SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૩O૮-૩૧૧ ૧૨૯ આ એક લીટીમાં તો ઘણું ભરી દીધું છે! આ તો સિદ્ધાંત છે. આ કાંઈ વાર્તા નથી. આ કંઈ કથા નથી. આહા. હા! “કેવળીએ દીઠું' એવો નિર્ણય થવામાં પણ “કેવળજ્ઞાની” નો નિર્ણય કરવો પડશે. “કેવળજ્ઞાની જગતમાં છે” –એવી સત્તાનો સ્વીકાર કરે, ત્યારે એની દષ્ટિ દ્રવ્ય ઉપર જાય છે. આ ક્રમબદ્ધ' નો નિર્ણય કરવા જાય છે તો એના “તાત્પર્ય ની (-વીતરાગતાની સિદ્ધિ ) પણ દ્રવ્યસ્વભાવ ઉપર નજર જાય છે (ત્યારે થાય છે ). સમજાણું કાંઈ? “પ્રવચનસાર” માં ૪૭ નય લીધા છે. “કાળે પણ મોક્ષ અને અકાળે પણ મોક્ષ' એવો પાઠ છે. (જો) બને છે તો “આ ક્રમબદ્ધ' છે, તો “અકાળે મોક્ષ' એ ક્યાંથી આવ્યો? પણ એનો અર્થ બીજો છે. “કાળે (મોક્ષ)” તો તે જ સમયે થાય છે, (અર્થાત્ ) એ કમની પર્યાય જ્યારે આવવાવાળી છે, ત્યારે થાય છે. પણ “અકાળે (મોક્ષ)” કેમ લીધો? કેઃ સ્વભાવ અને પુરુષાર્થ સાથે લેવા છે. ક્રમબદ્ધ સાથે એકલા સ્વભાવ અને પુરુષાર્થ લેવા છે; પાંચ સમવાય સાથે લેવા છે; તો કાળ સિવાય, બીજા ચાર સમવાય ભેળવીને “અકાળે(મોક્ષ)' કહેવામાં આવ્યું છે. પણ અકાળનો અર્થ એવો નથી કે (તે ક્રમબદ્ધ નથી). સમજાય છે કાંઈ ? અરે.... અરે! આવું (દુર્લભ) મનુષ્યપણું મળ્યું! અરે! માંડ નિર્ણય કરવાનો ટાણાં આવ્યાં છે. “સર્વ અવસર આવી ગયો છે' (એમ) “મોક્ષમાર્ગ પ્રકાશક' માં શ્રી ટોડરમલજીએ લખ્યું છે. આહા.... હા ! તારી ઊંઘ ઉડાડી દે, જાગૃત થઈ જા... નાથ ! પ્રભુ! તારી શક્તિ તો અનંત અનંત ગુણથી ભરી પડી છે. એને જગાડી દે! તું નિદ્રામાં ઊંધે છે. પોતાના સ્વરૂપની ખબર નથી. અને રાગાદિમાં પોતાપણું માને છે. -એ બધાં પ્રાણી અસાધ્યમાં છે. મરતાં બેભાન થઈ જાય છે ને.. (પણ) આ તો જીવતા અસાધ્ય છે! સાધ્ય જે ત્રિકાળી જ્ઞાયકમૂર્તિ પ્રભુ છે; એની દષ્ટિ નહીં, એનો અનુભવ નહીં, તે તરફનો આશ્રય નહીં; અને રાગનો આશ્રય, વ્યવહારનો આશ્રય-એ બધું અંધત્વ છે. સમયસાર' નિર્જરા અધિકાર, કલશ-૧૩૮માં પાઠ છે: “સંસાRIબ્રતિપમની રાજિળો નિત્યમા... સુHI.” આહા... હા ! સંબોધન કરે છે: “મન્થા” હું અંધ પ્રાણીઓ ! તકિધ્યમન્થા–બીજી લીટી. (અજ્ઞાનીને) આંધળો કહે છે: હે આંધળા! બધું જોયું પણ તારી ચીજ ન જોઈ તો તું આંધળો છે. આહા... હા! સંબોધન છેઃ આંધળો! હે અંધ પ્રાણીઓ ! અરે! જે દેખવાની ચીજ હતી તે તો દેખી નહીં, જાણવાવાળાને જાણ્યો નહીં, દેખવાવાળાને દેખ્યો નહીં. અને જાણવામાં જે ચીજ આવે છે, એને જાણીને (ત્યાં) રોકાઈ ગયો ! તે પણ ખરેખર તે ચીજને જાણતો નથી. (પણ) ખરેખર તો પોતાની Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008278
Book TitlePravachana Navneet 1
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages357
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy