________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪: પ્રવચન નવનીત ભાગ-૧
.
ઊપજે છે તે પર્યાયથી જ ઊપજશે. અને એ ‘ પર્યાય ’ એનું (દ્રવ્યનું ) કાર્ય; અને દ્રવ્ય ‘કર્તા ’ કહેવામાં આવે છે. ખરેખર દ્રવ્ય કર્તા નથી. ખરેખર તો પર્યાય કર્તા અને પર્યાય કાર્ય. પણ અહીં એમ નહીં લેવું. અહીં (તો) ફક્ત જે સમયે, જે પર્યાય દ્રવ્યની ઊપજવાવાળી છે, તે જ ઊપજશે. (બસ... એટલું લેવું છે).
‘ પંચાસ્તિકાય ’ ગાથા-૧૭૨માં લખ્યું છે કેઃ ચારેય અનુયોગનું તાત્પર્ય શું? કેઃ ‘વીતરાગતા ’. અહીં આ શબ્દ છેઃ ‘જે સમયે, જે પર્યાય દ્રવ્યની ઊપજવાવાળી છે, તે જ ઊપજશે ’ તો તેનું તાત્પર્ય શું? એવું કહેવામાં અને એવા ભાવમાં તાત્પર્ય શું ? કેઃ ‘ એનું તાત્પર્ય વીતરાગતા (છે). ’ તો ‘વીતરાગતા ’ કેવી રીતે થાય ? કેઃ ‘ જે સમયે, જે પર્યાય ઊપજવાવાળી છે (તે જ ઊપજશે )’ –એનો ‘નિર્ણય ' જ્યારે કરે છે; ત્યારે રાગાદિનો ‘ અકર્તા’ થઈ જાય છેઅકર્તા થાય છે’.
"
.
અહીં ‘અકર્તા ’ સિદ્ધ કરવો છે. મથાળામાં એ શબ્દ પડયો છેઃ “અથાત્નનોડર્તૃત્વ દષ્ટાન્તપુરમ્સ્કરમાવ્યાતિ ”-એમાં ‘ ક્રમબદ્ધ’ આવ્યું છે કે: જે પર્યાય, જે સમયે (થવાની શે તે) થશે. આહા... હા! (અહીંયાં પર્યાયનો કર્તા ‘પર્યાય ') એટલી બધી વાત નથી લીધી. (અહીં ) ‘૫૨નો કર્તા નથી' એટલું લીધું છે; ખબર છે; પણ અંતરમાં-ગર્ભમાં તો એટલી (ઘણી) વાત ભરી છે!
‘ જે સમયે જે દ્રવ્યની-જીવની- (જે ) પર્યાય (થવાની છે તે) થાય છે' તો એનું તાત્પર્ય શું? એનું ફળ શું? કેઃ તે ‘ ક્રમબદ્ધપર્યાય’ નો નિર્ણય કરવા જાય છે, તો પર્યાયના આશ્રયે ક્રમબદ્ધનો ‘ નિર્ણય ’ થતો નથી. એનો ‘નિર્ણય ’ પર્યાયમાં, પર્યાયના આશ્રયે થતો નથી. એનું ( એવા નિર્ણયનું ) તાત્પર્ય ‘વીતરાગતા ' છે. વીતરાગતા ‘પર્યાય ' માં ( થાય ) છે. તો
‘વીતરાગતા ’ પર્યાયના આશ્રયે ઊપજતી નથી.
પ્રશ્નઃ (જ્યારે ) તાત્પર્ય વીતરાગતા છે, તો વીતરાગતા કેવી રીતે ઉત્પન્ન થાય ?
""
સમાધાનઃ કે: “ઘટ ઘટ અંત૨ જિન બસૈ, ઘટ ઘટ અંતર જૈન, મતિ-મદિરાકે પાનસૌં મતવાળા સમુઝૈ ન. એમ કેમ કહ્યું કેઃ ‘અંતરજૈન ?’ કેઃ બહારમાં તો ચક્રવર્તીને છ ખંડનું રાજ્ય પણ હોય, ૯૬ હજાર સ્ત્રીઓ હોય, દેવને કરોડો અપ્સરાઓ હોય; (તો પણ ) જૈનપણું અંતરમાં છે. તો અંતરમાં શું? કેઃ ‘ઘટ ઘટ અંતર જિન બસૈ' –વીતરાગસ્વરૂપ આત્મા છે, જે જિનસ્વરૂપી ભગવાન-આત્મા છે, તે તરફનું જ્યાં લક્ષ અને આશ્રય કરવા જાય છે, તો પર્યાયમાં વીતરાગતા-સમ્યગ્દર્શન થાય છે. -એ જૈનપણું ઘટમાં છે. એ ‘જૈનપણું’ કોઈ બાહ્ય ત્યાગ કે અત્યાગમાં છે (નહીં ); એથી, તેનું પ્રમાણ કરવા જાય, તો મળે (તેમ) નથી. (બાહ્યમાં ) છ ખંડનું રાજ્ય હોય, ૯૬ હજાર સ્ત્રી હોય, ૯૬ કરોડ પાયદળ હોય છતાં, (અંદરમાં ) સમ્યગ્દર્શન! એ ઘટ ઘટમાં ‘જિન ’ અને ઘટ ઘટમાં ‘ જૈન ’! આહા... હા... હા! એ ‘જિનપણું ’ જે વસ્તુનું સ્વરૂપ છે, એ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com