________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૦૮-૩૧૧: ૧૨૩
(પણ એમ થાય નહીં). સમજાણું કાંઈ? કાચા શાકમાંથી પાકું શાક થાય છે, તે અગ્નિથી નહીં; એ ક્રમબદ્ઘમાં આવવાવાળી પર્યાય, અજીવનાં પરિણામ છે; અને અજીવનાં પરિણામ એ અજીવ છે. તાવડીથી અને સ્ત્રીથી રોટલી થઈ, શાક (અગ્નિથી ) પાકું થયું-એમ નથી. આહા... હા !
વિશેષ કહેશે...
***
[ તા. ૨૨-૭-૭૯ ]
‘સમયસાર ’૩૦૮ થી ૩૧૧ ગાથા. ટીકા-અમૃતચંદ્રાચાર્ય. એક લીટી કાલે ચાલી હતી. ફરીથી. “ નીવો દિ તાવન્ત્” સંસ્કૃતમાં શબ્દ છે. “પ્રથમ તો જીવ” (“ ક્રમબદ્ધ ” ) –ઘણી જ ઝીણી વાત છે. આ વાત અત્યારે લોકોને કઠણ પડે-પોતાની પર્યાય પરથી થતી નથી. અને પોતાની પર્યાય આઘી-પાછી (પણ) થતી નથી. એવી રીતે દરેક પદાર્થમાં છે. આ તો (‘પ્રથમ તો જીવ' કહીને ) અત્યારે જીવની વાત છે. જીવમાં જે પર્યાય થાય છે, એ પરથી તો થતી નથી; પણ એ પર્યાય આઘી–પાછી થાય, એમ પણ નથી. આહા... હા !
,,
“નં મુખેકિં” શબ્દ (ગાથામાં ) છે; તેનો અર્થ અહીં “પર્યાય ” છે. એ ક્રમસરમાં, ‘દ્રવ્ય ' જે જે પર્યાય ઊપજે છે, તે એનો સ્વકાળ છે. અને ‘ક્રમબદ્ધ' નો એ જ અર્થ છે: જે સમયે જે પર્યાય ઊપજે છે, બીજા સમયે-જે સમયે જે પર્યાય ઊપજે છે તે “મનિયમિત’ ( છે ). ( ક્રમનિયમિત−) એકલો ક્રમ નહીં પણ ક્રમ અને નિશ્ચિત. ક્રમે તો થાય છે પણ નિશ્ચિત (અર્થાત્ ) જે પર્યાય થવાની છે તે જ થાય છે. સમજાણું ?
,,
66
6 જીવ ક્રમબદ્ધ ક્રમબદ્ધ' શબ્દ કેવી રીતે થયો? ‘મનિયમિત’
ક્રમ ’ અને ‘ નિયમિત ’. ‘ નિયમત' નો અર્થ ‘બદ્ધ' કર્યો; એટલે (‘ક્રમ + ‘બદ્ર' =) ‘ક્રમબદ્ધ’. એ ‘ ક્રમબદ્ધ’ ક્યાંથી નીકળ્યું ? કે: ‘ ... મુળäિ ' –જે ગુણ એટલે ‘જે પર્યાય' ઊપજે છે તે; એમ ત્યાંથી કાઢયું: ( · જીવ ક્રમબદ્ધ') . આહા... હા ! પ્રત્યેક દ્રવ્ય પોતાના સ્વકાળે પોતાની પર્યાયથી જે (સ્વરૂપે ) ઊપજવા લાયક છે, તે સમયે ઊપજે છે.
'
અત્યારે તો કેટલાક પંડિત લોકો એમ કહે છે કેઃ આત્મા અથવા દરેક દ્રવ્યમાં ઉપાદાનની યોગ્યતા અનેક પ્રકારની છે. જેવું નિમિત્ત આવે, એવી પર્યાય થાય. તો અહીં એમ કહે છે કે: એવું નથી. જે પર્યાય ઊપજવાની છે, તે એક જ પ્રકારની તેવી યોગ્યતા છે. સમજાણું કાંઈ ? જેમ પાણી છે સફેદ. (એમાં જો) રંગ કાળો નાખે તો કાળું થઈ જાય, લીલો નાખો તો લીલું થઈ જાય; ( તેમ ) ઉપાદાનમાં અનેક યોગ્યતા છે; જેવું નિમિત્ત મળે તેવું થાય? -નહીં, એવું નથી. આહા... હા ! આ તો મુદ્દાની ૨કમની વાત છે!
અહીં તો આપણે ‘ જીવ' લેવું છે. જીવ છે તે ‘જીવદ્રવ્ય’ છે. “ વિયં ” જે દ્રવ્ય (અર્થાત્ ) દરેક દ્રવ્ય-જે દ્રવે તે દ્રવ્ય-દ્રવ્ય દ્રવે છે; એમાં જે પર્યાયથી દ્રવીને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com