SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૩૦૮-૩૧૧ઃ ૧૩૧ ૧૧ અંગ પણ ભણી નાખ્યાં. એક અંગમાં ૧૮ હજાર પદ; અને એક પદમાં એકાવન કરોડ ઝાઝેરા શ્લોક. એવાં ૧૧ અંગ પણ કંઠસ્થ કર્યા–એમાં શું આવ્યું? –એ તો “પરશેયનિષ્ઠ' છે. શાસ્ત્રનું જ્ઞાન એ પરણેય (છે). “જ્ઞય” પર છે-એના જ્ઞાનમાં “નિષ્ઠ' છે- (એ) “સ્વ-જ્ઞાન” નહીં. આહા... હા... હા... હા ! - “બહેનશ્રીનાં વચનામૃત” માં આવે છે. શાસ્ત્રનું જ્ઞાન પરશેયનિષ્ઠ છે; પોતાના જ્ઞયમાં નહીં. પોતાના યમાં (નિષ્ઠ) તો (ત્યારે થાય જ્યારે પર્યાયમાં “ક્રમબદ્ધ' નો નિર્ણય કરે છે. જે સમયમાં જે (પર્યાય) થવાની હશે તે થશે” એનો નિર્ણય કરે છે તો (પર્યાય) અંતરમાં ઝૂકી જાય છે. દષ્ટિનો વિષય આત્મા થઈ જાય છે. દષ્ટિનો વિષય ક્રમબદ્ધપર્યાય રહેતી નથી. આહા... હા... હા.. હા! આવી વાત છે, ભાઈ ! અત્યારે (લોકોને) સમજવું કઠણ પડે! ભાઈ ! મુદ્દાની રકમ છે! મૂળ વાત આ છે! આ (બહારમાં) તો (એવી વાત ચાલી રહી છે કે, પડિમાં લઈ લ્યો ને... આ લઈ લ્યો! પણ એ કાંઈ પડિમાં નથી. પડિમાં આવી ક્ય થી? હજી તો સમ્યગ્દર્શનની ખબર નથી અને સમ્યગદર્શન કેમ થાય? તેની (પણ) ખબર નથી. અને પર્યાય “ક્રમબદ્ધ' થાય છે; એને આઘીપાછી કરવાની કોઈની ઇન્દ્ર, નરેન્દ્ર, જિનેન્દ્રની–તાકાત નથી; (છતાં) તમે (અભિપ્રાયમાં) પર્યાયને આઘીપાછી કરી ધો અને ધર્મ થઈ જાય ? ( એ તદ્દન અશક્ય છે ). આહા... હા! ઝીણી વાત છે, ભાઈ ! આહા... હા! ભાષા તો સાદી છે ને.. પ્રભુ! ભાષા કાંઈ સંસ્કૃત ને વ્યાકરણ જેવી કઠણ નથી. ભાષા તો સાદી છે. પ્રભુ સાદો છે; અંદર નિરાવરણસ્વરૂપ, પરમાત્મસ્વરૂપ, પૂર્ણ ( વિધમાન) પડ્યો છે! –એનો આશ્રય લેવાથી “ક્રમબદ્ધ” નો સાચો નિર્ણય થાય છે. ક્રમબદ્ધનો નિર્ણય કરવામાં, સ્વનો આશ્રય લેવાથી, સમ્યગ્દર્શનની પર્યાય-ભવના અંતની પર્યાય-ઊપજે છે. સમજાણું કાંઈ ? એ કહ્યું: “જીવ ક્રમબદ્ધ”. “i... ગુટિં” એનો અર્થ નીકળ્યોઃ જે પર્યાયથી ઊપજે છે–તે પોતાનાં પરિણામોથી (અર્થાત્ ) એ પરિણામ પોતાના દ્રવ્યનાં છે-અહીં પાછું એમ કહેવું છે. બીજે ઠેકાણે કહે છે કે પરિણામ જે છે તે આત્મદ્રવ્યનાં છે જ નહીં. પર્યાય પર્યાયની છે. દ્રવ્ય દ્રવ્યનું છે. કેમ કેઃ બે વાચ્ય છે; તો અંદર બે વાચક છે. વાચક–વાચ્ય બને સ્વતંત્ર છે. પર્યાય પણ સ્વતંત્ર અને દ્રવ્ય પણ સ્વતંત્ર છે. આહા.... હા ! પણ અહીં તો પરથી ભિન્ન પાડવાની અપેક્ષાએ “પોતાનાં પરિણામોથી ઊપજતો થકો (જીવ જ છે, અજીવ નથી)”. એમ પોતાના પરિણામોથી-દ્રવ્ય પોતાના પરિણામોથી તો પરિણામ પોતાના દ્રવ્યના થયા. સમજાણું? આહા. હા.... હા ! પ્રભુ... એની વાણી !! એ કુંદકુંદાચાર્ય દિગંબર સંતો ! એ એની Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008278
Book TitlePravachana Navneet 1
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages357
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy