્મથી નહીં. એ મિથ્યાભ્રાંતિ અને વિકારનો નાશ કરવો હોય, “એ મારામાં નથી' એવો નિર્ણય કરવો હોય તો જ્ઞાયક તરફ જવું પડશે.
શાસ્ત્ર (–તાત્પર્ય) “આ” (છે)! (એને જાણે) એ પંડિત છે! (લોકો) પંડિતાઈની વાતો બહુ કરે! પણ મૂળ ચીજ તો અંદર (જુદી જાતની છે). આહ.. હા! અનંતવાર
Please inform us of any errors on rajesh@AtmaDharma.com